Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

દાહોદ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોને કાબુમાં લેવા વહીવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે ત્યારે કલેક્ટર વિજય ખરાડી અને પોલીસ વડા હિતેશ જોયસરે ફતેપુરાના કમ્યુનિટી હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી અને વિસ્તારની કોવીડ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

દાહોદ કલેક્ટર ખરાડીએ ઉપસ્થિત આરોગ્ય અધિકારી તેમજ કર્મચારીઓને સર્વેલન્સની કામગીરીની અગત્યતા જણાવી હતી અને સર્વેલન્સની કામગીરી વધારવા ભારપૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કન્ટેઇનમેન્ટ વિસ્તાર પર પણ ચાંપતી નજર રાખવા જણાવ્યું હતું અને ત્યાં પણ વારંવાર મુલાકાત લેતા રહેવા જણાવ્યું હતું. કોરોના સંક્રમણ નિયત્રણમાં લાવવા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વિવિધ જાહેરનામા તેમજ કરફ્યુની કડક અમલવારી થાય એ માટે તેમણે સૂચન આપ્યું હતું. બેદરકાર વ્યક્તિઓને જરા પણ ન બક્ષવા અને કડક કાર્યવાહી કરવા તેમણે જણાવ્યું હતું.
તેમણે લોકોમાં માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા જેવી બાબતો પ્રત્યે સભાનતા આવે અને કોરોનાકાળમાં આ નાની પણ મહત્વની બાબતોનું અવશ્ય પાલન કરે તે માટે જણાવ્યું હતું. સાથે જ ૪૫ કે તેથી વધુ વયના તમામ નાગરિકો પણ વેક્સિન સત્વરે લઇ લે એ માટે લોકોને હકારાત્મક સમજ આપવા તેમણે જણાવ્યું હતું.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24