Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદદેવગઢ બારીયા

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

  • ભથવાડા ટોલનાકા પાસેથી 11.38 લાખનો દારૂ ઝડપાયો
  • બુટલેગરો દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશ માંથી દાહોદ જીલ્લાના માર્ગે ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારુ ઘુસાડવાના પ્રયાસો કરાય છે
  • Advertisement
  • બુટલેગરો પોલીસની નજરથી બચવા દર વખતે નવી M.O. અપનાવવામાં આવે છે.
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.30
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીક પીપલોદ પોલીસ પેટ્રોલિંગ મા હતી તે સમયે મળેલ બાતમી મુજબનુ એક શંકાસ્પદ ટ્રેક્ટર થ્રેસર સાથે પસાર થતા પોલીસે ટ્રેક્ટર રોકી તપાસ કરતા ટ્રેક્ટર માથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, પોલીસે કુલ રૂપીયા 11.38 લાખના દારુ સહિત મળી રૂ. 16.41 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર પીપલોદ પોલીસને ખાનગી બાતમીદાર તરફથી મળેલી બાતમીના આધારે પીપલોદ પોલીસ સ્ટાફ ભથવાડા ટોલનાકા નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી ઉભા હતાં. તે સમય  દરમ્યાન મળેલ બાતમી વાળુ ટ્રેક્ટર ટોલનાકા પર આવતા પોલીસે ટ્રેક્ટર ને રોકી ટ્રેક્ટરના ડ્રાઇવર અને અન્ય એક ઈસમ મળી બે વ્યકિતની ધરપકડ કરી હતી. પકડાયેલા વ્યકિતઓમા અજય બલરાજ મલીક અને સુનીલકુમાર ઉર્ફે સોનુ રાજસિંહ હરીજન, બંન્ને વ્યકિત રહેવાસી ર્મિજાપુર, તા.હોબાના, જિ.સોનીપત હરિયાણાના હોવાનુ પોલીસ તપાસમા બહાર આવ્યુ હતુ  પોલીસે બંનેની ધરપકડ કરી હતી,
પોલીસે ટ્રેક્ટરની ઝડતી લેતાં ટ્રેક્ટર માથી વિદેશી દારૂની બોટલોની પેટીઓ મળી આવી હતી, જે બોટલોની ગણતરી કરતા કુલ 2770 નંગ થઈ હતી જેની અંદાજીત કુલ કિંમત રૂ. 11,38,220/- થઈ હતી, તેમજ અનાજ કાઢવાનુ થ્રેસર જેવું જ નકલી આબેહૂબ થ્રેસર ની કિંમત રૂ.500000/- અને બે મોબાઈલ ફોન સહિત નો મુદ્દામાલ મળી કુલ રૂ.16,41,220/- નો મુદ્દામાલ પીપલોદ પોલીસે જપ્ત કરી બંન્ને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

વિરોધીઓના ષડયંત્રો સામે હિમાલયની જેમ અડગ બચુભાઈ ખાબડ: ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને જનતાનો સાથ બનશે ઢાલ

Panchayat Samachar24

દાહોદ LCB એ રેસીંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: 7 બાઈક સાથે બે આરોપીઓની કરી ધરપકડ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24