Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડા તાલુકાના વલુંડી ગામે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ પીકઅપ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં પીકઅપ માં સવાર ત્રણ વ્યકિતઓ ઈજાગ્રસ્ત: એક આધેડ મુસાફરનું ઘટના સ્થળે મોત નિપજ્યુ

લીમખેડા તા.૧૧, મયુર રાઠોડ દ્રારા
લીમખેડા તાલુકાના વલુંડી ગામે ગઈકાલે રાત્રે રસ્તાની બાજુમાં ઊભેલી ટ્રકની પાછળ એક પીકઅપ જીપ ગાડી અથડાતા સર્જાયેલા અકસ્માતમાં પીકપ માં સવાર ત્રણ મુસાફરોને શરીરે નાનીમોટી ઈજાઓ થવા પામી હતી જે પૈકી એક એક 57 વર્ષીય મુસાફરનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું
ધાનપુર તાલુકાના ઉંડાર ગામે રહેતા મુકેશ પાર્સિંગ મોહનીયા પોતાના કબજાની પીકઅપ જીપ ગાડી માં તેના દાદા વજેસીંગભાઈ મથુરભાઇ . મોહનીયા ઉવ . આશરે ૫૭ રહે . તથા ભત્રીજી જાનુબેન મંગુભાઇ ઉવ . ૫ વર્ષ રહે ઉંડાર સહિત ત્રણ વ્યક્તિઓ તેઓના કુટુબી ભાઇ મંગુભાઇનાઓ અમદાવાદ મજુરી કરતો હોય તેઓની પાસે જવા માટે નીકળ્યા હતા દરમિયાન રાત્રીના એકાદેક વાગ્યે રસ્તામાં વલુન્ડી ગામે પહોંચતા અને ચાલુ વરસાદ ના કારણે આગળના કાચથી ઓછું દેખાતા ગાડી પુરઝડપે હોવાથી પીકઅપ ગાડી આગળ હાઈવે રસ્તાની બાજુમાં ઉભેલી એક ટ્રકની પાછળ ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો જેને લઇને જીપમાં સવાર મુકેશ પાર્સિંગ મોહનીયા, જાનુ બેન મંગુ, તથા તેના દાદા વજેસીંગભાઇ મથુરભાઈ ઉવ . આશરે ૫૭ નાઓને ઇજાઓ થવા પામી હતી જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા વજેસિંગ મથુર મોહનીયા નું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું .
આ બનાવ સંદર્ભે ઉંડાર ગામના મુકેશ પાર્સિંગ મોહનીયાએ નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

ફતેપુરાની ગઢરા પ્રાથમિક શાળામા સલરા જીલ્લા પંચાયત સીટના સભ્ય શાંતાબેન પારગીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24