Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

દિવાળી ટાંણે સરકારી બાબુઓ સાવધાન: એ.સી.બી. તમને મળતી ભેટ-સોગાદો પર રાખી રહયું છે બાજ નજર

  • સરકારી બાબુઓનીએ અપાતી ભેટ-સોગાદો પર ACB ની બાજ નજર
  • સરકારી કર્મચારી ગીફટો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેની સામે ACB કરશે કાર્યવાહી
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.૨૩
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કચેરીઓ મા જાણે કે ભેટ સોગાદો આવવાની શરૂઆત થઈ જતી હોય છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં ACBએ દરેક જિલ્લા વાઈઝ અલગ અલગ ટીમો બનાવી સરકારી કચેરીઓમાં ખાનગી રાહે નજર રાખવાનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામા આવ્યો છે, સરકારી કચેરીમા કોઈ સરકારી કર્મચારી કે અધિકારી ભેટ સોગાદો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેની સામે  ACB કાયદેસરની કાર્યવાહી કરશે તેવુ જાણવા મળી રહ્યુ છે.
ગુજરાતમા છેલ્લા બે ત્રણ મહિનાથી ACB સક્રીય ભુમીકામા જોવા મળી રહી છે,  લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ACBએ સકંજો કસ્યો છે.  તેમ છતાં કેટલાક જાડી ચામડીના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધરવાનું નામ લેતા નથી. ત્યારે દિવાળીના તહેવાર દરમ્યાન સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કચેરીઓ બહાર ભેટ સોગાદો સાથે નવા વર્ષની શુભેચ્છાઓ આપનારા લોકોનો જાણે કે રાફડો ફાટે છે.
પરંતુ આ વર્ષે દિવાળી ટાંણે કોઈ પણ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ ભેટ સોગાદો સ્વીકારશે તો કાયમ માટે પસ્તાવાનો વારો આવી શકે છે, આ વર્ષે ACBએ આવા અધિકારીઓ અને કર્મચારીઓ પર સિકંજો કશવા ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે  અને ગુજરાત ના તમામ જીલ્લાઓની કચેરીઓ પર બાજ નજર રાખવા ખાસ ટીમો તૈનાત કરવામા આવી છે, જે ટીમો દિવાળી ટાંણે સરકારી કચેરીઓ મા બાજ નજર રાખશે અને જો કોઈ અધિકારી કે કર્મચારી ભેટ સોગાદ સ્વીકારતા પકડાશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની એ.સી.બી. તરફથી નક્કી કરવામા આવ્યૂ  છે.

સંબંધિત પોસ્ટ

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં ૧૫-માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પુર્ણ થયેલા વિકાસ કામોના બીલોના નાણાંની ચુકવણીમાં વિલંબ કરવા મા આવતા સરપંચોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો: કામોની ચકાસણી કરી બીલો ચુકવવા માંગ

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24