Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડા તાલુકાના વલુંડી ગામે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ પીકઅપ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં પીકઅપ માં સવાર ત્રણ વ્યકિતઓ ઈજાગ્રસ્ત: એક આધેડ મુસાફરનું ઘટના સ્થળે મોત નિપજ્યુ

લીમખેડા તા.૧૧, મયુર રાઠોડ દ્રારા
લીમખેડા તાલુકાના વલુંડી ગામે ગઈકાલે રાત્રે રસ્તાની બાજુમાં ઊભેલી ટ્રકની પાછળ એક પીકઅપ જીપ ગાડી અથડાતા સર્જાયેલા અકસ્માતમાં પીકપ માં સવાર ત્રણ મુસાફરોને શરીરે નાનીમોટી ઈજાઓ થવા પામી હતી જે પૈકી એક એક 57 વર્ષીય મુસાફરનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું
ધાનપુર તાલુકાના ઉંડાર ગામે રહેતા મુકેશ પાર્સિંગ મોહનીયા પોતાના કબજાની પીકઅપ જીપ ગાડી માં તેના દાદા વજેસીંગભાઈ મથુરભાઇ . મોહનીયા ઉવ . આશરે ૫૭ રહે . તથા ભત્રીજી જાનુબેન મંગુભાઇ ઉવ . ૫ વર્ષ રહે ઉંડાર સહિત ત્રણ વ્યક્તિઓ તેઓના કુટુબી ભાઇ મંગુભાઇનાઓ અમદાવાદ મજુરી કરતો હોય તેઓની પાસે જવા માટે નીકળ્યા હતા દરમિયાન રાત્રીના એકાદેક વાગ્યે રસ્તામાં વલુન્ડી ગામે પહોંચતા અને ચાલુ વરસાદ ના કારણે આગળના કાચથી ઓછું દેખાતા ગાડી પુરઝડપે હોવાથી પીકઅપ ગાડી આગળ હાઈવે રસ્તાની બાજુમાં ઉભેલી એક ટ્રકની પાછળ ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો જેને લઇને જીપમાં સવાર મુકેશ પાર્સિંગ મોહનીયા, જાનુ બેન મંગુ, તથા તેના દાદા વજેસીંગભાઇ મથુરભાઈ ઉવ . આશરે ૫૭ નાઓને ઇજાઓ થવા પામી હતી જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા વજેસિંગ મથુર મોહનીયા નું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું .
આ બનાવ સંદર્ભે ઉંડાર ગામના મુકેશ પાર્સિંગ મોહનીયાએ નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

Panchayat Samachar24

દાહોદ કલેક્ટરે ઝાયડસ હોસ્પિટલની લીધી મુલાકાત: કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના પૂછ્યા ખબર અંતર: ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની સેવાને કલેક્ટરે બિરદાવી

Panchayat Samachar24

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એકઝી.કાઉન્સીલ મેમ્બર તરીકે નરેન્દ્ર સોનીની નિયુક્તિ થતા દાહોદ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા સન્માન કરાયુ

Panchayat Samachar24

ફતેપુરામાં ભૂ-માફીયાઓ બેફામ બન્યા: મધ્યરાતે જેસીબી થી તળાવની પાળ નુ ખોદકામ કર્યુ: મામલતદાર અને ગ્રામજનો પહોંચી જતા ભૂ-માફીયાઓ જેસીબી અને ટ્રેક્ટર લઈ ફરાર

Panchayat Samachar24

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin