Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદદેવગઢ બારીયા

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

  • દાહોદ મા લાંચીયા અધિકારીઓ ઉપર તવાઈ
  • પીપલોદ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા
  • Advertisement
  • મકાન નો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલા મા રૂ 500 ની લાંચ ની માંગણી કરી
  • પીપલોદ ના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રુ. 305 લાંચ પેટે સ્વીકારતા રંગે હાથ ઝડપાયા
  • પંચમહાલ એસીબી એ રંગે હાથ ઝડપી પાડયા
  • દિવાળી પૂર્વે એસીબીના એસીબીના સપાટા થી જિલ્લાના લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.04
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ પટેલ ને રૂપિયા ૩૦૫ ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ પકડી પાડતા સમગ્ર દાહોદ જીલ્લાના તલાટી કમ મંત્ આ આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે દાહોદ જીલ્લા ના દેવગઢ બારીયા તાલુકાનાં પિપલોદ ગામના એક જાગૃત નાગરિકે નવું મકાન બનાવી તેની આકારણી રજીસ્ટરે નોંધણી માટે પીપલોદ ગ્રામ પંચાયત માં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ વિઠ્ઠલભાઈ પટેલ પાસે ગયા હતા ત્યારે પીપલોદ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રીએ નોંધણી કરવા અંગે જાગૃત નાગરિક પાસે મકાન નો વેરો વસૂલી લઇ તેની પાવતી આપવાના બદલામાં તલાટી કમ મંત્રી આર.વિ. પટેલે રૂપિયા ૫૦૦ ની લાંચની માંગણી કરેલ ત્યારે અરજદાર તલાટીને લાંચ આપવા માંગતા ન હોય જેથી આ જાગૃત નાગરિક દ્વારા એ સી બી ની વડી કચેરીના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી પંચમહાલ એ સી બી ગોધરા ખાતે ફરિયાદ આપતાં ફરિયાદીની ફરિયાદના આધારે પંચમહાલ એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવી જાગૃત નાગરિક દ્વારા લાંચની રકમ આપતા રૂપિયા ૩૦૫ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા, પંચમહાલ એ.સી.બી. એ લાંચીયા તલાટીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી, દિવાળી પૂર્વે દાહોદ જીલ્લામા એ.સી.બી ના સપાટા થી લાંચીયા અધિકારીઓ તેમજ કર્મચારીઓ મા ફફડાટ ફેલાયો હતો.

સંબંધિત પોસ્ટ

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

Panchayat Samachar24

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

દાહોદ જીલ્લાના ખેડુતો માટે કરોડો રુપિયાની યોજનાનુ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી: રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામા આવ્યો

Panchayat Samachar24

સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર નજીક રેતી ભરેલુ ડમ્પર પલ્ટી જતા સર્જાયો અકસ્માત

Panchayat Samachar24