Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.14
મધ્યપ્રદેશ ના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ગાય, તેનું છાણ અને મૂત્ર દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે, જો તેના માટે યોગ્ય સિસ્ટમ લાગુ કરવામાં આવે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકાય છે. ભોપાલમાં ઈન્ડિયન વેટરનરી એસોસિએશનની મહિલા પાંખના સંમેલનને સંબોધતા શિવરાજ સિંહે એ આ વાત કહી. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ગાય, તેનું છાણ અને મૂત્ર દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે, જો તેના માટે યોગ્ય સિસ્ટમ લાગુ કરવામાં આવે.
શિવરાજ સિંહ ચૌહાણે કાર્યક્રમમાં ઉપસ્થિત પશુ ચિકિત્સકોને સંબોધતા કહ્યું કે ‘ગાય/બળદ વગર કામ ચાલી શકે નહીં’. સરકારે ગૌશાળા બનાવી છે, પરંતુ જ્યાં સુધી સમાજ નહીં જોડાય ત્યાં સુધી સરકારી ગૌશાળાઓ ચાલશે નહીં. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌમૂત્ર સાથે ગાયના છાણમાંથી જોઈએ તો આપણે આપણી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી દેશને આર્થિક રીતે સક્ષમ બનાવી શકીએ છીએ.
તમને યાદ કરાવી દઈએ કે ગયા વર્ષે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગાયના દૂધ, ગોબર અને ગૌમૂત્રના ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું હતું કે તંદુરસ્ત સમાજ માટે તેનો ઉપયોગ જરૂરી છે.

 

મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળતા શ્રી મિલિંદ બાપના

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

સ્માર્ટ સીટી દાહોદ ની સામાન્ય વરસાદ માંજ ખુલી પોલ… રેલ્વે અંડર બ્રિજ પાસે ગોદી રોડ પર ટ્રકે યોગ દિવસે પાલિકા ના કાર્યો થી કર્યો યોગ… ટ્રક ફસાતા ટ્રાફિક જામ ના દ્રષ્યો

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એકઝી.કાઉન્સીલ મેમ્બર તરીકે નરેન્દ્ર સોનીની નિયુક્તિ થતા દાહોદ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા સન્માન કરાયુ

Panchayat Samachar24