Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજય ભાજપા પક્ષના ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા નિયુકત કરાયા છે.ગુજરાત રાજયની ઉર્જા કંપનીઓના સૌથી મોટા અને સાતેય કંપનીઓમાં માન્યતા પ્રાપ્ત અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જીનિયર્સ એસોસિએશન જે સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીશ્રીઓમાંથી 80 ટકા થી વધુ સંગઠન શકિત ધરાવતા બંને સંગઠનો છે.
અગાઉ ભૂતકાળમાં સને-2003માં ગુજરાત વિદ્યુત બોર્ડનું વિઘટન કરી ખાનગીકરણ કરવાનાં કેન્દ્ર સરકારશ્રીના વીજબિલ અધિનિયમ-2003નો અમલ ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા કરવાના અમલ સમયે સંયુકત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ક્ધવીનર તરીકે અને ગોરધનભાઈ ઝડફીયા દ્વારા અગ્રેસર રહી મહત્વની જવાબદારી નિભાવવા સાથે તે સમયે ઉર્જા કંપનીઓમાં કાર્યરત યુનિયન/એસોસિએશનને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને ઉમદા કાર્યપદ્ધતિ અપનાવી જવાબદારીપુર્વક ગુજરાત રાજય સરકારશ્રી ગુજરાત વિદ્યુત બોર્ડ અને માન્ય યુનિયન/એશોસિએશન વચ્ચે ગોરધનભાઈ ઝડફીયા દ્વારા ધરી બનીને ઉર્જા કંપનીઓના કર્મચારીઓ અધિકારીશ્રીઓના ન્યાયિક ભવિષ્યના હકકો અને લાભોના રક્ષણ કરતો ત્રી-પક્ષીય કરાર કરાવી વિદ્યાનસભામાં મંજુર કરાવીને ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા નોટિફિકેશન પ્રસિદ્ધ કરાવી રક્ષણહાર ગોરધનભાઈ ઝડફીયાનો સમગ્ર ઉર્જા પરિવાર અને બંને સંગઠનો સદૈવ હર હંમેશ ઋણી છે સાથે સાથે ગોરધનભાઈ ઝડફીયા દ્વારા સમયાંતરે દરેક તબકકે કર્મચારીઓ/ અધિકારીઓના ન્યાયિક પડતર મુદ્દાઓના નિરાકરણ લાવવામાં અનેક પ્રકારે મદદગારી કરી રક્ષણ કરાવેલ છે.અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જીનિયર્સ એસોસિએશન દ્વારા ગોરધનભાઈ ઝડફીયાની ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવતાં બંને સંગઠનોના સભ્યો/હોદેદારોમાં ખુબ જ ખુશીની લહેર ફેલાઈ ગયેલ છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળતા શ્રી મિલિંદ બાપના

Panchayat Samachar24

દાહોદ LCBએ રેલવે પાટા-સ્લીપાટ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: પોલીસે રેલ્વેના 3020 કિલો પાટા-સ્લીપાટ મળી કુલ 6.74 લાખનો મુદ્દામાલ જપ્ત: 4 યુવકોની ધરપકડ

Panchayat Samachar24

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

Panchayat Samachar24

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

Panchayat Samachar24