Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લાની શાળાઓમાં ઓડિટ ટીમનું કૌભાંડ: વર્ગ દીઠ ₹500, નવા શિક્ષકો પાસેથી ₹2000 સુધીની ઉઘરાણી, વિડીયો પણ બન્યો હોવાની ચર્ચાઓ

ગાંધીનગરથી દાહોદ જિલ્લાની બિનસરકારી શાળાઓનું ઓડિટ કરવા આવેલી ટીમે મોટું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, કમિશનર શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલી ઓડિટ ટીમે શાળાઓ પાસેથી અનધિકૃત નાણાંની ઉઘરાણી કરી હોવાની ચર્ચાઓ શિક્ષક જગતમા જોરશોરથી સાંભળવા મળી રહી છે.
ઓડીટ ટીમને જિલ્લાની કુલ 194થી વધુ શાળાઓનું ઓડિટ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આમાં ફતેપુરા તાલુકાની 24, ઝાલોદ અને સંજેલી તાલુકાની 48, ધાનપુર-લીમખેડા-સીંગવડ તાલુકાની 45, દેવગઢ બારીયા તાલુકાની 32, ગરબાડા તાલુકાની 15 અને દાહોદ તાલુકાની 30થી વધુ શાળાઓનો સમાવેશ થાય છે.
શિક્ષક જગતમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ઓડિટ ટીમે દરેક વર્ગ દીઠ ₹500ની ઉઘરાણી કરી છે. નવા નિમાયેલા શિક્ષકો પાસેથી ₹1500થી ₹2000 સુધીની રકમ માંગવામાં આવ્યા છે. પૂરો પગાર મેળવતા શિક્ષકો પાસેથી ₹2000ની ઉઘરાણી કરવામાં આવી હોવાની વાતો વહેતી થઈ છે.
શિક્ષણ જગતના બાતમીદાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એક શાળામાં પૈસાની લેવડ-દેવડનો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. આ વીડિયો મીડિયાના પત્રકાર સુધી પહોંચ્યો હોવાની માહિતી મળી રહી છે. જો આ વીડિયો સાર્વજનિક થશે તો શિક્ષણ જગતમાં મોટો ખળભળાટ મચી શકે છે. ત્યારે હવે સમગ્ર અહેવાલ ટુક સમયમા જ પ્રસારીત થાય તેવી અટકળો ચાલી રહી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકાના 14 નવિન ગ્રામીણ રસ્તાઓને રાજ્ય સરકારે આપી મંજુરી, નવિન રસ્તાઓ બનાવવા માર્ગ-મકાન વિભાગને રૂપીયા 8.47 કરોડ ફાળવ્યા: લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે નવિન રસ્તાઓ માટે કરી હતી રજુઆત

Panchayat Samachar24