Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

ખેતરે જવા નીકળેલા નગરાળાના અંજુબેન પરમાર ઘરે પરત ન ફર્યા

 

ડેસ્ક પંચાયત સમાચાર૨૪. તા.૨૭
દાહોદનાં નગરાળા ગામનાં ખેડા ફળીયાના અંજુબેન પરમાર ગુમ થયા છે. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગત મુજબ તેઓ ગત તા. ૧૨ સપ્ટેમ્બરનાં રોજ બપોરે ઘરેથી ખેતરમાં ઘાસ લેવા જાઉં છું કહીને નીકળ્યા હતા પરંતુ પરત ફર્યા નથી. તેમની ઉંમર ૧૯ વર્ષ છે. શરીરે મજબુત બાંધાનાં, ઘઉંવર્ણા, લંબગોળ ચહેરો અને કાળા વાળ છે. તેમજ કાળા રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેઓ ધોરણ ૮ સુધી ભણ્યા છે અને ગુજરાતી તેમજ હિન્દી ભાષા જાણે છે. ગુમ થનાર વિશે કોઇ પણ માહિતી મળે તો દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૬૭૩-૨૪૪૯૦૦ તેમજ મોબાઇલ નં. ૯૧૦૬૫ ૪૪૭૮૭ ઉપર જાણ કરવી. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ શ્રી એમ.એફ. ડામોરે એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.

સંબંધિત પોસ્ટ

લીમખેડાના પ્રખ્યાત અંબા જ્વેલર્સ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ શરૂ થતા ગ્રાહકોમા ખુશીનો માહોલ છવાયો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામા ભૂ-માફિયાઓ બેફામ: સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોની વણઝાર: સરકારી તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યુ

Panchayat Samachar24

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Panchayat Samachar24

​​​​​​​દાહોદમાં કોરોનાથી સ્થિતિ વધુ ન વણસે તે માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરતા નગરપાલીકાના પ્રમુખ રીના પંચાલ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૦૯ તાલુકા તેમજ ત્રણ શહેરના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ