Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાના તાલુકાઓમા આવેલી મનરેગા શાખાઓમાં ફરજ બજાવતા 20 ટેકનિકલ આસિસ્ટન્ટની સામુહીક બદલી: લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા કર્મચારીઓ બદલાતા “ક્યાંક ખુશી તો ક્યાંક ગમ” નો માહોલ

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ નવ તાલુકોઓમા ફરજ બજાવતા 20 ટેકનીકલ આસિસ્ટન્ટની એકસાથે સામુહીક અન્ય તાલુકાઓમાં બદલી કરી દેવામાં આવતા દાહોદ જિલ્લાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે.
દાહોદ જિલ્લામાં ચાલી રહેલા મનરેગા યોજના અંતર્ગત તાલુકાની મનરેગા કચેરીઓમા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાની લેખિત અને મૌખિક રજૂઆત સ્થાનિક નેતાઓને તેમજ જિલ્લા કક્ષાએ અવાર નવાર મળતી જ હોય છે,  જેથી DDPC નિયામક અને DDOએ છેલ્લા ઘણા વર્ષોથી એક જ તાલુકાઓમાં સ્થાયી ફરજ બજાવતા 20 જેટલા કર્મચારીઓની બદલી કરી દેવામાં આવતા દાહોદ જિલ્લાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં આવેલા લીમખેડા, સીંગવડ, દેવગઢ બારીઆ, ધાનપુર, ગરબાડા, દાહોદ, ઝાલોદ, ફતેપુરા અને સંજેલી તાલુકાઓમાંથી 20 જેટલા ટેકનીકલ આસિસ્ટન્ટ ની સામુહીક બદલી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ના નિયામક બી.એમ.પટેલ દ્વારા બદલીના આદેશ કરવામાં આવતા દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
દાહોદ જીલ્લામા સમાવિષ્ટ તાલુકાઓમા મનરેગા શાખાની રીડની હડ્ડી ગણાતા ટેકનીકલ આસિસ્ટન્ટ ની બદલીઓ કરવામા આવી છે, જેમા દાહોદ-2, દેવગઢ બારીઆ-3, ધાનપુર-1, ફતેપુરા-4, ગરબાડા-1, ઝાલોદ-2, લીમખેડા-3, સંજેલી-1, અને ના સીંગવડ-3 ટેકનીકલ આસિસ્ટન્ટની બદલીઓ કરવામા આવી છે,
દાહોદ  જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એક સાથે 25 જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવતા આવી છે. ત્યારે આ યોજનામાં જેની મુખ્ય ભૂમિકા છે તેવા જીઆરએસ (ગ્રામ રોજગાર સેવક)ની બદલી ક્યારે કરવામાં આવશે. તે પ્રશ્ન પણ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

મનરેગામાં ગેરરીતિની વ્યાપક બુમોના પગલે તેમજ લાગવગ ચલાવી લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા ટેકનીકલ આસિસ્ટન્ટ બદલી કરાઈ હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે,  થોડા સમય પહેલા જ જીલ્લા પંચાયતની સામાન્ય સભામા એક કર્મચારી વિરુદ્ધ ઠરાવ પસાર કરવામા આવતા ભારે હંગામો થયો હતો, સાથે મનરેગાના કામોમા ગેરરીતિ કરવામા આવી હોવાની બુમો પડી રહી હતી. જેને લઈ સત્તા પક્ષના જ કેટલાક નેતાઓએ રજૂઆતો પણ કરવામા આવી હતી. ત્યારે હવે લાંબા સમયથી એક જ જગ્યાએ સેટ થઈ ગયેલા ટેકનીકલ આસિસ્ટન્ટો પોતાની બદલી અટકાવવા અથવા મનપસંદ જગ્યાએ બદલીઓ કરાવવા ધમપછાડ કરે તો નવાઈ નહિ, ત્યારે દિવાળી ટાણે બદલીઓ કરવામા આવતા લોકોમા ચર્ચાનો વિષય બન્યો છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

Panchayat Samachar24

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ

વિરોધીઓના ષડયંત્રો સામે હિમાલયની જેમ અડગ બચુભાઈ ખાબડ: ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને જનતાનો સાથ બનશે ઢાલ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24