Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

  • ગુજરાત સરકાર ટાસ્ક ફોર્સની રચના કરીને જનતા કામ ઝડપભેર થાય તે દિશામાં પ્રયત્નો કરાશે
  • રાજ્યના તમામ કલેકટરો અને પ્રાંત અધિકારીઓ સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજી
  • Advertisement
  • ટાસ્ક ફોર્સ જનતાના પ્રશ્નો અને ફરિયાદ સંદર્ભે કલેકટર કચેરીની ઓચિંતી ચકાસણી કરશે
  • જનતાની ફરિયાદોનો સ્થળ પર નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવશે
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.22
ગુજરાત રાજ્યમા ભ્રષ્ટાચાર મુકત શાસન કરવાની દિશામાં ગુજરાતની નવ નિયુક્ત સરકાર આગળ વધી રહી છે,  સરકાર દ્રારા પ્રજાલક્ષી અનેક નિર્ણયો કરવામા આવી રહ્યા છે ત્યારે રાજ્ય ના મહેસુલ વિભાગને ભ્રષ્ટાચાર મુકત બનાવવા સરકાર દ્વારા પ્રયાસો શરુ કરવામા આવ્યા છે, જેના ભાગરુપે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે  સરકાર આગામી દિવસોમા રાજ્ય કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરશે અને જનતાના કામ જલ્દી અને ઓછા સમય મા કેવી રીતે થાય તે દિશામાં પ્રયાસો શરુ કર્યા છે, જેને લઈને રાજ્યના તમામ જીલ્લા  કલેકટરો અને પ્રાંત અધિકારીઓ સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક મહત્વની બેઠક વિડીયો કોન્ફરન્સથી ગાંધીનગર ખાતે યોજી હતી. જેમા ટાસ્ક ફોર્સ વિશે તમામ અધિકારીઓને માહિતગાર કર્યા હતા  ટાસ્ક ફોર્સ જનતાના પ્રશ્નો તેમજ કરિયાદો અંગે જીલ્લા કલેકટર કચેરીની આકસ્મિક મુલાકાત કરી તપાસ કરશે અને જનતાની કરિયાદો અને પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય તે દિશામા કાર્યવાહી કરશે. આ ટાસ્ક ફોર્સની ટીમ મા ડેપ્યુટી કલેકટર થી નીચેની કક્ષાના અધિકારીની નિયુકિત નહિ કરવામા આવે અને આ ટાસ્ક ફોર્સ આકસ્મિક રાજ્ય ના કોઈપણ જિલ્લા કલેકટર કચેરીએ જઇને તપાસણી કરશે. અને પડતર પ્રશ્નો સહિતના જનતાના મુદ્દા પર ચર્ચા કરશે.
રાજ્યના મહેસુલ મંત્રી એ એમ પણ જણાવ્યુ હતુ કે, મહેસુલ વિભાગ ના કોઈ પણ અધિકારી કે કર્મચારી પૈસા માંગતા હોય તો વિડીયો રેકોર્ડ કરી અમને મોકલો, સાથે મહેસુલી એન્ટ્રીઓ કેટલાક અધિકારીઓ જનતાને હેરાન કરવા માટે “ના મંજુર” કરવા ખાતર “ના મંજુર” કરવાના મુદ્દાઓમાં પણ દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી થઇ શકે છે, મહેસુલ વિભાગ મા ક્યાંંય પણ ખોટું થતું હોય તો રાજ્ય ની નવ નિયુક્ત સરકાર ચલાવી લેવા માંગતી નથી તેવું તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતુ.

સંબંધિત પોસ્ટ

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24

લીમખેડા ગ્રામ પંચાયત ચૂંટણી: નિરસતા વચ્ચે રસપ્રદ બનશે ચૂંટણી, પ્રજાપતિ-ભરવાડ સમાજની ચાલ પર સૌની નજર: ગ્રામજનોમાં ઉત્સાહનો અભાવ, સરપંચના ઉમેદવારોને વોર્ડ સભ્યો શોધવામાં મુશ્કેલી, 22 જૂને મતદાન

Panchayat Samachar24

ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસરનું કોરોનાથી મૃત્યુ, માત્ર ત્રણ જ અઠવાડિયામાં SO, Dy.SO કક્ષાના પાંચમા અધિકારીનું દુઃખદ નિધન

Panchayat Samachar24

ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની કરાઈ જાહેરાત: ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મવિભૂષણ, સ્વામિ સચ્ચિદાનંદ પદ્મભૂષણથી સન્માનિત કરાશે

Panchayat Samachar24

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

Panchayat Samachar24