Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25-મી જુન થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી: તબીબોએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો

  • ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25-મી જુન થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી

  • તબીબોએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો

  • Advertisement

 

પંચાયત સમાચાર24 તા.20

ગુજરાત રાજ્ય ના  ઇન સર્વિસ તબીબો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, હાલમા જ તબીબો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ સરકાર સાથે વારંવાર બેઠક કરી હોવા છતાં સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં આવી ન હતી જેથી ઇન સર્વિસ તબીબ સંગઠન દ્વારા ૨૫ જુનથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે સરકાર ઇન સર્વિસ તબીબોની માંગણીઓ વિશે શુ નિર્ણય કરે છે તે જોવાનુ રહેશે.

  • ઇન-સર્વીસ તબીબ સંગઠન નો પત્ર

ગુજરાત રાજ્યમા ફરજ બજાવતા ઇન-સર્વીસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ  માટે ગુજરાત ઇન-સર્વીસ ડોકટર્સ એસોસીએશન દ્વારા સરકારશ્રીમાં વારંવાર ન્યાયી અને વ્યાજબીપણા સાથે રજુઆતો કરવામા આવેલ. ભુતકાળમાં આંદોલન દ્વારા સરકારશ્રીનુ ધ્યાન દોરવામા આવેલ ત્યારે સમાધાનના ભાગરુપે ઇન-સર્વીસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે ખાત્રીઓ આપવામાં આવેલ.

તાજેતરમાં મે માસમાં ઇન-સર્વીસ તબીબોએ તા.તા.10/05/2021 થી તા.15/05/2021 દરમ્યાન કાળી પટી ધારણ કરી વિરોધ પ્રદર્શીત કરવામા આવેલ તે દરમ્યાન પણ સરકારશ્રી દ્વારા કોઇ પણ જાતનો પ્રતિભાવ આપવામા આવેલ નહી. તા.17/05/2021 થી તા.22/05/2021 દરમ્યાનની ઇન-સર્વીસ તબીબોની પેન દાઉન હડતાલ દરમ્યાન તા.18/05/2021ની તાકીદની ઇન-સર્વીસ તબીબોની રાજ્યવ્યાપી હડતાલના અનુસંધાને તા.18/05/2021 ના રોજ મા.અગ્રસચિવ, આરોગ્ય અને પરિવાર વિભાગના અધ્યક્ષસ્થાને ઇન-સર્વીસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ  માટે બેઠક બોલાવવામાં આવેલ ત્યારે અધ્યક્ષસ્થાનેથી જણાવવામા આવેલ કે આદરણીય મુખ્ય મંત્રીશ્રીની સુચના છે કે ઇન-સર્વીસ તબીબોએ પ્રથમ કોરોના મહામારીથી લઇની હાલના બીજા કોરોના મહામારીમાં ખુબજ સરાહનીય કામગીરી કરેલ છે એટલે તેમના રાજુઆત પામેલ વ્યાજબી પ્રશ્નો અને માગણીનો ઉકેલ લાવવામા આવે. તેવીજ રીતે મા. નાયબ મુખ્યમત્રીશ્રી દ્વારા પણ Twitter Message દ્વારા જણાવવામા આવેલ કે આરોગ્ય કર્મચારીના પ્રશ્નો અને માગણીઓનો ઉકેલ આપવામા આવશે.

તા.31.05.2021 ના રોજ ફરીથી મા. અગ્રસચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધ્યક્ષસ્થાને ઇન-સર્વીસ તબીબોના પ્રશ્નો અને માગણીઓના ઉકેલ માટે સરકારશ્રીમાં બેઠક યોજાયેલ જેમા ઇન-સર્વીસ તબીબોના રજુઆત પામેલ પ્રશ્નો અને માગણીઓની ચર્ચા કરી નિર્ણયો લેવામા આવેલ અને અધ્યક્ષસ્થાનેથી જણાવવામા આવેલ કે  ટુક સમયમાં ઇન-સર્વીસ તબીબોના પ્રશ્નો અને માગણીઓના ઉકેલાત્મક આદેશો કરવામા આવશે પરંતુ આજદીન સુધી એક પણ આદેશ થયેલ નથી. જેથી ઇન-સર્વીસ તબીબોમાં રોસ અને આક્રોશ પ્રસરવા પામેલ છે તેમજ અન્યાયની લાગણી અનુભવે છે.

 તા.19/06/2021ના એસોસીએશન દ્વાર ઇન-સર્વીસ તબીબોની  ઓનલાઇન બેઠકમાં બોલાવવામાં આવેલ ઠરાવવામાં આવેલ છે કે ઇન-સર્વીસ તબીબોના પ્રશ્નો અને માગણીઓ માટે યોજાયેલ તા.31/05/2021ની બેઠકમાં થયેલ નિર્ણયોના અમલવારીના ન્યાયી આદેશો કરવામાં નહી આવે તો ઇન-સર્વીસ તબીબો તા.25/06/2021 ના રોજથી અચ્ચોક્કસ મુદતની હડતાલ પર જશે જેની સંપુર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે. સરકારશ્રી દ્વારા આદેશો આપવામાં આવશે ત્યાર બાદ જ ઇન-સર્વીસ તબીબો હડતાલ પરથી પરત આવશે.

તા.19/06/2021ના રોજની બેઠકમા થયેલ નિર્ણય મુજબ તમામ ઇન-સર્વીસ તબીબો તા.25/06/2021થી અચ્ચોક્કસ મુદતની હડતાલ પર જશે. ઉદભવનાર પરિસ્થિતી માટે ઇન-સર્વીસ તબીબો જવાબદાર રહેશે નહી.

સંબંધિત પોસ્ટ

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ

ધાનપુર તાલુકાના દુધામલી ગામે દીપડાને બાંધી પજવણી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ: ત્રણેય આરોપીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Panchayat Samachar24

15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી અપાશે કોરોના વેક્સિન: PM મોદી

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

આસામના ગંગાનગર ગામમા બની અજીબ ઘટના: બકરીએ મનુષ્ય જેવા દેખાતા બાળકને આપ્યો જન્મ, થોડા સમયમાં જ તોડી નાખ્યો દમ

Panchayat Samachar24