Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદદેવગઢ બારીયા

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

  • દાહોદ મા લાંચીયા અધિકારીઓ ઉપર તવાઈ
  • પીપલોદ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા
  • Advertisement
  • મકાન નો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલા મા રૂ 500 ની લાંચ ની માંગણી કરી
  • પીપલોદ ના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રુ. 305 લાંચ પેટે સ્વીકારતા રંગે હાથ ઝડપાયા
  • પંચમહાલ એસીબી એ રંગે હાથ ઝડપી પાડયા
  • દિવાળી પૂર્વે એસીબીના એસીબીના સપાટા થી જિલ્લાના લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.04
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ પટેલ ને રૂપિયા ૩૦૫ ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ પકડી પાડતા સમગ્ર દાહોદ જીલ્લાના તલાટી કમ મંત્ આ આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે દાહોદ જીલ્લા ના દેવગઢ બારીયા તાલુકાનાં પિપલોદ ગામના એક જાગૃત નાગરિકે નવું મકાન બનાવી તેની આકારણી રજીસ્ટરે નોંધણી માટે પીપલોદ ગ્રામ પંચાયત માં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ વિઠ્ઠલભાઈ પટેલ પાસે ગયા હતા ત્યારે પીપલોદ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રીએ નોંધણી કરવા અંગે જાગૃત નાગરિક પાસે મકાન નો વેરો વસૂલી લઇ તેની પાવતી આપવાના બદલામાં તલાટી કમ મંત્રી આર.વિ. પટેલે રૂપિયા ૫૦૦ ની લાંચની માંગણી કરેલ ત્યારે અરજદાર તલાટીને લાંચ આપવા માંગતા ન હોય જેથી આ જાગૃત નાગરિક દ્વારા એ સી બી ની વડી કચેરીના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી પંચમહાલ એ સી બી ગોધરા ખાતે ફરિયાદ આપતાં ફરિયાદીની ફરિયાદના આધારે પંચમહાલ એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવી જાગૃત નાગરિક દ્વારા લાંચની રકમ આપતા રૂપિયા ૩૦૫ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા, પંચમહાલ એ.સી.બી. એ લાંચીયા તલાટીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી, દિવાળી પૂર્વે દાહોદ જીલ્લામા એ.સી.બી ના સપાટા થી લાંચીયા અધિકારીઓ તેમજ કર્મચારીઓ મા ફફડાટ ફેલાયો હતો.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બરમા વરસેલ ભારે વરસાદના કારણે તૈયાર થયેલ મકાઇના પાકને નુકસાન

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

Panchayat Samachar24