Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી 4થી ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે આગામી તા. ૪ ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.30
ભારત સરકારશ્રી દ્વારા નેશનલ એપ્રેન્ટીસશીપ મેળા – ૨૦૨૧ અંતર્ગત સમગ્ર દેશમાં આગામી તા.૦૪ ઓક્ટોબરથી એપ્રેન્ટીસશીપ ભરતીમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે પણ તા.૦૪/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકેથી જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસશીપ ભરતીમેળાનું આયોજન કરાયું છે.
આ ભરતીમેળામાં જીલ્લાના વિવિધ એકમો તેઓંની એપ્રેન્ટીસશીપ વેકેન્સી સાથે હાજર રહેનાર છે. આઈ.ટી.આઈ ફિટર, ટર્નર, મીકે.ડિઝલ, મીકે.મોટર વ્હીકલ, વેલ્ડર, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, કોપા, ટ્રેડના પાસ થયેલા તાલીમાર્થીઓં તેમજ કોઈપણ સ્નાતક (બેઝીક કોમ્પ્યુટરની જાણકારી સાથે )ઈચ્છુક ઉમેદવારોએ તેઓંના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (અસલ તેમજ પ્રમાણિત નકલ), આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે નીચે જણાવેલ સ્થળ અને સમય પર રૂબરૂ ઉપસ્થિત રહેવું.
ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર(https://anubandham.gujarat.gov.in/home) ફરજીયાત પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉમેદવાર ડીજીટી ની વેબસાઈટ https://dgt.gov.in/Appmelastudent/ પર જઈને ભરતીમેળાની વધુ માહિતી મેળવી શકે છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ – લીમખેડા હાઈવે રોડ પર દાંતિયાં ગામ નજીક ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત: ટ્રકમાં સવાર કંડકટરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ: જયારે ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસરમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને નોટિસ ફટકારતા ખડભળાટ

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

Panchayat Samachar24