Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજય ભાજપા પક્ષના ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા નિયુકત કરાયા છે.ગુજરાત રાજયની ઉર્જા કંપનીઓના સૌથી મોટા અને સાતેય કંપનીઓમાં માન્યતા પ્રાપ્ત અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જીનિયર્સ એસોસિએશન જે સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીશ્રીઓમાંથી 80 ટકા થી વધુ સંગઠન શકિત ધરાવતા બંને સંગઠનો છે.
અગાઉ ભૂતકાળમાં સને-2003માં ગુજરાત વિદ્યુત બોર્ડનું વિઘટન કરી ખાનગીકરણ કરવાનાં કેન્દ્ર સરકારશ્રીના વીજબિલ અધિનિયમ-2003નો અમલ ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા કરવાના અમલ સમયે સંયુકત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ક્ધવીનર તરીકે અને ગોરધનભાઈ ઝડફીયા દ્વારા અગ્રેસર રહી મહત્વની જવાબદારી નિભાવવા સાથે તે સમયે ઉર્જા કંપનીઓમાં કાર્યરત યુનિયન/એસોસિએશનને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને ઉમદા કાર્યપદ્ધતિ અપનાવી જવાબદારીપુર્વક ગુજરાત રાજય સરકારશ્રી ગુજરાત વિદ્યુત બોર્ડ અને માન્ય યુનિયન/એશોસિએશન વચ્ચે ગોરધનભાઈ ઝડફીયા દ્વારા ધરી બનીને ઉર્જા કંપનીઓના કર્મચારીઓ અધિકારીશ્રીઓના ન્યાયિક ભવિષ્યના હકકો અને લાભોના રક્ષણ કરતો ત્રી-પક્ષીય કરાર કરાવી વિદ્યાનસભામાં મંજુર કરાવીને ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા નોટિફિકેશન પ્રસિદ્ધ કરાવી રક્ષણહાર ગોરધનભાઈ ઝડફીયાનો સમગ્ર ઉર્જા પરિવાર અને બંને સંગઠનો સદૈવ હર હંમેશ ઋણી છે સાથે સાથે ગોરધનભાઈ ઝડફીયા દ્વારા સમયાંતરે દરેક તબકકે કર્મચારીઓ/ અધિકારીઓના ન્યાયિક પડતર મુદ્દાઓના નિરાકરણ લાવવામાં અનેક પ્રકારે મદદગારી કરી રક્ષણ કરાવેલ છે.અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જીનિયર્સ એસોસિએશન દ્વારા ગોરધનભાઈ ઝડફીયાની ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવતાં બંને સંગઠનોના સભ્યો/હોદેદારોમાં ખુબ જ ખુશીની લહેર ફેલાઈ ગયેલ છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

ગુજરાત રાજયમાં ડ્રગ્સની હેરાફેરી વધતા સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1908 જાહેર કરાયો: ફોન કરી આપી શકાશે ડ્રગ્સ માફિયાઓની માહિતી

Panchayat Samachar24

લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

Panchayat Samachar24

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

Panchayat Samachar24