Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

સમગ્ર દાહોદ જિલ્લા સહિત શહેરમાં કોરોના વાયરસના અજગર ભરડામાં છે. ત્યારે હવે સરકારી સુવિધાઓ હવે પુરતા પ્રમાણમાં નહી રહે અને સમગ્ર માળખુ તૂટી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે દાહોદ ના શહેરીજનો લોકડાઉન વિશે મનોમંથન કરી રહ્યા હતા. તેવા સમયમાં નગર પાલિકા પ્રમુખ રીના પંચાલે બોલાવેલી બેઠકમાં વેપારીઓ વચ્ચે સર્વસંમત્તિ સધાતા હવે શુક્ર, શનિ અને રવી લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે.

રવિવારે મળેલી આ બેઠકમાં વેપારીઓ, સામાજિક સંગઠનો તેમજ પાલિકાના સત્તાધીશો વગેરે ઉપસ્થિત હતા. મહત્તમ વેપારીઓનો મત લોકડાઉનના વિરોધમાં હતો. ત્યારે કેટલાકે જાન હૈ તો જહાંન હૈની વાત પણ કરી હતી. વાતાવરણ જોતા સ્પષ્ટ જણાતું હતુ કે લોકડાઉન કોરોનાને રોકવા અસરકારક નથી તો એમ પણ જણાતુ હતુ કે સ્વૈચ્છિક લોકડાઉનની વાત હતી એટલે ઘણાંએ જાણે તેનો છેદ જ ઉડાવી દીધો. જો કાયદાની કલમ વડે લોકડાઉનનો પત્ર લખવામાં આવ્યો હોત તો પરિણામ કંઇક જુદું જ આવતુ તે નિશ્ચિત છે.

આમ આ લોકડાઉન કરવામાં આવશે. પરંતુ આગામી ચાર દિવસમાં જ ઘણું મોડુ થઇ જવાની દહેશત આરોગ્ય સેવા સાથે જોડાયોલા તજજ્ઞો જ વ્યક્ત કરી રહ્યા છે. આરોગ્ય સેવા ઠપ થઇ જવાના મેસેજ વાઇરલ થઇ રહ્યા છે. જેથી આ ચાર દિવસમાં દવાખાનાઓથી માંડી જનસામાન્યની સ્થિતિ વણસી જવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

Panchayat Samachar24

વિરોધીઓના ષડયંત્રો સામે હિમાલયની જેમ અડગ બચુભાઈ ખાબડ: ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને જનતાનો સાથ બનશે ઢાલ

Panchayat Samachar24

સીંગવડમાં મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ના દર્દીઓમા વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમા આવ્યુ: ફોગીંગ ની કામગીરી હાથ ધરાઈ

Panchayat Samachar24

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ જિલ્લામાં પત્રકારો સાથે પ્રેસ પરિસંવાદ યોજાશે

Panchayat Samachar24