Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

  • લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં નહિ આવતા અકસ્માતનો ભય
  • લીમખેડા માર્ગ અને મકાન વિભાગ તંત્ર ઘોર નિંદ્રામાં: અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ?
  • Advertisement
  • તૂટેલાં નાળાને કારણે અકસ્માતનો થવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.19
લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગ અડધી તૂટેલી હાલતમાં છે. જેનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ કરવામા આવ્યુ નથી, તૂટેલી નાળાની રેલીંગ ના કારણે કોઇ ગમખ્વાર અકસ્માત સર્જાવાની જાણે તંત્ર રાહ જોતું હોય એવી સ્થિતિ સર્જાઇ છે. આ નાળાને ટકરાવવાથી ભૂતકાળ મા અનેકવાર અકસ્માત સર્જાયાની ઘટનાઓ બની ચુકી છે, આ રસ્તો સતત વાહનવ્યવહારથી ધમધમતો રસ્તો છે. આ રોડ પર ગોધરા – અમદાવાદ- વડોદરા જેવા મોટા શહેરો માથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતા વાહનો માટે મુખ્ય માર્ગ છે, જેના કારણે આ રોડ પર વાહનવ્યવહાર સતત વધ્યો છે, જેના કારણે નાળાની રેલિંગ નુ સમારકામ તાત્કાલિક કરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે પણ તેમ છતાં માર્ગ અને મકાન ખાતા દ્વારા આ દિશામાં કોઇ કાર્યવાહી કરાતી નથી. રોડ ખાતુ જાણે કોઇ ગમખ્વાર અકસ્માત સર્જાવાની જાણે રોડ ખાતું રાહ જોઇ રહ્યું હોય એવી લોક્ચર્ચા ઉભી થયેલી છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક અસરથી આ નાળાનુ સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠી છે.
મયુર રાઠોડ
મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી પોલીસ: સંજેલી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ દારૂ ભરેલી બોલેરોનું પાઇલોટિંગ કરતાં ઝડપાયો: ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ ખાતે બેફામ બનેલા બૂટલેગરોએ પોલીસની ગાડીને ટક્કર મારી ફરાર થવાનો કર્યો પ્રયાસ: પોલીસે 13 કિ.મી. પીછો કરી બોલેરો ચાલકને ઝડપી પાડી રૂા.૧.૫૪ લાખના દારૂ સાથે રૂા .૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: પોલીસ કોન્સ્ટેબલ સહિત 2 આરોપીઓની કરી ધરપકડ

Panchayat Samachar24

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

Panchayat Samachar24

દાહોદ જિલ્લાની શાળાઓમાં ઓડિટ ટીમનું કૌભાંડ: વર્ગ દીઠ ₹500, નવા શિક્ષકો પાસેથી ₹2000 સુધીની ઉઘરાણી, વિડીયો પણ બન્યો હોવાની ચર્ચાઓ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા જંગલ ખાતા દ્વારા સારવાર કરાવાઈ

Panchayat Samachar24

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24