Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત રાજયમાં ડ્રગ્સની હેરાફેરી વધતા સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1908 જાહેર કરાયો: ફોન કરી આપી શકાશે ડ્રગ્સ માફિયાઓની માહિતી

  • રાજ્ય મા ડ્રગ્સ ની હેરાફેરી અટકાવવા સરકાર એકશન મા આવી
  • ડ્રગ્સ માફિયાઓની માહિતી આપવા ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
  • Advertisement
  • ટોલ ફ્રી નંબર 1908 પર આપી શકાશે
  • માહિતી આપનાર ની ઓળખ ગુપ્ત રાખવામા આવશે
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.29
ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર નશાનો વેપાર કરતા ગુનેગારોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. થોડા દિવસ પહેલા જ ગુજરાત રાજ્ય ના પોરબંદર જીલ્લાના દરિયા કાંઠા નજીક થી હજારો કરોડ રુપીયાની કિંમતનાં હેરોઈન ડ્રગ્સ સાથે વિદેશી ઈસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી હતી.

 

ગુજરાતના દરિયા કાંઠે આવેલા મુંદ્રા પોર્ટ પરથી ડી.આઈ.આર. એ કરોડોની કિંમતનો હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો, તે સંજોગોમા ગુજરાતનાં CID ક્રાઈમ બ્રાંચ  દ્વારા નશાખોરીને અટકાવવા અને ડ્રગ્સની હેરાફેરી રોકવા સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર શરૂ કર્યો છે. જેના કારણે હવે ડ્રગ્સને લગતી કોઈ પણ માહિતી ટોલ ફ્રી નંબર 1908 પર આપી શકાશે. આ ટોલ ફ્રી નંબર પર ગુજરાતમાં નાર્કોટિક્સ ડ્રગ્સનાં ઉત્પાદન, વેચાણ, અને સેવનની પ્રવૃતિ અટકાવવા જાહેર જનતાની મદદ લેવા માટે સરકાર દ્વારા આ ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે. જેમા ગાંજો, ચરસ, અફિણ, કોકેઈન, હેરોઈન, કેટામાઈન, એમ.ડી જેવા ગુજરાત રાજ્ય મા પ્રતિબંધિત કૃત્રિમ ડ્રગ્સનુ ઉત્પાદન કરનાર, તેમજ શાળા, કૉલેજ, ઓદ્યોગિક વસાહતો, રહેણાંક વિસ્તારોની આસપાસ આ ડ્રગ્સનું વેચાણ કરનારા, ગેરકાયદેસર નશાકારક દવાઓ, અથવા પદાર્થોની હેરાફેરી કરનારા અથવા તો તેના જથ્થાનો સંગ્રહ કરે તેવા વ્યક્તિની જાણ આ ટોલ ફ્રી નંબર 1908 પર કરી શકાશે. CID ક્રાઈમને ટોલ ફ્રી નંબર પર માહિતી આપનારા વ્યક્તિની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. માહિતી આપનાર ઈસમની માહિતી ના આધારે ગુન્હાખોરી અટકાવવા મા મદદરૂપ થનાર ઈસમને યોગ્ય ઇનામ પણ સરકાર દ્વાર આપવામા આવશે. તેવી માહિતી મળી રહી છે.

સંબંધિત પોસ્ટ

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

લીમખેડા તાલુકાના વલુંડી ગામે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ પીકઅપ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં પીકઅપ માં સવાર ત્રણ વ્યકિતઓ ઈજાગ્રસ્ત: એક આધેડ મુસાફરનું ઘટના સ્થળે મોત નિપજ્યુ

Panchayat Samachar24

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગારથી વંચિત: એમ.જે.સોલંકી એજન્સી દ્વારા પગાર મામલે હાથ ઉંચા કરતા કર્મચારીના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

Panchayat Samachar24