Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી 4થી ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે આગામી તા. ૪ ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.30
ભારત સરકારશ્રી દ્વારા નેશનલ એપ્રેન્ટીસશીપ મેળા – ૨૦૨૧ અંતર્ગત સમગ્ર દેશમાં આગામી તા.૦૪ ઓક્ટોબરથી એપ્રેન્ટીસશીપ ભરતીમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે પણ તા.૦૪/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકેથી જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસશીપ ભરતીમેળાનું આયોજન કરાયું છે.
આ ભરતીમેળામાં જીલ્લાના વિવિધ એકમો તેઓંની એપ્રેન્ટીસશીપ વેકેન્સી સાથે હાજર રહેનાર છે. આઈ.ટી.આઈ ફિટર, ટર્નર, મીકે.ડિઝલ, મીકે.મોટર વ્હીકલ, વેલ્ડર, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, કોપા, ટ્રેડના પાસ થયેલા તાલીમાર્થીઓં તેમજ કોઈપણ સ્નાતક (બેઝીક કોમ્પ્યુટરની જાણકારી સાથે )ઈચ્છુક ઉમેદવારોએ તેઓંના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (અસલ તેમજ પ્રમાણિત નકલ), આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે નીચે જણાવેલ સ્થળ અને સમય પર રૂબરૂ ઉપસ્થિત રહેવું.
ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર(https://anubandham.gujarat.gov.in/home) ફરજીયાત પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉમેદવાર ડીજીટી ની વેબસાઈટ https://dgt.gov.in/Appmelastudent/ પર જઈને ભરતીમેળાની વધુ માહિતી મેળવી શકે છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

ફતેપુરા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની આશંકા!: અસ્તિત્વ વિનાના ડમ્પિંગ યાર્ડની સફાઈના નામે 41,000નું બિલ! નાગરિકોમાં તપાસની માંગ

Panchayat Samachar24

લીમખેડા તાલુકામાં શ્રી ચારભૂજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નવીન પ્રસૂતિ ગૃહ તથા 3D અને 4D સોનોગ્રાફી સુવિધા સાથેની અત્યાધુનિક લેબોરેટરીનો શુભારંભ કરાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખેડુતો માટે કરોડો રુપિયાની યોજનાનુ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી: રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામા આવ્યો

Panchayat Samachar24

લીમખેડાના પ્રખ્યાત અંબા જ્વેલર્સ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ શરૂ થતા ગ્રાહકોમા ખુશીનો માહોલ છવાયો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ