Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

  • ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

  • સરપંચ-તલાટી કમ મંત્રી દ્રારા દબાણ દુર કરાવવામા નહિ આવેતો કડક કાર્યવાહી કરાશે

  • Advertisement

ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી માલીકીની જમીનો પર ભૂ-માફિયાઓ દ્રારા ગેરકાયદેસર દબાણ કરી દેવાયા છે, જે દબાણો દૂર કરવા માટે ફતેપુરાના ગ્રામજનો દ્વારા અનેકવાર સ્થાનીક મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતો કરવામા આવી છે. અરજદારોની રજુઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહિ કરવા મા આવતા લોકમાં ભારે રોષ ફેલાયો હતો, છેલ્લા બે દિવસથી ફતેપુરા નગરના દબાણો બાબતે સોશિયલ મીડિયામાં સમાચારો ના મેસેજ વાયરલ થતાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક હરકતમા આવ્યા હતા અને તાત્કાલિક દબાણો દૂર કરી અહેવાલ મોકલવા ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી હતી. ગ્રામ્ય કક્ષાએ સરકારી જમીનની જાળવણી કરવાની જવાબદારી તલાટી કમ મંત્રી અને સરપંચ ની હોવા છતા ફતેપુરા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા દબાણો દુર કરવા કોઈ અસરકારક કાર્યવાહી નહિ કરવામા આવતા ગ્રામજનો મા પંચાયત ની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. ગ્રામ પંચાયત ને પંચાયત ધારો -૧૯૯૩ ની કલમ- ૧૦૫ – અન્વયે દબાણો દુર કરવાની સત્તાઓ સરકાર દ્વારા ગ્રામ પંચાયતને સોપેલ છે. પંચાયત ગેરકાયદેસર થયેલ દબાણો દુર કરવામા નિષ્ફળ જાય તો ગ્રામ પંચાયત ના સરપંચ અને તલાટી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જોગવાઇ પંચાયત ધારામા કરવામા આવી છે, ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામપંચાયતને નોટીસ આપી તાત્કાલિક દબાણ દુર કરી અહેવાલ સુપ્રત કરવા જણાવતા ભૂ-માફિયાઓ મા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

સંબંધિત પોસ્ટ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24

ફતેપુરા નગર મા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા તંત્ર નિષ્ફળ: તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત લીમખેડાની સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

Panchayat Samachar24