Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દેવગઢ બારીઆ એસ.ટી ડેપોના વર્કશોપમાં ઉભેલી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ખાખ

  • વર્કશોપમાં ઉભેલી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
  • દેવગઢ બારીઆ ફાયર ફાયટરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો
  • Advertisement

 

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.14
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ એસટી ડેપોના વર્કશોપમાં પાર્ક કરેલી બસમાં અકસ્મિક આગ ભભુકી ઉઠી હતી. વર્કશોપની બસન  આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. દેવગઢ બારીઆ નગર પાલિકાની ફાયર ફાયટરની ટીમે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો એસટી બસ માં લાગેલી આગ કાબૂમાં થતા ફાયરની ટીમ સહિત એસટી વિભાગના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે આજે રવિવારે સવારે દેવગઢ બારીઆ નગરની મધ્યમાં આવેલા નગરમાં આવેલા એસ.ટી. ડેપોના વર્કશોપમાં દેવગઢ બારીઆ થી સેલવાસ રુટની બસને ડ્રાઇવરે રૂટિન ચેકઅપ માટે વર્કશોપમાં મૂકી હતી, જે સમય દરમિયાન બસના આગળના કેબીન માંથી ધુમાડો નીકળતા વર્કશોપ મા કામ કરતા  કર્મચારીઓએ બસમાં તપાસ કરતા બસના એન્જિન માં આગ લાગવાથી ધુમાડો નિકળતો હતો, બસમા લાગેલી આગને ઓલવવા માટે કર્મચારીઓએ ડેપોમાં મુકેલા અગ્નિશામકના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતા આગ પર કાબૂ મેળવવામા સફળ થયા ન હતા. ઘટનાની જાણ દેવગઢ બારીઆ નગર પાલિકાના ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી  આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં એસ.ટી બસના  આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. શોર્ટ સર્કિટથી બસમાં આગ લાગી હોવાનું એસ.ટીના કર્મચારીઓએ પ્રાથમિક અનુમાન લગાવ્યુ હતુ.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડ: વિકાસનો ડંકો, અડગ વિજય અને રાજકીય ષડયંત્રો સામે અડીખમ નેતૃત્વ

Panchayat Samachar24

ફતેપુરા નગર મા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા તંત્ર નિષ્ફળ: તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

સીંગવડ ગ્રામ પંચાયત ના ઉપસરપંચ તરીકે પંકજભાઈ પ્રજાપતિની બીન હરીફ વરણી કરાઈ: ઉપસરપંચની ચુંટણીમા 10 માંથી 7 સભ્યો ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિના અદભૂત સંગમ સાથે હોળી પર્વની ભવ્ય ઉજવણી: ઢોલ-નગારાના ગુંજારવ વચ્ચે આસ્થાનું પ્રગટીકરણ પરંપરાગત હોલિકા દહન સાથે આખું પંથક ભક્તિમય માહોલમાં તરબોળ, ગ્રામજનોએ સુખ-સમૃદ્ધિ અને સારા વરસાદ માટે કરી પ્રાર્થના

ફતેપુરા તાલુકામાં લોકોને પીવાનું પાણી પુરુ પાડવાની યોજનાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો: અગાઉની યોજનાઓમાં બનાવેલ પાણીના ટાંકાઓ તથા સંપમાં વર્ષો બાદ પણ પાણી આવ્યુ નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24