Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

દિવાળી ટાંણે સરકારી બાબુઓ સાવધાન: એ.સી.બી. તમને મળતી ભેટ-સોગાદો પર રાખી રહયું છે બાજ નજર

  • સરકારી બાબુઓનીએ અપાતી ભેટ-સોગાદો પર ACB ની બાજ નજર
  • સરકારી કર્મચારી ગીફટો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેની સામે ACB કરશે કાર્યવાહી
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.૨૩
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કચેરીઓ મા જાણે કે ભેટ સોગાદો આવવાની શરૂઆત થઈ જતી હોય છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં ACBએ દરેક જિલ્લા વાઈઝ અલગ અલગ ટીમો બનાવી સરકારી કચેરીઓમાં ખાનગી રાહે નજર રાખવાનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામા આવ્યો છે, સરકારી કચેરીમા કોઈ સરકારી કર્મચારી કે અધિકારી ભેટ સોગાદો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેની સામે  ACB કાયદેસરની કાર્યવાહી કરશે તેવુ જાણવા મળી રહ્યુ છે.
ગુજરાતમા છેલ્લા બે ત્રણ મહિનાથી ACB સક્રીય ભુમીકામા જોવા મળી રહી છે,  લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ACBએ સકંજો કસ્યો છે.  તેમ છતાં કેટલાક જાડી ચામડીના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધરવાનું નામ લેતા નથી. ત્યારે દિવાળીના તહેવાર દરમ્યાન સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કચેરીઓ બહાર ભેટ સોગાદો સાથે નવા વર્ષની શુભેચ્છાઓ આપનારા લોકોનો જાણે કે રાફડો ફાટે છે.
પરંતુ આ વર્ષે દિવાળી ટાંણે કોઈ પણ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ ભેટ સોગાદો સ્વીકારશે તો કાયમ માટે પસ્તાવાનો વારો આવી શકે છે, આ વર્ષે ACBએ આવા અધિકારીઓ અને કર્મચારીઓ પર સિકંજો કશવા ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે  અને ગુજરાત ના તમામ જીલ્લાઓની કચેરીઓ પર બાજ નજર રાખવા ખાસ ટીમો તૈનાત કરવામા આવી છે, જે ટીમો દિવાળી ટાંણે સરકારી કચેરીઓ મા બાજ નજર રાખશે અને જો કોઈ અધિકારી કે કર્મચારી ભેટ સોગાદ સ્વીકારતા પકડાશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની એ.સી.બી. તરફથી નક્કી કરવામા આવ્યૂ  છે.

સંબંધિત પોસ્ટ

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

Panchayat Samachar24

બીમારીઓથી દુર રહેવા સવારે ખાલી પેટ મેથીના દાણાનું કરો સેવન: ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Panchayat Samachar24

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી