Panchayat Samachar24
Breaking News
ગરબાડાતાજા સમાચાર

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

  • ગોડાઉન માંથી કીડા પડેલા એક્સપાયર્ડ થયેલા બાળભોગ ના 200 પેકેટ મળી આવ્યા
  • આંગણવાડી વિભાગની ઘોર બેદરકારી સામે આવી
  • Advertisement
  • બાળકોને આપવાના પેકેટ એક્સપાયર્ડ થતા ICDS ની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ

 

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.10

 

દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ અધિકારી ની કચેરીના આંગણવાડીઓના ગોડાઉન માંથી વિવિધ યોજના ના પેકેટ ના 20 જેટલા થેલા મળી આવ્યા હતા, આ થેલાઓ મા રહેલા પેકેટોની ચકાસણી કરતા આંગણવાડી કેન્દ્રો પર બાળકો, કિશોરીઓ તેમજ ધાત્રી માતા અને સગર્ભા મહિલાઓ ને પુરતુ પોષણ મળી રહે તે માટે આપવામાં આવતાં બાલશક્તિ, પૂર્ણ શક્તિ અને માતૃશક્તિના એક્સપાયર્ડ થયેલા 200 જેટલા પેકેટ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગરબાડા તાલુકાની આંગણવાડી ના ગોડાઉન માંથી મળી આવેલા 200 જેટલા પેકેટ અલગ-અલગ મહિનામા એક્સપાયર્ડ થયેલા હોવાનું સામે આવ્યુ હતું. સરકાર દ્વારા ફાળવવામાં આવતો આંગણવાડીઓના બાળકોને આપવાનો જથ્થો બાળકોને નહીં આપી ગોડાઉન માં જ રાખી મુકતા તે નકામો બન્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ઘટક 1 અને ઘટક 2 માં અંદાજિત 50થી વધુ આંગણવાડી આવેલી છે. આંગણવાડીઓ પર બાળકો માટે જે તૈયાર નાસ્તા ના પેકેટ આપવામાં આવે છે તે એજન્સી દ્વારા પહોંચાડવા મા આવે છે. ગરબાડા તાલુકાની આંગણવાડીઓના ગોડાઉન માંથી 20 જેટલા થેલા મળી આવ્યા હતાં. તેમાં તપાસ કરતા આંગણવાડીના બાળકોને પોષણયુ્ક્ત બનાવવા માટે આપવામાં આવતાં બાલશક્તિ,માતૃશક્તિ,પૂર્ણ શક્તિ નાસ્તાના 200 પેકેટ એક્સપાયર્ડ થયેલી તારીખ વાળા મળી આવ્યા હતાં. એક્સપાયર્ડ થયેલી થેલા માથી પેકેટ કાઢી તપાસ કરતા કેટલાક પેકેટ મા તો કીડા પડી ગયેલા જોવા મળ્યા હતાં. પરંતુ અહિયા સવાલ એ છે કે, સરકાર દ્વારા ફાળવેલ જથ્થો એક્સપાયર્ડ થયો ત્યા સુધી કેમ રાખી મુકવામા આવ્યો? કેમ તેને આંગણવાડીઓ સુધી સમયસર પહોચાડવામા ના આવ્યો? તેવા અનેક સવાલો icds ની કામગીરી સામે ઉઠ્યા છે, સમયફર જે તે વખતે એજન્સી દ્વારા આંગણવાડીઓ પર આ નાસ્તાના પેકેટ સપ્લાય નહીં કરીને બાળકોને નાસતા થી વંચિત રખાયા હોવાની હકીકત સામે આવી રહી છે. જેના કારણે જીલ્લા સહિત તાલુકાના બાળકો કુપોષણ થી પીડાઈ રહ્યા છે, ત્યારે આ સમગ્ર પ્રકરણની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામા આવે તો જ સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

Panchayat Samachar24