Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ કલેક્ટરે ઝાયડસ હોસ્પિટલની લીધી મુલાકાત: કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના પૂછ્યા ખબર અંતર: ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની સેવાને કલેક્ટરે બિરદાવી

  • દાહોદના કલેક્ટર વિજય ખરાડીએ કોરોના વોર્ડમાં જઇ દર્દીઓના ક્ષેમકુશળ પૂછ્યા.

  • દર્દીઓની અવિરત અને અથાક સેવા કરી રહેલા તબીબો તથા સ્ટાફ નર્સીસની સેવાને કલેક્ટરશ્રીએ બિરદાવી.

  • Advertisement
  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત નવા બાયપેપ સિવિલને અપાયા, ઓક્સીજન વપરાશનું ઓડિટિંગ પણ કરાયું.

દાહોદના કલેક્ટર વિજય ખરાડી શનિવારની રાત્રે અહીંની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓના ક્ષેમકુશળ પૂછવા માટે રાત્રીના સમયે પહોંચી ગયા હતા. આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે તેઓ પીપીઇ કિટ પહેરી સિવિલ કોરોના વોર્ડમાં જઇ તમામ દર્દીઓને રૂબરૂ મળ્યા હતા. ત્યાં તેમને મળી રહેલી સારવાર અંગે જાત માહિતી મેળવી હતી.


અત્રેની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આ વિસ્તારના મોટા ભાગના દર્દીઓ કોરોના વાયરસની સારવાર મેળવી રહ્યા છે. ગઇ કાલ શનિવારની સ્થિતિએ ત્યાંની જૂની અને નવી બન્ને બિલ્ડીંગમાં દાખલ ૨૯૦ જેટલા દર્દીઓને તેમના બેડ પાસે જઇ કલેક્ટરે તેમના ખબરઅંતરની પૃચ્છા કરી હતી.
કલેકટરે અહીં સેવારત તબીબો, પરિચારિકાઓ સાથે પણ મુલાકાત કરી હતી. છેલ્લા ૧૩ માસથી કોવિડની સ્થિતિમાં દર્દીઓની અવિરત સેવા કરી રહેલા આ તબીબો તથા સ્ટાફ નર્સીસની ફરજને તેમણે સરાહના કરી હતી. દાહોદ જેવા અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપી રહેલા તબીબીની નિષ્ઠાપૂર્વક સેવાને કારણે કોરોનાકાળમાં અનેક નાગરિકોના અમૂલ્ય જીવન બચાવી શક્યા હોવાની વાત તેમણે તબીબો સાથેના વાર્તાલાપમાં કહી હતી.


સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવી રહેલા ઓક્સીજનનું તેમણે તબીબોની સાથે ઓડિટિંગ પણ કર્યું હતું. ઓક્સીજન સુવિધાની જરૂરી સમીક્ષા કરાઇ હતી. તેમણે તત્કાલીક સારવાર વિભાગની મુલાકાત પણ લીધી હતી. અહીં પથારીની ક્ષમતા વધારવા માટે સૂચન કર્યું હતું.
આ મુલાકાતની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખરીદવામાં આવેલા સાત બાયપેપ ઝાયડ્સને આપવામાં આવ્યા હતા. જેનો તત્કાલ ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ ટીમ દ્વારા હેલ્પ ડેસ્કની મુલાકાત લેવાઇ હતી. જેમાં ડેસ્ક ઉપર બેસતી વ્યક્તિ જરૂરી માહિતી રાખે, પેશન્ટના દર્દીઓ સાથે સદ્દભાવપૂર્ણ વ્યવહાર કરે એવી સૂચના અપાઇ હતી.
આ વેળાએ આરોગ્ય અધિકારી ડો. સી. આર. પટેલ, ડો. રમેશ પહાડિયા, ઝાયડ્સના સીઓઓ ડો. સંજય કુમાર પણ સાથે જોડાયા હતા.

સંબંધિત પોસ્ટ

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

દેવગઢ બારીઆ એસ.ટી ડેપોના વર્કશોપમાં ઉભેલી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ખાખ

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24