Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજય ભાજપા પક્ષના ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા નિયુકત કરાયા છે.ગુજરાત રાજયની ઉર્જા કંપનીઓના સૌથી મોટા અને સાતેય કંપનીઓમાં માન્યતા પ્રાપ્ત અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જીનિયર્સ એસોસિએશન જે સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીશ્રીઓમાંથી 80 ટકા થી વધુ સંગઠન શકિત ધરાવતા બંને સંગઠનો છે.
અગાઉ ભૂતકાળમાં સને-2003માં ગુજરાત વિદ્યુત બોર્ડનું વિઘટન કરી ખાનગીકરણ કરવાનાં કેન્દ્ર સરકારશ્રીના વીજબિલ અધિનિયમ-2003નો અમલ ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા કરવાના અમલ સમયે સંયુકત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ક્ધવીનર તરીકે અને ગોરધનભાઈ ઝડફીયા દ્વારા અગ્રેસર રહી મહત્વની જવાબદારી નિભાવવા સાથે તે સમયે ઉર્જા કંપનીઓમાં કાર્યરત યુનિયન/એસોસિએશનને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને ઉમદા કાર્યપદ્ધતિ અપનાવી જવાબદારીપુર્વક ગુજરાત રાજય સરકારશ્રી ગુજરાત વિદ્યુત બોર્ડ અને માન્ય યુનિયન/એશોસિએશન વચ્ચે ગોરધનભાઈ ઝડફીયા દ્વારા ધરી બનીને ઉર્જા કંપનીઓના કર્મચારીઓ અધિકારીશ્રીઓના ન્યાયિક ભવિષ્યના હકકો અને લાભોના રક્ષણ કરતો ત્રી-પક્ષીય કરાર કરાવી વિદ્યાનસભામાં મંજુર કરાવીને ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા નોટિફિકેશન પ્રસિદ્ધ કરાવી રક્ષણહાર ગોરધનભાઈ ઝડફીયાનો સમગ્ર ઉર્જા પરિવાર અને બંને સંગઠનો સદૈવ હર હંમેશ ઋણી છે સાથે સાથે ગોરધનભાઈ ઝડફીયા દ્વારા સમયાંતરે દરેક તબકકે કર્મચારીઓ/ અધિકારીઓના ન્યાયિક પડતર મુદ્દાઓના નિરાકરણ લાવવામાં અનેક પ્રકારે મદદગારી કરી રક્ષણ કરાવેલ છે.અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જીનિયર્સ એસોસિએશન દ્વારા ગોરધનભાઈ ઝડફીયાની ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવતાં બંને સંગઠનોના સભ્યો/હોદેદારોમાં ખુબ જ ખુશીની લહેર ફેલાઈ ગયેલ છે.

સંબંધિત પોસ્ટ

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની કેટલીક બક્ષીપંચ છાત્રાલયોમા વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓનો અભાવની ચર્ચાઓ: કેટલીક છાત્રાલયોમા મંજુરીની સંખ્યા કરતા ઓછા વિધાર્થીઓ સાથે ચાલતી હોવાની વ્યાપક બુમો ઉઠી, છાત્રાલયોની તાત્કાલિક તપાસની જરૂરિયાત

Panchayat Samachar24

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના તાલુકાઓમા આવેલી મનરેગા શાખાઓમાં ફરજ બજાવતા 20 ટેકનિકલ આસિસ્ટન્ટની સામુહીક બદલી: લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા કર્મચારીઓ બદલાતા “ક્યાંક ખુશી તો ક્યાંક ગમ” નો માહોલ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

દાહોદ કલેક્ટરે ઝાયડસ હોસ્પિટલની લીધી મુલાકાત: કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના પૂછ્યા ખબર અંતર: ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની સેવાને કલેક્ટરે બિરદાવી

Panchayat Samachar24