Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

  • ગુજરાત સરકાર ટાસ્ક ફોર્સની રચના કરીને જનતા કામ ઝડપભેર થાય તે દિશામાં પ્રયત્નો કરાશે
  • રાજ્યના તમામ કલેકટરો અને પ્રાંત અધિકારીઓ સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજી
  • Advertisement
  • ટાસ્ક ફોર્સ જનતાના પ્રશ્નો અને ફરિયાદ સંદર્ભે કલેકટર કચેરીની ઓચિંતી ચકાસણી કરશે
  • જનતાની ફરિયાદોનો સ્થળ પર નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવશે
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.22
ગુજરાત રાજ્યમા ભ્રષ્ટાચાર મુકત શાસન કરવાની દિશામાં ગુજરાતની નવ નિયુક્ત સરકાર આગળ વધી રહી છે,  સરકાર દ્રારા પ્રજાલક્ષી અનેક નિર્ણયો કરવામા આવી રહ્યા છે ત્યારે રાજ્ય ના મહેસુલ વિભાગને ભ્રષ્ટાચાર મુકત બનાવવા સરકાર દ્વારા પ્રયાસો શરુ કરવામા આવ્યા છે, જેના ભાગરુપે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે  સરકાર આગામી દિવસોમા રાજ્ય કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરશે અને જનતાના કામ જલ્દી અને ઓછા સમય મા કેવી રીતે થાય તે દિશામાં પ્રયાસો શરુ કર્યા છે, જેને લઈને રાજ્યના તમામ જીલ્લા  કલેકટરો અને પ્રાંત અધિકારીઓ સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક મહત્વની બેઠક વિડીયો કોન્ફરન્સથી ગાંધીનગર ખાતે યોજી હતી. જેમા ટાસ્ક ફોર્સ વિશે તમામ અધિકારીઓને માહિતગાર કર્યા હતા  ટાસ્ક ફોર્સ જનતાના પ્રશ્નો તેમજ કરિયાદો અંગે જીલ્લા કલેકટર કચેરીની આકસ્મિક મુલાકાત કરી તપાસ કરશે અને જનતાની કરિયાદો અને પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય તે દિશામા કાર્યવાહી કરશે. આ ટાસ્ક ફોર્સની ટીમ મા ડેપ્યુટી કલેકટર થી નીચેની કક્ષાના અધિકારીની નિયુકિત નહિ કરવામા આવે અને આ ટાસ્ક ફોર્સ આકસ્મિક રાજ્ય ના કોઈપણ જિલ્લા કલેકટર કચેરીએ જઇને તપાસણી કરશે. અને પડતર પ્રશ્નો સહિતના જનતાના મુદ્દા પર ચર્ચા કરશે.
રાજ્યના મહેસુલ મંત્રી એ એમ પણ જણાવ્યુ હતુ કે, મહેસુલ વિભાગ ના કોઈ પણ અધિકારી કે કર્મચારી પૈસા માંગતા હોય તો વિડીયો રેકોર્ડ કરી અમને મોકલો, સાથે મહેસુલી એન્ટ્રીઓ કેટલાક અધિકારીઓ જનતાને હેરાન કરવા માટે “ના મંજુર” કરવા ખાતર “ના મંજુર” કરવાના મુદ્દાઓમાં પણ દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી થઇ શકે છે, મહેસુલ વિભાગ મા ક્યાંંય પણ ખોટું થતું હોય તો રાજ્ય ની નવ નિયુક્ત સરકાર ચલાવી લેવા માંગતી નથી તેવું તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતુ.

સંબંધિત પોસ્ટ

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખેડુતો માટે કરોડો રુપિયાની યોજનાનુ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી: રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામા આવ્યો

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24

ગરીબો માટે આશીર્વાદરૂપ ‘મનરેગા યોજના’ની માહિતી પુસ્તિકાઓ પાણીમા ગરકાવ હાલતમા ક્યાંથી મળી??: વિગત જાણી આપ પણ ચોંકી જશો

Panchayat Samachar24