Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારફતેપુરા

ફતેપુરા નગર મા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા તંત્ર નિષ્ફળ: તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

  • ફતેપુરા તાલુકા ના મુખ્ય મંથકે કરોડો રૂપિયા ની જગ્યા ઓ પચાવી પાડી ગેરકાયદેસર બાંધકામ કરતા ખાનગી જમીન માલીકો ને છુટોદોર
  • ફતેપુરા ગ્રામપંચાયત, સરકારી તંત્ર ની રહેમ નજર હેઠળ જમીન માફીયા ઓને ધી કેળા
  • Advertisement
  • સરકારી માપણી કરતા વિભાગોની માપણી પણ શંકાના દાયરામા

ફતેપુરા તાલુકા માં દિન પ્રતિ દિન જમીન માફીયાઓ એ માથું ઉચકયુ છે ફતેપુરા ગ્રામપંચાયત થી લઇને તાલુકા પંચાયત મામલતદાર કચેરી સહિત જીલ્લા ના અધિકારીઓ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વો સામે કાયઁવાહી ન કરતા ખાનગી જમીન માલીકો ને મોકળું મેદાન મળ્યુ છે ફતેપુરા માં છેલ્લા છ મહિના માં કરોડો રૂપિયા ની સરકારી જમીનો માં ગેરકાયદેસર બાંધકામો થવા પામ્યા છે ત્યારે સરકારી તંત્ર દેખતી આંખે આંખ આડાકાન કરી રહ્યું છે જેને લઇને અધિકારી ઓની કામગીરી પણ શંકાના દાયરામા આવી છે ફતેપુરા મામલતદાર કચેરી ના મેઇન ગેટ નજીક સરકારી જગ્યા મા ખાનગી જમીન માલીકે પોતાની જગ્યા ની સાથે સાથે સરકારી જગ્યા નો ખરાપો ખોદી ગેરકાયદેસર બાંધકામ કરી બે માળ નુ કોમ્પલેક્ષ બનાવી કરોડો રૂપિયા ની જમીન પચાવી ભષ્ટ્રાચાર આચરયો છે તેની જ સામે આવેલ વષો જુના પાણીના નાળા પર ખાનગી જમીન માલીક દ્વારા વીસ ફુટની પોતાની જગ્યા પર ચાલીસ ફુટ જેટલી જગ્યા દબાવી કરોડો રૂપિયા ની જગ્યા ચાઉં કરવામાં આવી છે ફતેપુરા ના ગ્રામતળ વિસ્તાર સહિત નજીક મા આવેલ સરકારી ખરાપાઓ માં લોકો દ્વારા બે ફામ ડુંગરાઓ ખોદી સરકારી જગ્યાઓ સરખી કરી મકાનો બાંધવામાં આવી રહ્યા છે ત્યારે હાલ મા જ બે દિવસ અગાઉ રાત્રિના સમયે ફતેપુરા નગર માં આવેલ વષોજુના તળાવની પાળ ખાનગી જમીન માલીક દ્વારા તોડી પાડી સરકારી પાળ ની જગ્યા સરખી કરી પચાવી પાડવાનો પ્રયાસ કરાયો છે તંત્ર દ્વારા સરકારી જગ્યાઓ મા ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વો ને વોરનીગ આપી, નોટીસ આપી સંતોષ માણવામા આવે છે પરંતુ કડક કાયઁવાહી કરાતી નથી જમીન ની માપણી પણ સરકારી વિભાગો દ્વારા ખોટી કરી ખાનગી જમીન માલીકો ને ફાયદો કરાતો હોવાનો ગામ લોકો બળાપો કરી રહ્યા છે ફતેપુરા માં સરકારી તંત્ર ની રહેમ નજરને લઇને લોકો સરકાર પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે તંત્ર દ્વારા જમીન માફીયા ઓ વિરુદ્ધ કડક હાથે કાયઁવાહી ન કરાતા ફતેપુરા તાલુકા ના લોકો સરકાર પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત મંથરગતિએ ચાલતા કામોના કારણે શહેરીજનો ત્રાહિમામ: શહેરના બિસ્માર રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓથી પીડાતા શહેરીજનો

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

દાહોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૨૦ નવા યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા: કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિતિ રહ્યા

Panchayat Samachar24

ગુજરાત સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડે દાહોદ જિલ્લામાં કોરોના વેક્સીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24