Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

  • સ્માર્ટ સીટી દાહોદ નગરપાલિકાના 50 % જેટલા કર્મચાારીઓનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા શહેરમાં સેવાઓ ઠપ
  • સફાઇ,પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ,ગટર સફાઇ જેવી પ્રાથમિક સુવિધા આપતા વિભાગના કર્મચારીઓ જ સંક્રમિત થયા
  • Advertisement
  • નગર પાલિકાના ચિફ ઓફિસરનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો પરંતુ સીટીસ્કેનમાં સંક્રમણ ના લક્ષણો જણાયા 

દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓ નો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે નગરપાલીકાના કર્મચારી આલમ પણ હવે કોરોનામાં સપડાયો છે. ત્યારે દાહોદ નગર પાલિકાના 50 ટકા જેટલાં કર્મચાારીઓ કોરોના સંક્રમિત થયા હોવાની થયા હોવાની માહિતી મળી રહી છે. જેથી સ્માર્ટ સીટી દાહોદ ની વિવિધ સેવાઓ પર પણ અસર પહોંચી છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો કુુુદકે ને ભુુુસકે વધી રહ્યા છે. તંત્ર માટે પણ કોરોના સંક્રમણ અટકાવવું મુશ્કેલ બન્યું હોય તેમ લાગી રહ્યું છે.

કોરોના હવે દિવસે દિવસે દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ પગ પેસારો કરી રહ્યો છે ગામડાઓમાં હવે ઘેર ઘેર કોરોનાના ખાટલા છે ત્યારે બજારોમાં જામતી બેરોકટોક ભીડ પણ કોરોના ને આમંત્રણ આપી રહી છે તેમ છતાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગના કાયદાનુ ચુસ્ત પાલન આજે પણ કરવામાં આવતુ નથી.

આવા કપરા કાળમાં તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે દાહોદ નગર પાલિકાના કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી જ રહ્યા છે. શહેરમાં સંક્રમણ વધારે હોવાથી પાલિકાના કર્મચારીઓ પણ હવે કોોરોનામાં સપડાયા છે. ત્યારે સત્તાવાર માહિતી પ્રમાણે પાલિકાના વિવિધ વિભાગના મળીને 50 ટકા કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાથી તેમના પરિવારજનો પણ ચિંતામાં છે.

શહેરી વિસ્તારમાં સફાઇ,પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ,ગટર સફાઇ જેવી પ્રાથમિક સુવિધાને પાાલિકાના કર્મચારીઓ જ કાર્યાન્વિત રાખે છે. ત્યારે દાહોદ પાલિકાના કર્મચાારીઓ આટલી મોટી સંખ્યામાં સંક્રમિત હોવાથી આવી સેવાઓ પણ પ્રભાવિત થઇ રહી છે. તેને કારણે નગર સેવકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે નાગરિકો ફોન ભલે નગર સેવકોને કરે પરંતુ કામગીરી તો પાાલિકાના જે તે વિભાગના કર્મચારીઓએ જ કરવાની હોય છે.

સંબંધિત પોસ્ટ

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

Panchayat Samachar24

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ

સીંગવડમાં CMની ગાડીમાં સ્નેહલ ધરીયાની સવારીથી ગરમાવો: હેલિપેડથી સભા સ્થળ સુધી પ્રમુખ સતત મુખ્યમંત્રીની પડખે રહેતા મંત્રીઓ અને ધારાસભ્યોમાં પણ ભારે કુતૂહલ સાથે અટકળો તેજ

Panchayat Samachar24

દાહોદ LCB પોલીસે છટકું ગોઠવી રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા ઈસમને 11 ઈન્જેકશન તથા રુપિયા 75,000 રોકડા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો

Panchayat Samachar24

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

Panchayat Samachar24