Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારફતેપુરા

ફતેપુરા નગર મા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા તંત્ર નિષ્ફળ: તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

  • ફતેપુરા તાલુકા ના મુખ્ય મંથકે કરોડો રૂપિયા ની જગ્યા ઓ પચાવી પાડી ગેરકાયદેસર બાંધકામ કરતા ખાનગી જમીન માલીકો ને છુટોદોર
  • ફતેપુરા ગ્રામપંચાયત, સરકારી તંત્ર ની રહેમ નજર હેઠળ જમીન માફીયા ઓને ધી કેળા
  • Advertisement
  • સરકારી માપણી કરતા વિભાગોની માપણી પણ શંકાના દાયરામા

ફતેપુરા તાલુકા માં દિન પ્રતિ દિન જમીન માફીયાઓ એ માથું ઉચકયુ છે ફતેપુરા ગ્રામપંચાયત થી લઇને તાલુકા પંચાયત મામલતદાર કચેરી સહિત જીલ્લા ના અધિકારીઓ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વો સામે કાયઁવાહી ન કરતા ખાનગી જમીન માલીકો ને મોકળું મેદાન મળ્યુ છે ફતેપુરા માં છેલ્લા છ મહિના માં કરોડો રૂપિયા ની સરકારી જમીનો માં ગેરકાયદેસર બાંધકામો થવા પામ્યા છે ત્યારે સરકારી તંત્ર દેખતી આંખે આંખ આડાકાન કરી રહ્યું છે જેને લઇને અધિકારી ઓની કામગીરી પણ શંકાના દાયરામા આવી છે ફતેપુરા મામલતદાર કચેરી ના મેઇન ગેટ નજીક સરકારી જગ્યા મા ખાનગી જમીન માલીકે પોતાની જગ્યા ની સાથે સાથે સરકારી જગ્યા નો ખરાપો ખોદી ગેરકાયદેસર બાંધકામ કરી બે માળ નુ કોમ્પલેક્ષ બનાવી કરોડો રૂપિયા ની જમીન પચાવી ભષ્ટ્રાચાર આચરયો છે તેની જ સામે આવેલ વષો જુના પાણીના નાળા પર ખાનગી જમીન માલીક દ્વારા વીસ ફુટની પોતાની જગ્યા પર ચાલીસ ફુટ જેટલી જગ્યા દબાવી કરોડો રૂપિયા ની જગ્યા ચાઉં કરવામાં આવી છે ફતેપુરા ના ગ્રામતળ વિસ્તાર સહિત નજીક મા આવેલ સરકારી ખરાપાઓ માં લોકો દ્વારા બે ફામ ડુંગરાઓ ખોદી સરકારી જગ્યાઓ સરખી કરી મકાનો બાંધવામાં આવી રહ્યા છે ત્યારે હાલ મા જ બે દિવસ અગાઉ રાત્રિના સમયે ફતેપુરા નગર માં આવેલ વષોજુના તળાવની પાળ ખાનગી જમીન માલીક દ્વારા તોડી પાડી સરકારી પાળ ની જગ્યા સરખી કરી પચાવી પાડવાનો પ્રયાસ કરાયો છે તંત્ર દ્વારા સરકારી જગ્યાઓ મા ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વો ને વોરનીગ આપી, નોટીસ આપી સંતોષ માણવામા આવે છે પરંતુ કડક કાયઁવાહી કરાતી નથી જમીન ની માપણી પણ સરકારી વિભાગો દ્વારા ખોટી કરી ખાનગી જમીન માલીકો ને ફાયદો કરાતો હોવાનો ગામ લોકો બળાપો કરી રહ્યા છે ફતેપુરા માં સરકારી તંત્ર ની રહેમ નજરને લઇને લોકો સરકાર પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે તંત્ર દ્વારા જમીન માફીયા ઓ વિરુદ્ધ કડક હાથે કાયઁવાહી ન કરાતા ફતેપુરા તાલુકા ના લોકો સરકાર પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે

સંબંધિત પોસ્ટ

હવે 2000 રૂપિયાની નોટ 7 ઓક્ટોબર સુધી બદલી શકાશે: રિઝર્વ બેંકે મુદ્દતમા કર્યો વધારો

Panchayat Samachar24

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24

દાહોદ જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પુત્રને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો: સામાન્ય બાળકો સાથે ભણે છે આઈ.એ.એસ. અધિકારીનો પુત્ર

Panchayat Samachar24

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ જિલ્લામાં પત્રકારો સાથે પ્રેસ પરિસંવાદ યોજાશે

Panchayat Samachar24

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24