Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણીયાઘાટી ગામે દિપડાએ વાછરડા પર હિસંક હુમલો કરી શિકાર કર્યો હતો, સાંજના સમયે આવીને વાછરડા ઉપર હુમલો કરી મારણ કરી ઉપાડીને લઈ જતાં આ અંગેની જાણ ગ્રામજનોમાં થતાં ગ્રામજનોમાં દીપડાના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ મામલાની જાણ સ્થાનિક વન વિભાગના કર્મચારીઓને થતાં વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને જરૂરી તપાસ હાથ ધરી હતી.
સંજેલી તાલુકાના વાણીયાઘાટી ગામે રહેતાં ભુરીબેન કડકીયાભાઈ ભમાતે તેમના ઘરની પાછળના ભાગે એક વાછરડું બાંધી રાખ્યું હતું. અંદાજે લગભગ સાંજના પાંચેક વાગ્યાના આસપાસ દીપડો ભુરીબેનના ઘરની આસપાસ આવ્યો હતો અને બાંધી રાખેલા વાછરડા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, તેમજ હુમલો કર્યાં બાદ વાછરડાનું મારણ કરી તેને ઉપાડી લઈ ગયો હતો. આ અંગેની જાણ ભુરીબેન તથા તેમના પરિવારજનોને થતાં તેમણે બુમાબુમ કરી મુકી હતી અને આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. મારણ કરેલા વાછરડાને થોડે દુર મુકી દીપડો નાસી ગયો હતો.
દીપડાના આતંકને પગલે ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિક વન વિભાગના કર્મચારીઓને થતાં વન વિભાગના કર્મચારીઓ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. મારણ થયેલ વાછરડાના માલિક દ્વારા વળતરની માંગ સાથે રજુઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

Panchayat Samachar24

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Panchayat Samachar24

લીમખેડામાં ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ: 24 કલાક ડિલિવરી સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાએ કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, 20 જિલ્લાઓમાં ‘Yello’ , 6 જિલ્લામાં ‘Orange’ એલર્ટ

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24