Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

  • ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

  • સરપંચ-તલાટી કમ મંત્રી દ્રારા દબાણ દુર કરાવવામા નહિ આવેતો કડક કાર્યવાહી કરાશે

  • Advertisement

ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી માલીકીની જમીનો પર ભૂ-માફિયાઓ દ્રારા ગેરકાયદેસર દબાણ કરી દેવાયા છે, જે દબાણો દૂર કરવા માટે ફતેપુરાના ગ્રામજનો દ્વારા અનેકવાર સ્થાનીક મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતો કરવામા આવી છે. અરજદારોની રજુઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહિ કરવા મા આવતા લોકમાં ભારે રોષ ફેલાયો હતો, છેલ્લા બે દિવસથી ફતેપુરા નગરના દબાણો બાબતે સોશિયલ મીડિયામાં સમાચારો ના મેસેજ વાયરલ થતાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક હરકતમા આવ્યા હતા અને તાત્કાલિક દબાણો દૂર કરી અહેવાલ મોકલવા ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી હતી. ગ્રામ્ય કક્ષાએ સરકારી જમીનની જાળવણી કરવાની જવાબદારી તલાટી કમ મંત્રી અને સરપંચ ની હોવા છતા ફતેપુરા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા દબાણો દુર કરવા કોઈ અસરકારક કાર્યવાહી નહિ કરવામા આવતા ગ્રામજનો મા પંચાયત ની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. ગ્રામ પંચાયત ને પંચાયત ધારો -૧૯૯૩ ની કલમ- ૧૦૫ – અન્વયે દબાણો દુર કરવાની સત્તાઓ સરકાર દ્વારા ગ્રામ પંચાયતને સોપેલ છે. પંચાયત ગેરકાયદેસર થયેલ દબાણો દુર કરવામા નિષ્ફળ જાય તો ગ્રામ પંચાયત ના સરપંચ અને તલાટી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જોગવાઇ પંચાયત ધારામા કરવામા આવી છે, ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામપંચાયતને નોટીસ આપી તાત્કાલિક દબાણ દુર કરી અહેવાલ સુપ્રત કરવા જણાવતા ભૂ-માફિયાઓ મા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

સંબંધિત પોસ્ટ

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24

લીમખેડા – ઝાલોદ હાઈવે પર મોટાહાથીધરા નજીક રાહદારી બે વિધાર્થીનીઓને ટ્રકે ટક્કર મારતા કરૂણ મોત: ટ્રકે બાઈકને ટક્કર મારતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત: રાજ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસે ઉચ્ચક દંડ વસુલાશે: ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. 500 અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. 1,000 નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે

Panchayat Samachar24

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી

Panchayat Samachar24

ફતેપુરા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની આશંકા!: અસ્તિત્વ વિનાના ડમ્પિંગ યાર્ડની સફાઈના નામે 41,000નું બિલ! નાગરિકોમાં તપાસની માંગ

Panchayat Samachar24