Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

કોરોના સંક્રમણ માંથી સારવાર લઈને સાજા થયેલા દર્દીઓનું મૃત્યુ થવાનું કે તેમને અન્ય કોઈ ગંભીર બિમારી થવાનો ખતરો હોય છે તેમ વોશિંગ્ટન યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે . સાજા થયેલા દર્દીઓને ૬ મહિના સુધી આવા જોખમોનો સામનો કરવાની વધુ નોબત આવી છે . આવા જોખમી લોકોમાં એવા લોકોનો પણ સમાવેશ થઈ જાય છે કે જેમને કોરોનાનું સંક્રમણ થયું હોય પણ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન પડી હોય . કોરોનાનાં અત્યાર સુધી કરાયેલા અભ્યાસમાં આ ગંભીર બાબત સામે આવી છે . નેચર પત્રિકામાં આ અભ્યાસ પ્રસિધ્ધ કરાયો છે જેમાં એવું જણાવાયું છે કે આવનારા કેટલાક વર્ષો સુધી વિશ્વની વસ્તી ઉપર કોરોનાની બિમારીનો બોજ પડવાનું ચાલુ રહેશે . અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીનાં સ્કુલ ઓફ મેડિસિનનાં રિસર્ચર્સ દ્વારા કોરોના સાથે સંલગ્ન બિમારીઓની એક યાદી બનાવવામાં આવી છે જેમાં કોરોના પછી થનારી બિમારીનો ઉલ્લેખ કરાયો છે .

કોરોના શરીરનાં તમામ અંગોને પ્રભાવિત કરે છે

અભ્યાસમાં જણાવાયું છે કે કોરોનામાં પહેલા શ્વાસને લગતી બિમારી શરૂ થાય છે પણ પછી તે શરીરનાં તમામ અંગોને પ્રભાવિત કરે છે . આ અભ્યાસમાં કોરોનાનાં 87 હજાર દર્દીઓ તેમજ 50ઝ લાખ અન્ય દર્દીઓ કે જેઓ કોરોનામાંથી સાજા થયા હતા તેમનો અભ્યાસ કરાયો હતો . અભ્યાસનાં મુખ્ય લેખક પ્રો . ઝિયાદ અલ અલીએ કહ્યું હતું કે રોગની ખબર પડયા પછી ૬ મહિના બાદ પણ કોરોનાનાં મામૂલી કેસમાં મોતનું જોખમ ઓછું થતું નથી . અન્ય બિમારીની ગંભીરતા વધી જાય છે . ડોકટરોએ આવા દર્દીઓની લાંબા સમય સુધી સારવાર કરવી જોઈએ કે દેખભાળ રાખવી જોઈએ .

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકામાં ૧૫-માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પુર્ણ થયેલા વિકાસ કામોના બીલોના નાણાંની ચુકવણીમાં વિલંબ કરવા મા આવતા સરપંચોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો: કામોની ચકાસણી કરી બીલો ચુકવવા માંગ

લીમખેડામાં ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ: 24 કલાક ડિલિવરી સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા

Panchayat Samachar24

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

Panchayat Samachar24

​​​​​​​દાહોદમાં કોરોનાથી સ્થિતિ વધુ ન વણસે તે માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરતા નગરપાલીકાના પ્રમુખ રીના પંચાલ

Panchayat Samachar24

ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમા વાંદરીયા પુર્વ પ્રાથમીક શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો: સગીર વયના એક આરોપી સહિત છ આરોપીઓની ચોરીના મુદામાલ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24