Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારરાષ્ટ્રીય

હવે 2000 રૂપિયાની નોટ 7 ઓક્ટોબર સુધી બદલી શકાશે: રિઝર્વ બેંકે મુદ્દતમા કર્યો વધારો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રુપિયા 2000ની નોટ બદલવાની સમયમર્યાદામા કર્યો વધારો
હવે 7 ઓક્ટોબર સુધી બદલી અથવા તો બેંકમાં જમા કરાવી શકાશે
અગાઉ 30 સપ્ટેમ્બર 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરાવવાની અંતિમ તારીખ હતી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટ બદલવાની સમયમર્યાદા વધારી દીધી છે. તમે તેને હવે 7 ઓક્ટોબર સુધી બદલી શકશો અથવા તો બેંકમાં જમા કરાવી શકશો. રિઝર્વ બેંકના આ મોટા નિર્ણયથી લોકોને રાહત થઈ છે. અગાઉ 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરાવવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર એટલે કે આજે જ સમાપ્ત થઈ રહી હતી. પરંતુ હવે કેન્દ્રીય બેંકે તેને વધુ એક સપ્તાહ માટે લંબાવ્યું છે. આરબીઆઈના નિર્ણય બાદ હવે તમે 7 ઓક્ટોબર 2023 સુધી બેંકોમાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી અથવા જમા કરાવી શકશો.
જે લોકો અત્યાર સુધી 2000 રૂપિયાની નોટ બદલી શક્યા નથી તેમના માટે આ મોટી રાહત છે. આ સાથે હવે લોકોને નોટો બદલવા માટે એક સપ્તાહનો વધારાનો સમય મળ્યો છે. આરબીઆઈએ આને લગતો સર્ક્યુલર જારી કર્યો છે. આરબીઆઈના પરિપત્ર મુજબ જો તમે 7 ઓક્ટોબર, 2023 પછી નોટો બદલી શકતા નથી, તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે આરબીઆઈની 19 પ્રાદેશિક કચેરીઓમાં જઈને તમારી પાસે રહેલી 2000 રૂપિયાની નોટો બદલી શકો છો. જો કે, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે એક સમયે 20 હજાર રૂપિયાથી વધુની નોટ બદલી શકશો નહીં. આવી સ્થિતિમાં કોઈપણ સમસ્યાથી બચવા માટે તેને એક્સચેન્જ કરવા માટે બેંકમાં જાઓ અથવા સમયમર્યાદા પહેલા તેને જમા કરો.
ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી લોકો 2000 રૂપિયાની નોટ બદલવા કે જમા કરાવવા માટેની સમયમર્યાદા વધારવાની માંગ કરી રહ્યા હતા. તેની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર હતી. સમયમર્યાદા પહેલા જ આરબીઆઈએ એક નોટિફિકેશન બહાર પાડી છેલ્લી તારીખ લંબાવવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે સમીક્ષાના આધારે તેણે એક સપ્તાહનો વધારાનો સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈના પરિપત્ર અનુસાર 2000 રૂપિયાની નોટ પહેલાની જેમ જ લીગલ ટેન્ડર રહેશે, પરંતુ તેનો ઉપયોગ વ્યવહારો માટે થઈ શકશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 2000 રૂપિયાની 96 ટકા નોટ પરત આવી છે.
7મી ઓક્ટોબર પછી શું થશે
2000 રૂપિયાની નોટ બદલવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર છે. જો કોઈની પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ બાકી છે, તો તેને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 19 પ્રાદેશિક કચેરીઓમાંથી બદલી શકાય છે. નોંધનીય છે કે નોટબંધી બાદ નવેમ્બર 2016માં 2000 રૂપિયાની નોટ બજારમાં આવી હતી. આ નોટ લાંબો સમય ટકી ન હતી. વર્ષ 2018-19માં જ 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. ધીમે-ધીમે એટીએમમાંથી પણ તેને ડિસ્પ્લે કરવાનું બંધ થઈ ગયું હતું.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

Panchayat Samachar24

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

Panchayat Samachar24

સીંગવડ ગ્રામ પંચાયત ના ઉપસરપંચ તરીકે પંકજભાઈ પ્રજાપતિની બીન હરીફ વરણી કરાઈ: ઉપસરપંચની ચુંટણીમા 10 માંથી 7 સભ્યો ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

Panchayat Samachar24