Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.14
મધ્યપ્રદેશ ના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ગાય, તેનું છાણ અને મૂત્ર દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે, જો તેના માટે યોગ્ય સિસ્ટમ લાગુ કરવામાં આવે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકાય છે. ભોપાલમાં ઈન્ડિયન વેટરનરી એસોસિએશનની મહિલા પાંખના સંમેલનને સંબોધતા શિવરાજ સિંહે એ આ વાત કહી. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ગાય, તેનું છાણ અને મૂત્ર દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે, જો તેના માટે યોગ્ય સિસ્ટમ લાગુ કરવામાં આવે.
શિવરાજ સિંહ ચૌહાણે કાર્યક્રમમાં ઉપસ્થિત પશુ ચિકિત્સકોને સંબોધતા કહ્યું કે ‘ગાય/બળદ વગર કામ ચાલી શકે નહીં’. સરકારે ગૌશાળા બનાવી છે, પરંતુ જ્યાં સુધી સમાજ નહીં જોડાય ત્યાં સુધી સરકારી ગૌશાળાઓ ચાલશે નહીં. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌમૂત્ર સાથે ગાયના છાણમાંથી જોઈએ તો આપણે આપણી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી દેશને આર્થિક રીતે સક્ષમ બનાવી શકીએ છીએ.
તમને યાદ કરાવી દઈએ કે ગયા વર્ષે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગાયના દૂધ, ગોબર અને ગૌમૂત્રના ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું હતું કે તંદુરસ્ત સમાજ માટે તેનો ઉપયોગ જરૂરી છે.

 

મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદની રાજનીતિના ચાણક્ય, ખેડૂત પુત્રથી ગુજરાતના રાજકીય શિખર સુધીની અજેય યાત્રા!, સમર્પણ, સંઘર્ષ અને સેવાનો સમન્વય, દાહોદ જીલ્લાના વિકાસની નવી ગાથા રચી!

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

Admin

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24