Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

કોરોના સંક્રમણ માંથી સારવાર લઈને સાજા થયેલા દર્દીઓનું મૃત્યુ થવાનું કે તેમને અન્ય કોઈ ગંભીર બિમારી થવાનો ખતરો હોય છે તેમ વોશિંગ્ટન યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે . સાજા થયેલા દર્દીઓને ૬ મહિના સુધી આવા જોખમોનો સામનો કરવાની વધુ નોબત આવી છે . આવા જોખમી લોકોમાં એવા લોકોનો પણ સમાવેશ થઈ જાય છે કે જેમને કોરોનાનું સંક્રમણ થયું હોય પણ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન પડી હોય . કોરોનાનાં અત્યાર સુધી કરાયેલા અભ્યાસમાં આ ગંભીર બાબત સામે આવી છે . નેચર પત્રિકામાં આ અભ્યાસ પ્રસિધ્ધ કરાયો છે જેમાં એવું જણાવાયું છે કે આવનારા કેટલાક વર્ષો સુધી વિશ્વની વસ્તી ઉપર કોરોનાની બિમારીનો બોજ પડવાનું ચાલુ રહેશે . અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીનાં સ્કુલ ઓફ મેડિસિનનાં રિસર્ચર્સ દ્વારા કોરોના સાથે સંલગ્ન બિમારીઓની એક યાદી બનાવવામાં આવી છે જેમાં કોરોના પછી થનારી બિમારીનો ઉલ્લેખ કરાયો છે .

કોરોના શરીરનાં તમામ અંગોને પ્રભાવિત કરે છે

અભ્યાસમાં જણાવાયું છે કે કોરોનામાં પહેલા શ્વાસને લગતી બિમારી શરૂ થાય છે પણ પછી તે શરીરનાં તમામ અંગોને પ્રભાવિત કરે છે . આ અભ્યાસમાં કોરોનાનાં 87 હજાર દર્દીઓ તેમજ 50ઝ લાખ અન્ય દર્દીઓ કે જેઓ કોરોનામાંથી સાજા થયા હતા તેમનો અભ્યાસ કરાયો હતો . અભ્યાસનાં મુખ્ય લેખક પ્રો . ઝિયાદ અલ અલીએ કહ્યું હતું કે રોગની ખબર પડયા પછી ૬ મહિના બાદ પણ કોરોનાનાં મામૂલી કેસમાં મોતનું જોખમ ઓછું થતું નથી . અન્ય બિમારીની ગંભીરતા વધી જાય છે . ડોકટરોએ આવા દર્દીઓની લાંબા સમય સુધી સારવાર કરવી જોઈએ કે દેખભાળ રાખવી જોઈએ .

સંબંધિત પોસ્ટ

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

Admin

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

Panchayat Samachar24

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

દાહોદ LCBએ રેલવે પાટા-સ્લીપાટ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: પોલીસે રેલ્વેના 3020 કિલો પાટા-સ્લીપાટ મળી કુલ 6.74 લાખનો મુદ્દામાલ જપ્ત: 4 યુવકોની ધરપકડ

Panchayat Samachar24