Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચારદાહોદ

ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી : ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે આવેલા ફટાકડાના ગોડાઉનમાં આજે બપોરે આકસ્મિત આગ લાગતા આસપાસ રહેતા લોકોમાં નાસભાગ મચી હતી. ફડાટકડાના ગોડાઉનની બાજુમાં રહેણાંક મકાન પણ હતું જેના કારણે ભયનો માહોલ છવાયો હતો. સદ્‌નસીબે આગમાં કોઈ પ્રકારની જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

દાહોદ જિલ્લામાં હાલ આગના આકસ્મિક બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક આગના બનાવને પગલે ગામમાં અફરા તરફીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝાલોદ તાલુકાના લીમડી નજીક આવેલા ખેડા ગામમાં એક ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિત આગ ફાટી નીકળીતમાં ગોડાઉનમાં મુકી રાખેલા ફટાકડાં ધાંણીની માફક ફુટવા લાગ્યાં હતાં અને જેને પગલે આગે વિકરાળ રૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટાળ આકાશમાં જોવા મળ્યાં હતાં.

ઘટનાની જાણ તાત્કાલિક નજીકના ફાયર ફાઈટરોને કરતાં ફાયર ફાઈટરના ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોઈ લગભગ આ ગોડાઉનના માલિક દ્વારા ફટાકડાનું વેચાણ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આવા સમયે ફટાકડાનું વેચાણ કેટલું યોગ્ય અને તે પણ રહેણાંક વિસ્તારોમાં ફટાકડાનું ગોડાઉન રાખવું કેટલું હિતાવહ્‌ છે? તે પણ ચર્ચાનો વિષય બની રહેવા પામ્યો છે. બીજી તરફ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે.

સંબંધિત પોસ્ટ

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં ૧૫-માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પુર્ણ થયેલા વિકાસ કામોના બીલોના નાણાંની ચુકવણીમાં વિલંબ કરવા મા આવતા સરપંચોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો: કામોની ચકાસણી કરી બીલો ચુકવવા માંગ

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

Panchayat Samachar24

હોટલ અને રેસ્ટોરન્ટમા પરાઠા ખાવા પડશે મોંઘા: હવે પરાઠા પર 18% GST ચુકવવો પડશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24