Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

  • જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદી નું નિધન
  • ગુજરાતી ફિલ્મ જગતના ભીષ્મપિતામહ તરીકેની લોકચાહના
  • Advertisement
  • ૮૨ વર્ષની ઉંમરે મુંબઈની કાંદિવલી માં લીધા અંતિમ શ્વાસ
  • રામાયણ સીરીયલ માં ભજવ્યું હતું રાવણનું પાત્ર
  • 300થી વધુ ફિલ્મ ટીવી સિરિયલોમાં અભિનય કર્યો હતો
  • વર્ષ ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી તેઓ સાસંદ પણ રહ્યા હતા
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.06
રામાનંદ સાગરની ધાર્મિક અને લોકપ્રિય સિરિયલ રામાયણમાં (લંકેશ) રાવણ તરીકે નુ અત્યંત મહત્ત્વના પાત્રનો અભિનય કરનાર અને ગુજરાતી ફિલ્મ જગતના ભીષ્મપિતામહ તરીકેની લોકચાહના મેળવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષ ની ઉંમરે મુંબઈ મા દુ:ખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ અનેક ગુજરાતી અને હિન્દી ફિલ્મો સહિત સિરીયલોમા વિવિધ પાત્રોનો અભિનય કર્યો હતો. તેઓ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના કુકડિયા ગામના વતની હતા, અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પરંતુ તેઓ ગુજરાત મા સ્થાયી થયા હતા અને ગુજરાતી નાટકોથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ગુજરાતી તેમજ હિન્દી ની અંદાજીત ૨૫૦-૩૦૦ ફિલ્મો મા અભિનય કર્યો હતો. ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મો થકી તેમને ગુજરાતમાં એક અલગ લોકચાહના મળી હતી. અરવિંદ ત્રિવેદીની સુપ્રસિદ્ધ ફિલ્મોમા દેશ રે જોયા દાદા પરદેશ જોયા, જેસલ-તોરલ, કુંવર બાઇનું મામેરૂં, હોથલ પદમણી જેવી અનેક સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મો મા તેમણે અભિનય કર્યો હતો. અરવિંદ ત્રિવેદીએ હિન્દી ફિલ્મોમા પરાયા ધન, આજ કી તાજા ખબર જેવી હિન્દી ફિલ્મોમા અભિનય કર્યો હતો.
રામાયણ સીરીયલ મા લંકેશ રાવણે નુ પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીએ પોતાના ઘરમાં મોરારિ બાપુના હસ્તે ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. અરવિંદ ત્રિવેદી પોતાના અસલ જીવનમા રામભક્ત હતા.  રામાયણ ટીવી સિરિયલ મા લંકેશ રાવણની પાત્ર ભજવ્યા બાદ તેઓ ભારતભરમા લોકપ્રિય બની ગયા હતાં. અને ત્યાર બાદ તેઓન  લોકો લંકેશ નાં નામથી ઓળખાવા લાગ્યા હતાં. વર્ષ ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી તેઓ સાસંદ પણ રહ્યા હતા, ગુજરાત સરકારથી લઇને દેશ અને પરદેશ ની અનેક સંસ્થાઓ તેમને પુરસ્કારો અને એવોર્ડ આપીને સન્માનિત કર્યાં હતા.

સંબંધિત પોસ્ટ

લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24

દાહોદના વિકાસના શિલ્પી બચુભાઈ ખાબડની મધુર વાણીથી વિરોધીઓના ષડયંત્રો અને સત્તાના સપનાઓ ચકનાચૂર

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં ૧૫-માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પુર્ણ થયેલા વિકાસ કામોના બીલોના નાણાંની ચુકવણીમાં વિલંબ કરવા મા આવતા સરપંચોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો: કામોની ચકાસણી કરી બીલો ચુકવવા માંગ

દાહોદ – લીમખેડા હાઈવે રોડ પર દાંતિયાં ગામ નજીક ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત: ટ્રકમાં સવાર કંડકટરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ: જયારે ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24