Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદદેવગઢ બારીયા

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

  • ભથવાડા ટોલનાકા પાસેથી 11.38 લાખનો દારૂ ઝડપાયો
  • બુટલેગરો દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશ માંથી દાહોદ જીલ્લાના માર્ગે ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારુ ઘુસાડવાના પ્રયાસો કરાય છે
  • Advertisement
  • બુટલેગરો પોલીસની નજરથી બચવા દર વખતે નવી M.O. અપનાવવામાં આવે છે.
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.30
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીક પીપલોદ પોલીસ પેટ્રોલિંગ મા હતી તે સમયે મળેલ બાતમી મુજબનુ એક શંકાસ્પદ ટ્રેક્ટર થ્રેસર સાથે પસાર થતા પોલીસે ટ્રેક્ટર રોકી તપાસ કરતા ટ્રેક્ટર માથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, પોલીસે કુલ રૂપીયા 11.38 લાખના દારુ સહિત મળી રૂ. 16.41 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર પીપલોદ પોલીસને ખાનગી બાતમીદાર તરફથી મળેલી બાતમીના આધારે પીપલોદ પોલીસ સ્ટાફ ભથવાડા ટોલનાકા નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી ઉભા હતાં. તે સમય  દરમ્યાન મળેલ બાતમી વાળુ ટ્રેક્ટર ટોલનાકા પર આવતા પોલીસે ટ્રેક્ટર ને રોકી ટ્રેક્ટરના ડ્રાઇવર અને અન્ય એક ઈસમ મળી બે વ્યકિતની ધરપકડ કરી હતી. પકડાયેલા વ્યકિતઓમા અજય બલરાજ મલીક અને સુનીલકુમાર ઉર્ફે સોનુ રાજસિંહ હરીજન, બંન્ને વ્યકિત રહેવાસી ર્મિજાપુર, તા.હોબાના, જિ.સોનીપત હરિયાણાના હોવાનુ પોલીસ તપાસમા બહાર આવ્યુ હતુ  પોલીસે બંનેની ધરપકડ કરી હતી,
પોલીસે ટ્રેક્ટરની ઝડતી લેતાં ટ્રેક્ટર માથી વિદેશી દારૂની બોટલોની પેટીઓ મળી આવી હતી, જે બોટલોની ગણતરી કરતા કુલ 2770 નંગ થઈ હતી જેની અંદાજીત કુલ કિંમત રૂ. 11,38,220/- થઈ હતી, તેમજ અનાજ કાઢવાનુ થ્રેસર જેવું જ નકલી આબેહૂબ થ્રેસર ની કિંમત રૂ.500000/- અને બે મોબાઈલ ફોન સહિત નો મુદ્દામાલ મળી કુલ રૂ.16,41,220/- નો મુદ્દામાલ પીપલોદ પોલીસે જપ્ત કરી બંન્ને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડ: વિકાસનો ડંકો, અડગ વિજય અને રાજકીય ષડયંત્રો સામે અડીખમ નેતૃત્વ

Panchayat Samachar24

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24