Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

  • સ્માર્ટ સીટી દાહોદ નગરપાલિકાના 50 % જેટલા કર્મચાારીઓનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા શહેરમાં સેવાઓ ઠપ
  • સફાઇ,પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ,ગટર સફાઇ જેવી પ્રાથમિક સુવિધા આપતા વિભાગના કર્મચારીઓ જ સંક્રમિત થયા
  • Advertisement
  • નગર પાલિકાના ચિફ ઓફિસરનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો પરંતુ સીટીસ્કેનમાં સંક્રમણ ના લક્ષણો જણાયા 

દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓ નો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે નગરપાલીકાના કર્મચારી આલમ પણ હવે કોરોનામાં સપડાયો છે. ત્યારે દાહોદ નગર પાલિકાના 50 ટકા જેટલાં કર્મચાારીઓ કોરોના સંક્રમિત થયા હોવાની થયા હોવાની માહિતી મળી રહી છે. જેથી સ્માર્ટ સીટી દાહોદ ની વિવિધ સેવાઓ પર પણ અસર પહોંચી છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો કુુુદકે ને ભુુુસકે વધી રહ્યા છે. તંત્ર માટે પણ કોરોના સંક્રમણ અટકાવવું મુશ્કેલ બન્યું હોય તેમ લાગી રહ્યું છે.

કોરોના હવે દિવસે દિવસે દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ પગ પેસારો કરી રહ્યો છે ગામડાઓમાં હવે ઘેર ઘેર કોરોનાના ખાટલા છે ત્યારે બજારોમાં જામતી બેરોકટોક ભીડ પણ કોરોના ને આમંત્રણ આપી રહી છે તેમ છતાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગના કાયદાનુ ચુસ્ત પાલન આજે પણ કરવામાં આવતુ નથી.

આવા કપરા કાળમાં તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે દાહોદ નગર પાલિકાના કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી જ રહ્યા છે. શહેરમાં સંક્રમણ વધારે હોવાથી પાલિકાના કર્મચારીઓ પણ હવે કોોરોનામાં સપડાયા છે. ત્યારે સત્તાવાર માહિતી પ્રમાણે પાલિકાના વિવિધ વિભાગના મળીને 50 ટકા કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાથી તેમના પરિવારજનો પણ ચિંતામાં છે.

શહેરી વિસ્તારમાં સફાઇ,પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ,ગટર સફાઇ જેવી પ્રાથમિક સુવિધાને પાાલિકાના કર્મચારીઓ જ કાર્યાન્વિત રાખે છે. ત્યારે દાહોદ પાલિકાના કર્મચાારીઓ આટલી મોટી સંખ્યામાં સંક્રમિત હોવાથી આવી સેવાઓ પણ પ્રભાવિત થઇ રહી છે. તેને કારણે નગર સેવકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે નાગરિકો ફોન ભલે નગર સેવકોને કરે પરંતુ કામગીરી તો પાાલિકાના જે તે વિભાગના કર્મચારીઓએ જ કરવાની હોય છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

Panchayat Samachar24

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

Panchayat Samachar24

ફતેપુરા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની આશંકા!: અસ્તિત્વ વિનાના ડમ્પિંગ યાર્ડની સફાઈના નામે 41,000નું બિલ! નાગરિકોમાં તપાસની માંગ

Panchayat Samachar24

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ : ૩ ના મોત થી ખળભળાટ

Panchayat Samachar24

ફતેપુરામાં ભૂ-માફીયાઓ બેફામ બન્યા: મધ્યરાતે જેસીબી થી તળાવની પાળ નુ ખોદકામ કર્યુ: મામલતદાર અને ગ્રામજનો પહોંચી જતા ભૂ-માફીયાઓ જેસીબી અને ટ્રેક્ટર લઈ ફરાર

Panchayat Samachar24