Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત રાજયમાં ડ્રગ્સની હેરાફેરી વધતા સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1908 જાહેર કરાયો: ફોન કરી આપી શકાશે ડ્રગ્સ માફિયાઓની માહિતી

  • રાજ્ય મા ડ્રગ્સ ની હેરાફેરી અટકાવવા સરકાર એકશન મા આવી
  • ડ્રગ્સ માફિયાઓની માહિતી આપવા ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
  • Advertisement
  • ટોલ ફ્રી નંબર 1908 પર આપી શકાશે
  • માહિતી આપનાર ની ઓળખ ગુપ્ત રાખવામા આવશે
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.29
ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર નશાનો વેપાર કરતા ગુનેગારોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. થોડા દિવસ પહેલા જ ગુજરાત રાજ્ય ના પોરબંદર જીલ્લાના દરિયા કાંઠા નજીક થી હજારો કરોડ રુપીયાની કિંમતનાં હેરોઈન ડ્રગ્સ સાથે વિદેશી ઈસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી હતી.

 

ગુજરાતના દરિયા કાંઠે આવેલા મુંદ્રા પોર્ટ પરથી ડી.આઈ.આર. એ કરોડોની કિંમતનો હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો, તે સંજોગોમા ગુજરાતનાં CID ક્રાઈમ બ્રાંચ  દ્વારા નશાખોરીને અટકાવવા અને ડ્રગ્સની હેરાફેરી રોકવા સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર શરૂ કર્યો છે. જેના કારણે હવે ડ્રગ્સને લગતી કોઈ પણ માહિતી ટોલ ફ્રી નંબર 1908 પર આપી શકાશે. આ ટોલ ફ્રી નંબર પર ગુજરાતમાં નાર્કોટિક્સ ડ્રગ્સનાં ઉત્પાદન, વેચાણ, અને સેવનની પ્રવૃતિ અટકાવવા જાહેર જનતાની મદદ લેવા માટે સરકાર દ્વારા આ ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે. જેમા ગાંજો, ચરસ, અફિણ, કોકેઈન, હેરોઈન, કેટામાઈન, એમ.ડી જેવા ગુજરાત રાજ્ય મા પ્રતિબંધિત કૃત્રિમ ડ્રગ્સનુ ઉત્પાદન કરનાર, તેમજ શાળા, કૉલેજ, ઓદ્યોગિક વસાહતો, રહેણાંક વિસ્તારોની આસપાસ આ ડ્રગ્સનું વેચાણ કરનારા, ગેરકાયદેસર નશાકારક દવાઓ, અથવા પદાર્થોની હેરાફેરી કરનારા અથવા તો તેના જથ્થાનો સંગ્રહ કરે તેવા વ્યક્તિની જાણ આ ટોલ ફ્રી નંબર 1908 પર કરી શકાશે. CID ક્રાઈમને ટોલ ફ્રી નંબર પર માહિતી આપનારા વ્યક્તિની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. માહિતી આપનાર ઈસમની માહિતી ના આધારે ગુન્હાખોરી અટકાવવા મા મદદરૂપ થનાર ઈસમને યોગ્ય ઇનામ પણ સરકાર દ્વાર આપવામા આવશે. તેવી માહિતી મળી રહી છે.

સંબંધિત પોસ્ટ

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24

ફતેપુરાની બેન્ક ઓફ બરોડાની બહાર લાગી લાંબી લાઈનો: કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસરનું કોરોનાથી મૃત્યુ, માત્ર ત્રણ જ અઠવાડિયામાં SO, Dy.SO કક્ષાના પાંચમા અધિકારીનું દુઃખદ નિધન

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24