Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરાની બેન્ક ઓફ બરોડાની બહાર લાગી લાંબી લાઈનો: કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

ફતેપુરાની બેન્ક ઓફ બરોડાની બહાર લાગી લાંબી લાઈનો: કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

દાહોદ જિલ્લાના ફતેપુરા નગર મા આવેલી બેન્ક ઓફ બરોડામાં કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. બેન્ક બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. બેંક સત્તાધીશો ધ્વારા કોઈપણ પ્રકાર ની વ્યવસ્થા કરવામા આવી નથી જેથી કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સ નૂ પાલન થાય આવી લાંબી લાઈનો લાગવાથી લોકો કોરોનાથી કેવી રીતે બચી શકાય તે પણ મોટો સવાલ છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ નો આંકડો ઘટતાની સાથે સરકાર ધ્વારા આશિક લોકડાઉન મા કેટલીક છુટછાટો આપી છે પરંતુ સરકાર ની છુટ છાટનો ઉપયોગ સરકાર ની ગાઈડ લાઈન અને નિયમોનુ ચુસ્તપણે પાલન કરવુ ખુબજ જરુરી છે, કોરોનાના સંક્રમણ ને લઈને સરકાર દ્વારા અલગ અલગ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક ફરજિયાત પહેરવું, સેનેટાઈઝ કરવુ જેવા અનેક સુચનો આપવામાં આવ્યા છે. આવી સાવચેતીઓથી લોકોમાં કોરોના સંક્રમણ ઘટી શકે, પરંતુ દાહોદ જીલ્લાના ફતેપુરામા બેન્ક ઓફ બરોડા ના દ્રશ્યો જોતા એવુ લાગે છે કે જાણે કોરોનાનો ભય ના હોઈ તેમ બેન્ક બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી.

ફતેપરા પોલીસ સ્ટેશન બેન્ક થી માત્ર 100 મીટર દુર છે.

ફતેપુરા પોલીસ સ્ટેશન થી માત્ર 100 મીટરના અંતરે આવેલી બેન્ક ઓફ બરોડા બહાર લોકોની લાંબી લાઇન જોવા મળી હતી, તો ફતેપુરા પોલીસ સ્ટેશન નજીકમા જ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. પોલીસ તરફ થઈ પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી નહિ કરવામા આવતા લોકો ચર્ચાનો વિષય બન્યો છે. અહીં લોકોના જણાવ્યા અનુસાર દરરોજ વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળે છે. બેન્ક બહાર લાંબી લાઇન હોવા છતાં શા માટે બેન્ક કર્મચારી દ્વારા ઉકેલ લાવવામાં આવતો નથી. ત્યારે હવે ઉચ્ચ અધિકારીઓ ધ્વારા બેન્ક ની મુલાકાત લેવામા આવે તો જાહેર જનતાને રાહત થાય તેમ છે.

સંબંધિત પોસ્ટ

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદની રાજનીતિના ચાણક્ય, ખેડૂત પુત્રથી ગુજરાતના રાજકીય શિખર સુધીની અજેય યાત્રા!, સમર્પણ, સંઘર્ષ અને સેવાનો સમન્વય, દાહોદ જીલ્લાના વિકાસની નવી ગાથા રચી!

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24

ગુજરાત વિભાનસભાની ચુંટણીની થઈ શકે છે જાહેરાત: જાણો ચુંટણીની સંભવિત તારીખો

Panchayat Samachar24

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

Panchayat Samachar24

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

Panchayat Samachar24