Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી 4થી ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે આગામી તા. ૪ ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.30
ભારત સરકારશ્રી દ્વારા નેશનલ એપ્રેન્ટીસશીપ મેળા – ૨૦૨૧ અંતર્ગત સમગ્ર દેશમાં આગામી તા.૦૪ ઓક્ટોબરથી એપ્રેન્ટીસશીપ ભરતીમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે પણ તા.૦૪/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકેથી જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસશીપ ભરતીમેળાનું આયોજન કરાયું છે.
આ ભરતીમેળામાં જીલ્લાના વિવિધ એકમો તેઓંની એપ્રેન્ટીસશીપ વેકેન્સી સાથે હાજર રહેનાર છે. આઈ.ટી.આઈ ફિટર, ટર્નર, મીકે.ડિઝલ, મીકે.મોટર વ્હીકલ, વેલ્ડર, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, કોપા, ટ્રેડના પાસ થયેલા તાલીમાર્થીઓં તેમજ કોઈપણ સ્નાતક (બેઝીક કોમ્પ્યુટરની જાણકારી સાથે )ઈચ્છુક ઉમેદવારોએ તેઓંના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (અસલ તેમજ પ્રમાણિત નકલ), આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે નીચે જણાવેલ સ્થળ અને સમય પર રૂબરૂ ઉપસ્થિત રહેવું.
ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર(https://anubandham.gujarat.gov.in/home) ફરજીયાત પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉમેદવાર ડીજીટી ની વેબસાઈટ https://dgt.gov.in/Appmelastudent/ પર જઈને ભરતીમેળાની વધુ માહિતી મેળવી શકે છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગારથી વંચિત: એમ.જે.સોલંકી એજન્સી દ્વારા પગાર મામલે હાથ ઉંચા કરતા કર્મચારીના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

Admin

ગુજરાત રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાએ કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, 20 જિલ્લાઓમાં ‘Yello’ , 6 જિલ્લામાં ‘Orange’ એલર્ટ

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના દુધામલી ગામે દીપડાને બાંધી પજવણી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ: ત્રણેય આરોપીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Panchayat Samachar24