Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દેવગઢ બારીઆ એસ.ટી ડેપોના વર્કશોપમાં ઉભેલી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ખાખ

  • વર્કશોપમાં ઉભેલી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
  • દેવગઢ બારીઆ ફાયર ફાયટરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો
  • Advertisement

 

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.14
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ એસટી ડેપોના વર્કશોપમાં પાર્ક કરેલી બસમાં અકસ્મિક આગ ભભુકી ઉઠી હતી. વર્કશોપની બસન  આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. દેવગઢ બારીઆ નગર પાલિકાની ફાયર ફાયટરની ટીમે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો એસટી બસ માં લાગેલી આગ કાબૂમાં થતા ફાયરની ટીમ સહિત એસટી વિભાગના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે આજે રવિવારે સવારે દેવગઢ બારીઆ નગરની મધ્યમાં આવેલા નગરમાં આવેલા એસ.ટી. ડેપોના વર્કશોપમાં દેવગઢ બારીઆ થી સેલવાસ રુટની બસને ડ્રાઇવરે રૂટિન ચેકઅપ માટે વર્કશોપમાં મૂકી હતી, જે સમય દરમિયાન બસના આગળના કેબીન માંથી ધુમાડો નીકળતા વર્કશોપ મા કામ કરતા  કર્મચારીઓએ બસમાં તપાસ કરતા બસના એન્જિન માં આગ લાગવાથી ધુમાડો નિકળતો હતો, બસમા લાગેલી આગને ઓલવવા માટે કર્મચારીઓએ ડેપોમાં મુકેલા અગ્નિશામકના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતા આગ પર કાબૂ મેળવવામા સફળ થયા ન હતા. ઘટનાની જાણ દેવગઢ બારીઆ નગર પાલિકાના ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી  આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં એસ.ટી બસના  આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. શોર્ટ સર્કિટથી બસમાં આગ લાગી હોવાનું એસ.ટીના કર્મચારીઓએ પ્રાથમિક અનુમાન લગાવ્યુ હતુ.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

લીમખેડામાં ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ: 24 કલાક ડિલિવરી સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ

Panchayat Samachar24

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24