Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણીયાઘાટી ગામે દિપડાએ વાછરડા પર હિસંક હુમલો કરી શિકાર કર્યો હતો, સાંજના સમયે આવીને વાછરડા ઉપર હુમલો કરી મારણ કરી ઉપાડીને લઈ જતાં આ અંગેની જાણ ગ્રામજનોમાં થતાં ગ્રામજનોમાં દીપડાના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ મામલાની જાણ સ્થાનિક વન વિભાગના કર્મચારીઓને થતાં વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને જરૂરી તપાસ હાથ ધરી હતી.
સંજેલી તાલુકાના વાણીયાઘાટી ગામે રહેતાં ભુરીબેન કડકીયાભાઈ ભમાતે તેમના ઘરની પાછળના ભાગે એક વાછરડું બાંધી રાખ્યું હતું. અંદાજે લગભગ સાંજના પાંચેક વાગ્યાના આસપાસ દીપડો ભુરીબેનના ઘરની આસપાસ આવ્યો હતો અને બાંધી રાખેલા વાછરડા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, તેમજ હુમલો કર્યાં બાદ વાછરડાનું મારણ કરી તેને ઉપાડી લઈ ગયો હતો. આ અંગેની જાણ ભુરીબેન તથા તેમના પરિવારજનોને થતાં તેમણે બુમાબુમ કરી મુકી હતી અને આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. મારણ કરેલા વાછરડાને થોડે દુર મુકી દીપડો નાસી ગયો હતો.
દીપડાના આતંકને પગલે ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિક વન વિભાગના કર્મચારીઓને થતાં વન વિભાગના કર્મચારીઓ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. મારણ થયેલ વાછરડાના માલિક દ્વારા વળતરની માંગ સાથે રજુઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લામાં 19 હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ માતૃશક્તિથી મેળવી રહ્યા છે પોષણ

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે સો ફુટ ઉંચા પોલ પર તિરંગો લહેરાવાયો

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડ: વિકાસનો ડંકો, અડગ વિજય અને રાજકીય ષડયંત્રો સામે અડીખમ નેતૃત્વ

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24

ફતેપુરામાં ભૂ-માફીયાઓ બેફામ બન્યા: મધ્યરાતે જેસીબી થી તળાવની પાળ નુ ખોદકામ કર્યુ: મામલતદાર અને ગ્રામજનો પહોંચી જતા ભૂ-માફીયાઓ જેસીબી અને ટ્રેક્ટર લઈ ફરાર

Panchayat Samachar24