Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દેવગઢ બારીઆ એસ.ટી ડેપોના વર્કશોપમાં ઉભેલી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ખાખ

  • વર્કશોપમાં ઉભેલી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
  • દેવગઢ બારીઆ ફાયર ફાયટરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો
  • Advertisement

 

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.14
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ એસટી ડેપોના વર્કશોપમાં પાર્ક કરેલી બસમાં અકસ્મિક આગ ભભુકી ઉઠી હતી. વર્કશોપની બસન  આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. દેવગઢ બારીઆ નગર પાલિકાની ફાયર ફાયટરની ટીમે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો એસટી બસ માં લાગેલી આગ કાબૂમાં થતા ફાયરની ટીમ સહિત એસટી વિભાગના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે આજે રવિવારે સવારે દેવગઢ બારીઆ નગરની મધ્યમાં આવેલા નગરમાં આવેલા એસ.ટી. ડેપોના વર્કશોપમાં દેવગઢ બારીઆ થી સેલવાસ રુટની બસને ડ્રાઇવરે રૂટિન ચેકઅપ માટે વર્કશોપમાં મૂકી હતી, જે સમય દરમિયાન બસના આગળના કેબીન માંથી ધુમાડો નીકળતા વર્કશોપ મા કામ કરતા  કર્મચારીઓએ બસમાં તપાસ કરતા બસના એન્જિન માં આગ લાગવાથી ધુમાડો નિકળતો હતો, બસમા લાગેલી આગને ઓલવવા માટે કર્મચારીઓએ ડેપોમાં મુકેલા અગ્નિશામકના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતા આગ પર કાબૂ મેળવવામા સફળ થયા ન હતા. ઘટનાની જાણ દેવગઢ બારીઆ નગર પાલિકાના ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી  આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં એસ.ટી બસના  આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. શોર્ટ સર્કિટથી બસમાં આગ લાગી હોવાનું એસ.ટીના કર્મચારીઓએ પ્રાથમિક અનુમાન લગાવ્યુ હતુ.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24

દાહોદ – લીમખેડા હાઈવે રોડ પર દાંતિયાં ગામ નજીક ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત: ટ્રકમાં સવાર કંડકટરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ: જયારે ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

ફતેપુરામાં ભૂ-માફીયાઓ બેફામ બન્યા: મધ્યરાતે જેસીબી થી તળાવની પાળ નુ ખોદકામ કર્યુ: મામલતદાર અને ગ્રામજનો પહોંચી જતા ભૂ-માફીયાઓ જેસીબી અને ટ્રેક્ટર લઈ ફરાર

Panchayat Samachar24

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

Panchayat Samachar24