Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત રાજયમાં ડ્રગ્સની હેરાફેરી વધતા સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1908 જાહેર કરાયો: ફોન કરી આપી શકાશે ડ્રગ્સ માફિયાઓની માહિતી

  • રાજ્ય મા ડ્રગ્સ ની હેરાફેરી અટકાવવા સરકાર એકશન મા આવી
  • ડ્રગ્સ માફિયાઓની માહિતી આપવા ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
  • Advertisement
  • ટોલ ફ્રી નંબર 1908 પર આપી શકાશે
  • માહિતી આપનાર ની ઓળખ ગુપ્ત રાખવામા આવશે
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.29
ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર નશાનો વેપાર કરતા ગુનેગારોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. થોડા દિવસ પહેલા જ ગુજરાત રાજ્ય ના પોરબંદર જીલ્લાના દરિયા કાંઠા નજીક થી હજારો કરોડ રુપીયાની કિંમતનાં હેરોઈન ડ્રગ્સ સાથે વિદેશી ઈસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી હતી.

 

ગુજરાતના દરિયા કાંઠે આવેલા મુંદ્રા પોર્ટ પરથી ડી.આઈ.આર. એ કરોડોની કિંમતનો હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો, તે સંજોગોમા ગુજરાતનાં CID ક્રાઈમ બ્રાંચ  દ્વારા નશાખોરીને અટકાવવા અને ડ્રગ્સની હેરાફેરી રોકવા સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર શરૂ કર્યો છે. જેના કારણે હવે ડ્રગ્સને લગતી કોઈ પણ માહિતી ટોલ ફ્રી નંબર 1908 પર આપી શકાશે. આ ટોલ ફ્રી નંબર પર ગુજરાતમાં નાર્કોટિક્સ ડ્રગ્સનાં ઉત્પાદન, વેચાણ, અને સેવનની પ્રવૃતિ અટકાવવા જાહેર જનતાની મદદ લેવા માટે સરકાર દ્વારા આ ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે. જેમા ગાંજો, ચરસ, અફિણ, કોકેઈન, હેરોઈન, કેટામાઈન, એમ.ડી જેવા ગુજરાત રાજ્ય મા પ્રતિબંધિત કૃત્રિમ ડ્રગ્સનુ ઉત્પાદન કરનાર, તેમજ શાળા, કૉલેજ, ઓદ્યોગિક વસાહતો, રહેણાંક વિસ્તારોની આસપાસ આ ડ્રગ્સનું વેચાણ કરનારા, ગેરકાયદેસર નશાકારક દવાઓ, અથવા પદાર્થોની હેરાફેરી કરનારા અથવા તો તેના જથ્થાનો સંગ્રહ કરે તેવા વ્યક્તિની જાણ આ ટોલ ફ્રી નંબર 1908 પર કરી શકાશે. CID ક્રાઈમને ટોલ ફ્રી નંબર પર માહિતી આપનારા વ્યક્તિની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. માહિતી આપનાર ઈસમની માહિતી ના આધારે ગુન્હાખોરી અટકાવવા મા મદદરૂપ થનાર ઈસમને યોગ્ય ઇનામ પણ સરકાર દ્વાર આપવામા આવશે. તેવી માહિતી મળી રહી છે.

સંબંધિત પોસ્ટ

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

Panchayat Samachar24

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 152મી ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

Panchayat Samachar24

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

Panchayat Samachar24

લીમખેડા તાલુકાના વલુંડી ગામે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ પીકઅપ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં પીકઅપ માં સવાર ત્રણ વ્યકિતઓ ઈજાગ્રસ્ત: એક આધેડ મુસાફરનું ઘટના સ્થળે મોત નિપજ્યુ

Panchayat Samachar24

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24