Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

આસામના ગંગાનગર ગામમા બની અજીબ ઘટના: બકરીએ મનુષ્ય જેવા દેખાતા બાળકને આપ્યો જન્મ, થોડા સમયમાં જ તોડી નાખ્યો દમ

  • બકરીએ મનુષ્ય જેવા બાળકને જન્મ આપ્યો
  • થોડા સમય પછી તેને તોડી નાખ્યો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.30
આસામના ગંગાનગર ગામમા બની અજીબ ઘટના સામે આવી હતી જ્યા એક બકરીએ માનવ શરીર જેવા બાળકને જન્મ આપ્યો, તો લોકો તેને જોઈને ચોંકી ગયા. આખો ચહેરો શિશુ જેવો હતો અને બાળકને પૂંછડી પણ નહોતી. આ વાતની જાણ થતાં જ ગામના લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ બનાવ હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ચોંકાવનારી ઘટના આસામના કચર જિલ્લાના ધૌલાઈ વિધાનસભા વિસ્તારના ગંગા નગર ગામની છે. અહીં એક પાલતુ બકરીએ માનવ જેવા બાળકને જન્મ આપ્યો. આ બાળકના બે પગ અને કાન સિવાય બાકીનું શરીર માનવ બાળકો જેવું હતું. જોકે, જન્મના અડધા કલાક બાદ બાળકનું મોત થયું હતું. પશુ પતિએ જણાવ્યું કે સોમવારે તેની બકરીએ માનવ શરીર જેવા બાળકને જન્મ આપ્યો, તે જોઈને તે ચોંકી ગયો. આખો ચહેરો શિશુ જેવો હતો અને બાળકને પૂંછડી પણ નહોતી. આ વાતની જાણ થતાં જ ગામના લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ બનાવ હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. તસવીરો પરથી જોઈ શકાય છે કે બકરીએ એક અવિકસિત જીવને જન્મ આપ્યો છે અને તેની તાકાત માણસો જેવી જ લાગે છે. જ્યારે કાળી બકરીના પેટમાંથી ભૂરા રંગના છોકરાનો જન્મ થયો ત્યારે ગ્રામજનોએ માની લીધું કે તેમના પૂર્વજોમાંથી કોઈએ જન્મ લીધો હતો. પરંતુ, બાળક વધુ સમય સુધી ટકી શક્યું નહીં. આ પછી ગ્રામજનોએ પરંપરાગત રીતિ-રિવાજ પ્રમાણે તેને દફનાવ્યો.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

સીંગવડમાં મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ના દર્દીઓમા વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમા આવ્યુ: ફોગીંગ ની કામગીરી હાથ ધરાઈ

Panchayat Samachar24

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

Panchayat Samachar24

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin