Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડા તાલુકાના વલુંડી ગામે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ પીકઅપ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં પીકઅપ માં સવાર ત્રણ વ્યકિતઓ ઈજાગ્રસ્ત: એક આધેડ મુસાફરનું ઘટના સ્થળે મોત નિપજ્યુ

લીમખેડા તા.૧૧, મયુર રાઠોડ દ્રારા
લીમખેડા તાલુકાના વલુંડી ગામે ગઈકાલે રાત્રે રસ્તાની બાજુમાં ઊભેલી ટ્રકની પાછળ એક પીકઅપ જીપ ગાડી અથડાતા સર્જાયેલા અકસ્માતમાં પીકપ માં સવાર ત્રણ મુસાફરોને શરીરે નાનીમોટી ઈજાઓ થવા પામી હતી જે પૈકી એક એક 57 વર્ષીય મુસાફરનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું
ધાનપુર તાલુકાના ઉંડાર ગામે રહેતા મુકેશ પાર્સિંગ મોહનીયા પોતાના કબજાની પીકઅપ જીપ ગાડી માં તેના દાદા વજેસીંગભાઈ મથુરભાઇ . મોહનીયા ઉવ . આશરે ૫૭ રહે . તથા ભત્રીજી જાનુબેન મંગુભાઇ ઉવ . ૫ વર્ષ રહે ઉંડાર સહિત ત્રણ વ્યક્તિઓ તેઓના કુટુબી ભાઇ મંગુભાઇનાઓ અમદાવાદ મજુરી કરતો હોય તેઓની પાસે જવા માટે નીકળ્યા હતા દરમિયાન રાત્રીના એકાદેક વાગ્યે રસ્તામાં વલુન્ડી ગામે પહોંચતા અને ચાલુ વરસાદ ના કારણે આગળના કાચથી ઓછું દેખાતા ગાડી પુરઝડપે હોવાથી પીકઅપ ગાડી આગળ હાઈવે રસ્તાની બાજુમાં ઉભેલી એક ટ્રકની પાછળ ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો જેને લઇને જીપમાં સવાર મુકેશ પાર્સિંગ મોહનીયા, જાનુ બેન મંગુ, તથા તેના દાદા વજેસીંગભાઇ મથુરભાઈ ઉવ . આશરે ૫૭ નાઓને ઇજાઓ થવા પામી હતી જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા વજેસિંગ મથુર મોહનીયા નું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું .
આ બનાવ સંદર્ભે ઉંડાર ગામના મુકેશ પાર્સિંગ મોહનીયાએ નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સંબંધિત પોસ્ટ

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

Panchayat Samachar24

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

Admin

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

Panchayat Samachar24

દાહોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૨૦ નવા યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા: કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિતિ રહ્યા

Panchayat Samachar24