Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

કોરોના સંક્રમણ માંથી સારવાર લઈને સાજા થયેલા દર્દીઓનું મૃત્યુ થવાનું કે તેમને અન્ય કોઈ ગંભીર બિમારી થવાનો ખતરો હોય છે તેમ વોશિંગ્ટન યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે . સાજા થયેલા દર્દીઓને ૬ મહિના સુધી આવા જોખમોનો સામનો કરવાની વધુ નોબત આવી છે . આવા જોખમી લોકોમાં એવા લોકોનો પણ સમાવેશ થઈ જાય છે કે જેમને કોરોનાનું સંક્રમણ થયું હોય પણ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન પડી હોય . કોરોનાનાં અત્યાર સુધી કરાયેલા અભ્યાસમાં આ ગંભીર બાબત સામે આવી છે . નેચર પત્રિકામાં આ અભ્યાસ પ્રસિધ્ધ કરાયો છે જેમાં એવું જણાવાયું છે કે આવનારા કેટલાક વર્ષો સુધી વિશ્વની વસ્તી ઉપર કોરોનાની બિમારીનો બોજ પડવાનું ચાલુ રહેશે . અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીનાં સ્કુલ ઓફ મેડિસિનનાં રિસર્ચર્સ દ્વારા કોરોના સાથે સંલગ્ન બિમારીઓની એક યાદી બનાવવામાં આવી છે જેમાં કોરોના પછી થનારી બિમારીનો ઉલ્લેખ કરાયો છે .

કોરોના શરીરનાં તમામ અંગોને પ્રભાવિત કરે છે

અભ્યાસમાં જણાવાયું છે કે કોરોનામાં પહેલા શ્વાસને લગતી બિમારી શરૂ થાય છે પણ પછી તે શરીરનાં તમામ અંગોને પ્રભાવિત કરે છે . આ અભ્યાસમાં કોરોનાનાં 87 હજાર દર્દીઓ તેમજ 50ઝ લાખ અન્ય દર્દીઓ કે જેઓ કોરોનામાંથી સાજા થયા હતા તેમનો અભ્યાસ કરાયો હતો . અભ્યાસનાં મુખ્ય લેખક પ્રો . ઝિયાદ અલ અલીએ કહ્યું હતું કે રોગની ખબર પડયા પછી ૬ મહિના બાદ પણ કોરોનાનાં મામૂલી કેસમાં મોતનું જોખમ ઓછું થતું નથી . અન્ય બિમારીની ગંભીરતા વધી જાય છે . ડોકટરોએ આવા દર્દીઓની લાંબા સમય સુધી સારવાર કરવી જોઈએ કે દેખભાળ રાખવી જોઈએ .

સંબંધિત પોસ્ટ

ફતેપુરાની ગઢરા પ્રાથમિક શાળામા સલરા જીલ્લા પંચાયત સીટના સભ્ય શાંતાબેન પારગીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

ફતેપુરામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય…ગ્રામજનો ત્રાહિમામ…ગ્રામ પંચાયત તંત્ર નિદ્રાધીન

Panchayat Samachar24