Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

સમગ્ર દાહોદ જિલ્લા સહિત શહેરમાં કોરોના વાયરસના અજગર ભરડામાં છે. ત્યારે હવે સરકારી સુવિધાઓ હવે પુરતા પ્રમાણમાં નહી રહે અને સમગ્ર માળખુ તૂટી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે દાહોદ ના શહેરીજનો લોકડાઉન વિશે મનોમંથન કરી રહ્યા હતા. તેવા સમયમાં નગર પાલિકા પ્રમુખ રીના પંચાલે બોલાવેલી બેઠકમાં વેપારીઓ વચ્ચે સર્વસંમત્તિ સધાતા હવે શુક્ર, શનિ અને રવી લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે.

રવિવારે મળેલી આ બેઠકમાં વેપારીઓ, સામાજિક સંગઠનો તેમજ પાલિકાના સત્તાધીશો વગેરે ઉપસ્થિત હતા. મહત્તમ વેપારીઓનો મત લોકડાઉનના વિરોધમાં હતો. ત્યારે કેટલાકે જાન હૈ તો જહાંન હૈની વાત પણ કરી હતી. વાતાવરણ જોતા સ્પષ્ટ જણાતું હતુ કે લોકડાઉન કોરોનાને રોકવા અસરકારક નથી તો એમ પણ જણાતુ હતુ કે સ્વૈચ્છિક લોકડાઉનની વાત હતી એટલે ઘણાંએ જાણે તેનો છેદ જ ઉડાવી દીધો. જો કાયદાની કલમ વડે લોકડાઉનનો પત્ર લખવામાં આવ્યો હોત તો પરિણામ કંઇક જુદું જ આવતુ તે નિશ્ચિત છે.

આમ આ લોકડાઉન કરવામાં આવશે. પરંતુ આગામી ચાર દિવસમાં જ ઘણું મોડુ થઇ જવાની દહેશત આરોગ્ય સેવા સાથે જોડાયોલા તજજ્ઞો જ વ્યક્ત કરી રહ્યા છે. આરોગ્ય સેવા ઠપ થઇ જવાના મેસેજ વાઇરલ થઇ રહ્યા છે. જેથી આ ચાર દિવસમાં દવાખાનાઓથી માંડી જનસામાન્યની સ્થિતિ વણસી જવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો ફતેપુરા પોલીસે રાજસ્થાન થી કબજો મેળવ્યો: પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25-મી જુન થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી: તબીબોએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો

Panchayat Samachar24

સીંગવડમાં મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ના દર્દીઓમા વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમા આવ્યુ: ફોગીંગ ની કામગીરી હાથ ધરાઈ

Panchayat Samachar24

હવે 2000 રૂપિયાની નોટ 7 ઓક્ટોબર સુધી બદલી શકાશે: રિઝર્વ બેંકે મુદ્દતમા કર્યો વધારો

Panchayat Samachar24