Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

ખેતરે જવા નીકળેલા નગરાળાના અંજુબેન પરમાર ઘરે પરત ન ફર્યા

 

ડેસ્ક પંચાયત સમાચાર૨૪. તા.૨૭
દાહોદનાં નગરાળા ગામનાં ખેડા ફળીયાના અંજુબેન પરમાર ગુમ થયા છે. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગત મુજબ તેઓ ગત તા. ૧૨ સપ્ટેમ્બરનાં રોજ બપોરે ઘરેથી ખેતરમાં ઘાસ લેવા જાઉં છું કહીને નીકળ્યા હતા પરંતુ પરત ફર્યા નથી. તેમની ઉંમર ૧૯ વર્ષ છે. શરીરે મજબુત બાંધાનાં, ઘઉંવર્ણા, લંબગોળ ચહેરો અને કાળા વાળ છે. તેમજ કાળા રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેઓ ધોરણ ૮ સુધી ભણ્યા છે અને ગુજરાતી તેમજ હિન્દી ભાષા જાણે છે. ગુમ થનાર વિશે કોઇ પણ માહિતી મળે તો દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૬૭૩-૨૪૪૯૦૦ તેમજ મોબાઇલ નં. ૯૧૦૬૫ ૪૪૭૮૭ ઉપર જાણ કરવી. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ શ્રી એમ.એફ. ડામોરે એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.

સંબંધિત પોસ્ટ

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

Panchayat Samachar24

દાહોદ – લીમખેડા હાઈવે રોડ પર દાંતિયાં ગામ નજીક ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત: ટ્રકમાં સવાર કંડકટરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ: જયારે ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે સો ફુટ ઉંચા પોલ પર તિરંગો લહેરાવાયો

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24