Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ હતુ.

ઓ.એન.જી.સી અમદાવાદ દ્વારા દર વર્ષે ટ્રાયબલ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે.હાલમાં કોરોના મહામારી ને લઇ છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ હાલતમાં છે.વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવવાનો વારો આવ્યો છે. જેમાં ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારોના બાળકોને આર્થિક સ્થિતિને લઇ ઓનલાઇન શિક્ષણ મેળવવું તે રેતીમાં ઘર બનાવવા સમાન છે. ગરીબ પરિવારના બાળકોને બે ટંકના રોટલા ભેગા થવું કે પસંદગી ના કપડા મેળવવા રીબાવુ પડતુ હોય ત્યારે દસ કે પંદર હજાર રૂપિયા ખર્ચ કરી મોબાઇલ લાવવો અને ઓનલાઇન શિક્ષણ મેળવવું તે બહુ દૂરની વાત છે. ત્યારે અખિલ ભારતીય અનુસૂચિત જાતિ જનજાતિ કર્મચારી કલ્યાણ સંઘ અમદાવાદ દ્વારા આવા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું તે પ્રશંસનીય બાબત ગણી શકાય. ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓની પસંદગી કરાઇ હતી જેઓને વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. નાલંદા પ્રાઇમરિ સ્કૂલ મકવાણા ના વરુણા સુખસર ખાતે આ સંગઠનના આગેવાન અને મૂળ કાળિયા(લખણપુર)ગામના વતની અને ઓ.એન.જી.સી અમદાવાદ ખાતે ફરજ બજાવતા વિરસિંગભાઇ.વી મછાર સહિત અન્ય કાર્યકર્તાઓ દ્વારા આચાર્યોને નોટબુક વિતરણ કરાયું હતું.

સંબંધિત પોસ્ટ

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એકઝી.કાઉન્સીલ મેમ્બર તરીકે નરેન્દ્ર સોનીની નિયુક્તિ થતા દાહોદ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા સન્માન કરાયુ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

દાહોદ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ: મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Panchayat Samachar24

ફતેપુરા નગરના વિકાસ માટે આવેલ 96 લાખની ગ્રાન્ટ માંથી પંચાયત ભવન બનાવવાની હિલચાલ સામે સોશિયલ મીડિયામા સવાલોનો ધોધ: 42 લાખની આવક છતાં કર્મચારીઓનો પગાર ગ્રાન્ટમાંથી કેમ? સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા વહીવટી તંત્ર સામે પ્રશ્નાર્થ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ : ૩ ના મોત થી ખળભળાટ

Panchayat Samachar24

ગરીબો માટે આશીર્વાદરૂપ ‘મનરેગા યોજના’ની માહિતી પુસ્તિકાઓ પાણીમા ગરકાવ હાલતમા ક્યાંથી મળી??: વિગત જાણી આપ પણ ચોંકી જશો

Panchayat Samachar24