Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

ખેતરે જવા નીકળેલા નગરાળાના અંજુબેન પરમાર ઘરે પરત ન ફર્યા

 

ડેસ્ક પંચાયત સમાચાર૨૪. તા.૨૭
દાહોદનાં નગરાળા ગામનાં ખેડા ફળીયાના અંજુબેન પરમાર ગુમ થયા છે. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગત મુજબ તેઓ ગત તા. ૧૨ સપ્ટેમ્બરનાં રોજ બપોરે ઘરેથી ખેતરમાં ઘાસ લેવા જાઉં છું કહીને નીકળ્યા હતા પરંતુ પરત ફર્યા નથી. તેમની ઉંમર ૧૯ વર્ષ છે. શરીરે મજબુત બાંધાનાં, ઘઉંવર્ણા, લંબગોળ ચહેરો અને કાળા વાળ છે. તેમજ કાળા રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેઓ ધોરણ ૮ સુધી ભણ્યા છે અને ગુજરાતી તેમજ હિન્દી ભાષા જાણે છે. ગુમ થનાર વિશે કોઇ પણ માહિતી મળે તો દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૬૭૩-૨૪૪૯૦૦ તેમજ મોબાઇલ નં. ૯૧૦૬૫ ૪૪૭૮૭ ઉપર જાણ કરવી. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ શ્રી એમ.એફ. ડામોરે એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.

સંબંધિત પોસ્ટ

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

Panchayat Samachar24

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

Panchayat Samachar24

ફતેપુરા નગર મા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા તંત્ર નિષ્ફળ: તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત સરકારે 100 ટકા અનાજ અને 20 ટકા ખાંડ ફરજિયાતપણે શણના થેલામાં પેકિંગ કરવા કર્યો આદેશ

Panchayat Samachar24

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

Panchayat Samachar24