Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદદેવગઢ બારીયા

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

  • ભથવાડા ટોલનાકા પાસેથી 11.38 લાખનો દારૂ ઝડપાયો
  • બુટલેગરો દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશ માંથી દાહોદ જીલ્લાના માર્ગે ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારુ ઘુસાડવાના પ્રયાસો કરાય છે
  • Advertisement
  • બુટલેગરો પોલીસની નજરથી બચવા દર વખતે નવી M.O. અપનાવવામાં આવે છે.
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.30
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીક પીપલોદ પોલીસ પેટ્રોલિંગ મા હતી તે સમયે મળેલ બાતમી મુજબનુ એક શંકાસ્પદ ટ્રેક્ટર થ્રેસર સાથે પસાર થતા પોલીસે ટ્રેક્ટર રોકી તપાસ કરતા ટ્રેક્ટર માથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, પોલીસે કુલ રૂપીયા 11.38 લાખના દારુ સહિત મળી રૂ. 16.41 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર પીપલોદ પોલીસને ખાનગી બાતમીદાર તરફથી મળેલી બાતમીના આધારે પીપલોદ પોલીસ સ્ટાફ ભથવાડા ટોલનાકા નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી ઉભા હતાં. તે સમય  દરમ્યાન મળેલ બાતમી વાળુ ટ્રેક્ટર ટોલનાકા પર આવતા પોલીસે ટ્રેક્ટર ને રોકી ટ્રેક્ટરના ડ્રાઇવર અને અન્ય એક ઈસમ મળી બે વ્યકિતની ધરપકડ કરી હતી. પકડાયેલા વ્યકિતઓમા અજય બલરાજ મલીક અને સુનીલકુમાર ઉર્ફે સોનુ રાજસિંહ હરીજન, બંન્ને વ્યકિત રહેવાસી ર્મિજાપુર, તા.હોબાના, જિ.સોનીપત હરિયાણાના હોવાનુ પોલીસ તપાસમા બહાર આવ્યુ હતુ  પોલીસે બંનેની ધરપકડ કરી હતી,
પોલીસે ટ્રેક્ટરની ઝડતી લેતાં ટ્રેક્ટર માથી વિદેશી દારૂની બોટલોની પેટીઓ મળી આવી હતી, જે બોટલોની ગણતરી કરતા કુલ 2770 નંગ થઈ હતી જેની અંદાજીત કુલ કિંમત રૂ. 11,38,220/- થઈ હતી, તેમજ અનાજ કાઢવાનુ થ્રેસર જેવું જ નકલી આબેહૂબ થ્રેસર ની કિંમત રૂ.500000/- અને બે મોબાઈલ ફોન સહિત નો મુદ્દામાલ મળી કુલ રૂ.16,41,220/- નો મુદ્દામાલ પીપલોદ પોલીસે જપ્ત કરી બંન્ને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની કરાઈ જાહેરાત: ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મવિભૂષણ, સ્વામિ સચ્ચિદાનંદ પદ્મભૂષણથી સન્માનિત કરાશે

Panchayat Samachar24

સીંગવડમાં મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ના દર્દીઓમા વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમા આવ્યુ: ફોગીંગ ની કામગીરી હાથ ધરાઈ

Panchayat Samachar24

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24

લીમખેડામાં ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ: 24 કલાક ડિલિવરી સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ

Panchayat Samachar24