Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

  • માનગઢધામ ખાતે 75 મા આઝાદિકા અમૃત મહોત્સ અંતગર્ત વિરાટ ધઁમ સભા યોજાઇ ધર્મ સભા મા વીસ હજાર જેટલા લોકો ઉમટ્યા
  • મોટર સાયકલ દ્વારા માનગઢ સંદેશ યાત્રા નો મેસેજ પોહચાડવામા આવ્યો
  • Advertisement
  • ગુરુગોવિદ ધર્મને બચાવનાર રુક્ષા કરનાર હતા એટલે આજે તેઓ પુજાય છે -ઇન્દ્રેશજી રાષ્ટ્રીય કાર્યકારીણી સભ્ય
દાહોદ તા.03
આઝાદિ કા 75 માં અમૃત અંતગર્ત આજ રોજ માનગઢધામ ખાતે આઝાદિકા અમૃત મહોત્સવ ને લઇને વિરાટ ધર્મસભા યોજાઈ હતી, જેમા ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ માંથી મોટી સંખ્યા મા સંતો મંહતો ઉપસ્થિત થયા હતા,  ત્રણેય રાજ્યોના બાંસવાડા, ડુંગરપુર ,દાહોદ ,મહિસાગર,પંચમહાલ,ઝાબુઆ સહિતના વિવિધ જીલ્લાઓ માથી આઝાદિ કા અમૃત મહોત્સવ અંતગર્ત 7500 બાઇક ચાલકોએ બાઇક રેલી કાઢી માનગઢધામ સંદેશ યાત્રા મા જોડાયા હતા માનગઢ ધામ ખાતે વીસ હજાર કરતા પણ વધુ લોકો વિરાટ ધર્મસભા મા જોડાયા હતા.

માનગઢધામ સંદેશ યાત્રામા રાષ્ટ્રીય અખિલ ભારતીય કાયઁકારીણી(આર એસ એસ) ના સભ્ય ઇન્દ્રેશજી આવી પહોચ્યા હતા, ઇન્દ્રેશજી ની અધ્યક્ષતા મા એક વિરાટ ધર્મસભા યોજાઇ હતી આ ધર્મસભા મા વનવાસી કલ્યાણ પરિસદના અધ્યક્ષ રામચંન્દ્ર ખરાડી, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુંબેરભાઇ ડીડોર, ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, બાંસવાડાના સાંસદ કનકમલ કટારા, પૂર્વ મંત્રી સુશીલ કટારા, પૂર્વ મંત્રી ધનસિંહ રાવત, માજી સાસદ માનશંકર નિનામા, ગઢી પરતાપુરના ધારાસભ્ય કૈલાશ મીણા, દાહોદ જિલ્લા ભાજપના અધ્યક્ષ શંકરભાઈ અમલિયાર, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી રાહુલભાઈ રાવત, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ કુષ્ણાબેન કટારા, સહિત મોટી સંખ્યા મા સંતો મંહતો લોકો અને આર એસ એસ ના સ્વંય સ્વેકો હાજર રહ્યા હતા વિરાટ ધર્મસભા મા સ્ટેજ પર સંતો મંહતો સહિત રાષ્ટ્રીય કાયઁકારીણીના સભ્યો જ મંચ બેઠા હતા.
ત્યારે ગુજરાત રાજસ્થાન,ના ચાલુ સરકાર ના મંત્રીઓ, ધારાસભ્યો અનુસાશન ના ભાગરુપે વિરાટ ધર્મસભા મા આમ જનતાની સાથે બેસી રાષ્ટ્રીય સભ્ય ઇન્દ્રેશજી નુ વ્યકતવ્ય સાંભળયુ હતુ રાષ્ટ્રીય કાયઁકારીના સભ્ય ઇન્દ્રેશજીએ હજારો લોકો ને સંબોધીને જણાવ્યુ હતુ ગુરુગોંવિદે ધઁમ ને બચાવ્યો છે ધઁમની રક્ષા કરી છે લોકોને ગુરુગોંવિદે સદમાગઁ બતાવ્યો છે સમાજને સુધારયો છે ગુરુ ગોવિદની ધરતી પરથી રેભુરેટીયા નહી માનુરે નહી માનુ નુ ગીત નારો બોલાવી લોકો ને દારુના વ્યસનમા ન પડવા દારુ થી દૂર રહી ગરીબી અત્યાચા થી દુર રહેવા કહ્યુ હતુ સાથે દેશ ને હરિયાળુ સ્વચ્છ ભારત બનાવવાનો મંત્ર લોકો ને લેવડાવ્યો હતો, સભામા ભારત માતાકી જય વંદે માતરમ ના નાંદ સાથે ગુજી ઉઠ્યુ હતુ.
મેનેજીંગ એડિટર, મયુર રાઠોડ

સંબંધિત પોસ્ટ

ફતેપુરાની ગઢરા પ્રાથમિક શાળામા સલરા જીલ્લા પંચાયત સીટના સભ્ય શાંતાબેન પારગીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

Panchayat Samachar24

લીમખેડામાં ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ: 24 કલાક ડિલિવરી સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ

Panchayat Samachar24

દાહોદ કલેક્ટરે ઝાયડસ હોસ્પિટલની લીધી મુલાકાત: કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના પૂછ્યા ખબર અંતર: ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની સેવાને કલેક્ટરે બિરદાવી

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત મંથરગતિએ ચાલતા કામોના કારણે શહેરીજનો ત્રાહિમામ: શહેરના બિસ્માર રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓથી પીડાતા શહેરીજનો

Panchayat Samachar24