Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

દાહોદ તાલુકાના કતવારા ગામની ઘટના: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું..
સાત વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર મહિલા તબીબે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આઈખું ટૂકાવ્યો.
દાહોદ તાલુકાના કતવારામાં ખાનગીમાં પ્રેકટીશ કરતી 26 વર્ષીય મહિલા તબીબે અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં દવાખાનાની ચાદર વડે પંખા પર લટકી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના કતવારા ખાનગી દવાખાનુ ચલાવતી અને સાત વર્ષ પહેલા નિશાળ ફળીયામાં તેમના ઘરની સામે રહેતા મેહુલ કિશોરસિંહ હાંડા જોડે પ્રેમ લગ્ન કરનાર મેઘાબેન મેહુલ હાંડાએ ગતરોજ અગમ્ય કારણોસર તેમના રહેણાંક મકાનમાં પંખા પર દવાખાનાની ચાદર વડે ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું. જે બાદ તેમના સાસરી પક્ષ તેમજ તેમના પિયર પક્ષના લોકો દ્વારા પંખા પર લટકેલી મેઘાબેનને નીચે ઉતારી દાહોદના ભરપોડા હોસ્પીટલ ખાતે લઈને દોડ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મેંઘાબેનને મૃત જાહેર કરતા પરિવારજનોમાં માતમ થવા જવા પામ્યો હતો.
ઉપરોક્ત બનાવ સંદર્ભે કતવારા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સંબંધિત પોસ્ટ

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24

દેવગઢ બારીઆ નગરના ઐતિહાસિક ટાવરનું રિનોવેશન બાદ નગર પાલિકા પ્રમુખ ડો. ચાર્મી સોની દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24