Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચારદાહોદ

ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી : ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે આવેલા ફટાકડાના ગોડાઉનમાં આજે બપોરે આકસ્મિત આગ લાગતા આસપાસ રહેતા લોકોમાં નાસભાગ મચી હતી. ફડાટકડાના ગોડાઉનની બાજુમાં રહેણાંક મકાન પણ હતું જેના કારણે ભયનો માહોલ છવાયો હતો. સદ્‌નસીબે આગમાં કોઈ પ્રકારની જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

દાહોદ જિલ્લામાં હાલ આગના આકસ્મિક બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક આગના બનાવને પગલે ગામમાં અફરા તરફીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝાલોદ તાલુકાના લીમડી નજીક આવેલા ખેડા ગામમાં એક ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિત આગ ફાટી નીકળીતમાં ગોડાઉનમાં મુકી રાખેલા ફટાકડાં ધાંણીની માફક ફુટવા લાગ્યાં હતાં અને જેને પગલે આગે વિકરાળ રૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટાળ આકાશમાં જોવા મળ્યાં હતાં.

ઘટનાની જાણ તાત્કાલિક નજીકના ફાયર ફાઈટરોને કરતાં ફાયર ફાઈટરના ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોઈ લગભગ આ ગોડાઉનના માલિક દ્વારા ફટાકડાનું વેચાણ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આવા સમયે ફટાકડાનું વેચાણ કેટલું યોગ્ય અને તે પણ રહેણાંક વિસ્તારોમાં ફટાકડાનું ગોડાઉન રાખવું કેટલું હિતાવહ્‌ છે? તે પણ ચર્ચાનો વિષય બની રહેવા પામ્યો છે. બીજી તરફ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરાની બેન્ક ઓફ બરોડાની બહાર લાગી લાંબી લાઈનો: કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24

દાહોદ જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પુત્રને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો: સામાન્ય બાળકો સાથે ભણે છે આઈ.એ.એસ. અધિકારીનો પુત્ર

Panchayat Samachar24

લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

Panchayat Samachar24

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

Panchayat Samachar24