Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયત ના સરપંચે રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા ખળભળાટ

રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું

  • મારગાળાના સરપંચને હોદા પરથી દૂર કરવા જીલ્લા વિકાસ અધિકારીએ કર્યો હુકમ
  • મારગાળા ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ ઉપસરપંચ સંભાળશે
  • Advertisement

ફત્તેપુરા તાલુકાના મારગાળા ગામ પંચાયતમાં વર્ષ ૨૦૧૭ થી ભુરસિંગ ભાઈ રામસિંગભાઈ ભાભોર સરપંચ તરીકે કાર્યરત હતા . ગત એક વર્ષથી નાણાપંચના નાણાંનો સરપંચ દ્વારા દુરુપયોગ કરવામાં આવતો હોવા બાબતે ડેપ્યુટી સરપંચ નીરૂબેન દ્વારા સ્થાનિક થી લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી . જેની તપાસ માટે સંયુક્ત ટીમની રચના કરી મારગાળા ગામ પંચાયતની ૧૩ માં તથા ૧૪ માં નાણાપંચના નાણાંની તપાસ કરવામાં આવી હતી .તપાસ ટીમ દ્વારા આમુખ -૫ મુજબ મારગાળા ગામ પંચાયતના ભણચાર બાબતનો વિગતવાર અહેવાલ ગામ પંચાયતના રોજમેળ , ચેકબુક , ચૂકવવાના વાઉચર તેમજ ગામ પંચાયતના બેન્ક સ્ટેટમેન્ટ મુજબ ચકાસણી કરતા વ્યક્તિગત ચુકવેલ ચેકો ધ્યાને આવેલ હતા . રૂપિયા -૨૪,૬૨,૬૮૦ અને ૧૬.૮૦ લાખ લાખ જેટલી માતબર ૨ કમ થવા જાય છે . જોકે આ નાણાનો મોટાભાગે સરપંચ દ્વારા તેના પુત્રના તથા તેના મળતિયા લોકોના નામે ઉપાડી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવવા પામ્યું હતું . તપાસ દરમિયાન સરપંચ ઉપર કરવામાં આવેલા આક્ષેપો સામે કોઈ સચોટ પુરાવા ઊભા કરી શકેલ ન હોય તેમજ સંતોષકારક જવાબ રજુ કરેલ ન હોય ગુજરાત ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ પ ૭ ની પેટા કલમ -૧ ની જોગવાઈમાં થયેલ મૂળભૂત જોગવાઈ મુજબ સરપંચ ભુરસિંગભાઈ રામસિંગભાઈ ભાભોર પોતાની ફ્રજો બજાવવામાં કસૂરવાર હોય સરપંચના હોદ્દા ઉપર ચાલુ રાખવા ન્યાયોચિત ન હોવાથી દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ૨૨ એપ્રિલ ૨૦૨૧ ના રોજ કાયદાકીય રીતે મળેલ સત્તા અને અધિકારની રૂઇએ હોદ્દા ઉપરથી દૂર કરવા અને મારગાળા ગામ પંચાયત સરપંચ તરીકેનો ચાર્જ ઉપસરપંચને સુપ્રત કરવા હુકમ કરાયો હોવાનું જાણવા મળે

સંબંધિત પોસ્ટ

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Panchayat Samachar24

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

Panchayat Samachar24

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

Panchayat Samachar24

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24