Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાના સુખસર ગામ માંથી પસાર થતી દારુ ભરેલી ટ્રકને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી રુપીયા 3.24 લાખની કિંમત ના દારુ સહિત કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

ફતેપુરા તાલુકાના સુખસર ગામ માંથી પસાર થતી દારુ ભરેલી ટ્રકને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી રુપીયા 3.24 લાખની કિંમત ના દારુ સહિત કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી.

દાહોદ એલ.સી.બી પોલીસને કુશલગઢ થી ઇંગ્લિશ દારૂ ભરી સુખસર માંથી ટ્રક પસાર થવાની હોવા બાબતે મળેલ ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના સુખસર માંથી દારૂ ભરી ટ્રક પસાર થવાની હોવા બાબતે બાતમી મળતા બાતમી વાળી ટ્રક શંકાસ્પદ હાલતમાં ઝાલોદ થી સુખસર તરફ જતા રસ્તા ઉપર વાંકાનેર ત્રણ રસ્તા પાસેથી પસાર થતી ટ્રક નંબર- આર.જે-૦૩.જીએ-૦૬૮૭.ની તલાશી લેતા ટ્રકમાં બનાવવામાં આવેલ ચોર ખાનાની તપાસ કરતા ચોર ખાનામાંથી ઈંગ્લીશ દારૂની પેટી નંગ ૪૫ મળી આવી હતી.જેમાં બોટલોની ગણતરી કરતા ૨૧૬૦ જેની કિંમત રૂપિયા-૩૨૪૦૦૦/- નો દારૂ પોલીસ ને મળી આવ્યો હતો. જ્યારે ટ્રકની કિંમત-૩૦૦૦૦૦/- તથા ટ્રકમાંથી મળી આવેલ મોબાઈલ નંગ-૨ જેની કિંમત રૂપિયા-૧૦,૦૦૦/- મળી કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
જ્યારે દારૂ વહન કરતાં બે ખેપિયાઓની પૂછપરછ કરતા પોતાનું નામ શંકરભાઈ પ્રેમાજી ગાયરી રહે. દરોલી,તાલુકો-જિલ્લો ઉદયપુર(રાજસ્થાન)જ્યારે બીજા ખેપિયાનું નામ પુછતાં તેણે પોતાનું નામ જીતુલાલ મંગુભાઈ પટેલ રહે.કુંદની આલ,તા સજજનગઢ,જિલ્લો. બાસવાડા(રાજસ્થાન)નો હોવાનું જણાવ્યું હતું.આ બંને આરોપીઓને પ્રોહી મુદ્દામાલની આંતરરાજ્ય હેરાફેરી પરિવહન કરી લાવી ગુન્હો કરવા સબબ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સંબંધિત પોસ્ટ

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના દુધામલી ગામે દીપડાને બાંધી પજવણી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ: ત્રણેય આરોપીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

Panchayat Samachar24

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24

દાહોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૨૦ નવા યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા: કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિતિ રહ્યા

Panchayat Samachar24