Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજય ભાજપા પક્ષના ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા નિયુકત કરાયા છે.ગુજરાત રાજયની ઉર્જા કંપનીઓના સૌથી મોટા અને સાતેય કંપનીઓમાં માન્યતા પ્રાપ્ત અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જીનિયર્સ એસોસિએશન જે સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીશ્રીઓમાંથી 80 ટકા થી વધુ સંગઠન શકિત ધરાવતા બંને સંગઠનો છે.
અગાઉ ભૂતકાળમાં સને-2003માં ગુજરાત વિદ્યુત બોર્ડનું વિઘટન કરી ખાનગીકરણ કરવાનાં કેન્દ્ર સરકારશ્રીના વીજબિલ અધિનિયમ-2003નો અમલ ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા કરવાના અમલ સમયે સંયુકત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ક્ધવીનર તરીકે અને ગોરધનભાઈ ઝડફીયા દ્વારા અગ્રેસર રહી મહત્વની જવાબદારી નિભાવવા સાથે તે સમયે ઉર્જા કંપનીઓમાં કાર્યરત યુનિયન/એસોસિએશનને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને ઉમદા કાર્યપદ્ધતિ અપનાવી જવાબદારીપુર્વક ગુજરાત રાજય સરકારશ્રી ગુજરાત વિદ્યુત બોર્ડ અને માન્ય યુનિયન/એશોસિએશન વચ્ચે ગોરધનભાઈ ઝડફીયા દ્વારા ધરી બનીને ઉર્જા કંપનીઓના કર્મચારીઓ અધિકારીશ્રીઓના ન્યાયિક ભવિષ્યના હકકો અને લાભોના રક્ષણ કરતો ત્રી-પક્ષીય કરાર કરાવી વિદ્યાનસભામાં મંજુર કરાવીને ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા નોટિફિકેશન પ્રસિદ્ધ કરાવી રક્ષણહાર ગોરધનભાઈ ઝડફીયાનો સમગ્ર ઉર્જા પરિવાર અને બંને સંગઠનો સદૈવ હર હંમેશ ઋણી છે સાથે સાથે ગોરધનભાઈ ઝડફીયા દ્વારા સમયાંતરે દરેક તબકકે કર્મચારીઓ/ અધિકારીઓના ન્યાયિક પડતર મુદ્દાઓના નિરાકરણ લાવવામાં અનેક પ્રકારે મદદગારી કરી રક્ષણ કરાવેલ છે.અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જીનિયર્સ એસોસિએશન દ્વારા ગોરધનભાઈ ઝડફીયાની ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવતાં બંને સંગઠનોના સભ્યો/હોદેદારોમાં ખુબ જ ખુશીની લહેર ફેલાઈ ગયેલ છે.

સંબંધિત પોસ્ટ

ગુજરાત રાજયમાં ડ્રગ્સની હેરાફેરી વધતા સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1908 જાહેર કરાયો: ફોન કરી આપી શકાશે ડ્રગ્સ માફિયાઓની માહિતી

Panchayat Samachar24

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું: દાહોદ કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24