Panchayat Samachar24
Breaking News
ગરબાડાતાજા સમાચાર

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

  • ગોડાઉન માંથી કીડા પડેલા એક્સપાયર્ડ થયેલા બાળભોગ ના 200 પેકેટ મળી આવ્યા
  • આંગણવાડી વિભાગની ઘોર બેદરકારી સામે આવી
  • Advertisement
  • બાળકોને આપવાના પેકેટ એક્સપાયર્ડ થતા ICDS ની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ

 

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.10

 

દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ અધિકારી ની કચેરીના આંગણવાડીઓના ગોડાઉન માંથી વિવિધ યોજના ના પેકેટ ના 20 જેટલા થેલા મળી આવ્યા હતા, આ થેલાઓ મા રહેલા પેકેટોની ચકાસણી કરતા આંગણવાડી કેન્દ્રો પર બાળકો, કિશોરીઓ તેમજ ધાત્રી માતા અને સગર્ભા મહિલાઓ ને પુરતુ પોષણ મળી રહે તે માટે આપવામાં આવતાં બાલશક્તિ, પૂર્ણ શક્તિ અને માતૃશક્તિના એક્સપાયર્ડ થયેલા 200 જેટલા પેકેટ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગરબાડા તાલુકાની આંગણવાડી ના ગોડાઉન માંથી મળી આવેલા 200 જેટલા પેકેટ અલગ-અલગ મહિનામા એક્સપાયર્ડ થયેલા હોવાનું સામે આવ્યુ હતું. સરકાર દ્વારા ફાળવવામાં આવતો આંગણવાડીઓના બાળકોને આપવાનો જથ્થો બાળકોને નહીં આપી ગોડાઉન માં જ રાખી મુકતા તે નકામો બન્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ઘટક 1 અને ઘટક 2 માં અંદાજિત 50થી વધુ આંગણવાડી આવેલી છે. આંગણવાડીઓ પર બાળકો માટે જે તૈયાર નાસ્તા ના પેકેટ આપવામાં આવે છે તે એજન્સી દ્વારા પહોંચાડવા મા આવે છે. ગરબાડા તાલુકાની આંગણવાડીઓના ગોડાઉન માંથી 20 જેટલા થેલા મળી આવ્યા હતાં. તેમાં તપાસ કરતા આંગણવાડીના બાળકોને પોષણયુ્ક્ત બનાવવા માટે આપવામાં આવતાં બાલશક્તિ,માતૃશક્તિ,પૂર્ણ શક્તિ નાસ્તાના 200 પેકેટ એક્સપાયર્ડ થયેલી તારીખ વાળા મળી આવ્યા હતાં. એક્સપાયર્ડ થયેલી થેલા માથી પેકેટ કાઢી તપાસ કરતા કેટલાક પેકેટ મા તો કીડા પડી ગયેલા જોવા મળ્યા હતાં. પરંતુ અહિયા સવાલ એ છે કે, સરકાર દ્વારા ફાળવેલ જથ્થો એક્સપાયર્ડ થયો ત્યા સુધી કેમ રાખી મુકવામા આવ્યો? કેમ તેને આંગણવાડીઓ સુધી સમયસર પહોચાડવામા ના આવ્યો? તેવા અનેક સવાલો icds ની કામગીરી સામે ઉઠ્યા છે, સમયફર જે તે વખતે એજન્સી દ્વારા આંગણવાડીઓ પર આ નાસ્તાના પેકેટ સપ્લાય નહીં કરીને બાળકોને નાસતા થી વંચિત રખાયા હોવાની હકીકત સામે આવી રહી છે. જેના કારણે જીલ્લા સહિત તાલુકાના બાળકો કુપોષણ થી પીડાઈ રહ્યા છે, ત્યારે આ સમગ્ર પ્રકરણની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામા આવે તો જ સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

Panchayat Samachar24

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા

Panchayat Samachar24

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

Panchayat Samachar24

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24