Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ હતુ.

ઓ.એન.જી.સી અમદાવાદ દ્વારા દર વર્ષે ટ્રાયબલ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે.હાલમાં કોરોના મહામારી ને લઇ છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ હાલતમાં છે.વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવવાનો વારો આવ્યો છે. જેમાં ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારોના બાળકોને આર્થિક સ્થિતિને લઇ ઓનલાઇન શિક્ષણ મેળવવું તે રેતીમાં ઘર બનાવવા સમાન છે. ગરીબ પરિવારના બાળકોને બે ટંકના રોટલા ભેગા થવું કે પસંદગી ના કપડા મેળવવા રીબાવુ પડતુ હોય ત્યારે દસ કે પંદર હજાર રૂપિયા ખર્ચ કરી મોબાઇલ લાવવો અને ઓનલાઇન શિક્ષણ મેળવવું તે બહુ દૂરની વાત છે. ત્યારે અખિલ ભારતીય અનુસૂચિત જાતિ જનજાતિ કર્મચારી કલ્યાણ સંઘ અમદાવાદ દ્વારા આવા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું તે પ્રશંસનીય બાબત ગણી શકાય. ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓની પસંદગી કરાઇ હતી જેઓને વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. નાલંદા પ્રાઇમરિ સ્કૂલ મકવાણા ના વરુણા સુખસર ખાતે આ સંગઠનના આગેવાન અને મૂળ કાળિયા(લખણપુર)ગામના વતની અને ઓ.એન.જી.સી અમદાવાદ ખાતે ફરજ બજાવતા વિરસિંગભાઇ.વી મછાર સહિત અન્ય કાર્યકર્તાઓ દ્વારા આચાર્યોને નોટબુક વિતરણ કરાયું હતું.

સંબંધિત પોસ્ટ

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

Panchayat Samachar24

દાહોદ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ: મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

ફતેપુરા નગર મા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા તંત્ર નિષ્ફળ: તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયત ના સરપંચે રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા ખળભળાટ

Panchayat Samachar24