Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયત ના સરપંચે રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા ખળભળાટ

રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું

  • મારગાળાના સરપંચને હોદા પરથી દૂર કરવા જીલ્લા વિકાસ અધિકારીએ કર્યો હુકમ
  • મારગાળા ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ ઉપસરપંચ સંભાળશે
  • Advertisement

ફત્તેપુરા તાલુકાના મારગાળા ગામ પંચાયતમાં વર્ષ ૨૦૧૭ થી ભુરસિંગ ભાઈ રામસિંગભાઈ ભાભોર સરપંચ તરીકે કાર્યરત હતા . ગત એક વર્ષથી નાણાપંચના નાણાંનો સરપંચ દ્વારા દુરુપયોગ કરવામાં આવતો હોવા બાબતે ડેપ્યુટી સરપંચ નીરૂબેન દ્વારા સ્થાનિક થી લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી . જેની તપાસ માટે સંયુક્ત ટીમની રચના કરી મારગાળા ગામ પંચાયતની ૧૩ માં તથા ૧૪ માં નાણાપંચના નાણાંની તપાસ કરવામાં આવી હતી .તપાસ ટીમ દ્વારા આમુખ -૫ મુજબ મારગાળા ગામ પંચાયતના ભણચાર બાબતનો વિગતવાર અહેવાલ ગામ પંચાયતના રોજમેળ , ચેકબુક , ચૂકવવાના વાઉચર તેમજ ગામ પંચાયતના બેન્ક સ્ટેટમેન્ટ મુજબ ચકાસણી કરતા વ્યક્તિગત ચુકવેલ ચેકો ધ્યાને આવેલ હતા . રૂપિયા -૨૪,૬૨,૬૮૦ અને ૧૬.૮૦ લાખ લાખ જેટલી માતબર ૨ કમ થવા જાય છે . જોકે આ નાણાનો મોટાભાગે સરપંચ દ્વારા તેના પુત્રના તથા તેના મળતિયા લોકોના નામે ઉપાડી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવવા પામ્યું હતું . તપાસ દરમિયાન સરપંચ ઉપર કરવામાં આવેલા આક્ષેપો સામે કોઈ સચોટ પુરાવા ઊભા કરી શકેલ ન હોય તેમજ સંતોષકારક જવાબ રજુ કરેલ ન હોય ગુજરાત ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ પ ૭ ની પેટા કલમ -૧ ની જોગવાઈમાં થયેલ મૂળભૂત જોગવાઈ મુજબ સરપંચ ભુરસિંગભાઈ રામસિંગભાઈ ભાભોર પોતાની ફ્રજો બજાવવામાં કસૂરવાર હોય સરપંચના હોદ્દા ઉપર ચાલુ રાખવા ન્યાયોચિત ન હોવાથી દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ૨૨ એપ્રિલ ૨૦૨૧ ના રોજ કાયદાકીય રીતે મળેલ સત્તા અને અધિકારની રૂઇએ હોદ્દા ઉપરથી દૂર કરવા અને મારગાળા ગામ પંચાયત સરપંચ તરીકેનો ચાર્જ ઉપસરપંચને સુપ્રત કરવા હુકમ કરાયો હોવાનું જાણવા મળે

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ

Panchayat Samachar24

કોરોના સામે વેક્સિન રામબાણ ઉપાય: વેક્સિનના બંને ડોઝ લેનારા સંજીવભાઇએ કોરોના સંક્રમિત માતાની સેવા કરી પરંતુ કોરોના સ્પર્શયો પણ નહી

Panchayat Samachar24

ભાજપ હાઈકમાન્ડ દાહોદ જિલ્લાને આપી શકે મોટી રાજકીય ભેટ, અનિલભાઈ શાહનું નામ રાજ્યસભા માટે સૌથી વધુ ચર્ચામાં, સોશિયલ મીડિયા પર સમર્થનમાં પોસ્ટરો વાયરલ

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

Panchayat Samachar24

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

Panchayat Samachar24

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24