Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

  • દાહોદ શહેર ના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન
  • એક તરફ ખાડા રાજ બીજી તરફ ટ્રાફિક ની વિકરાળ સમસ્યા
  • Advertisement
  • શહેરમા રસ્તે રખડતા ઢોરોનો ત્રાસ વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.05
કેન્દ્ર સરકાર દ્વારા દાહોદ શહેર નો જ્યારથી સ્માર્ટસિટી માં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યાર થી શહેર ને સ્માર્ટ બનાવવા ના નામે અનેક યોજનાઓના કર્યો ની શુભ શરૂઆત કરવામાં આવી છે જોકે આ તમામ વિકાસ ના કર્યો મંથર ગતિએ ચાલતા હોવાથી શહેરીજનો ને અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડેછે તો બીજી તરફ શહેર માં દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા એ પણ માઝા મૂકી છે શહેર ના માર્ગો સાંકડા અને રોજ બરોજ દ્વિચક્રી વાહનો કાર તેમજ અન્ય મોટા વાહનો એજ જુના સાંકડા માર્ગો પર દોડે છે ત્યારે ટ્રાફિક સમસ્યા ને હળવી કરવા માટે સ્માર્ટસિટી અંતર્ગત ટ્રાફિક સિગ્નલો મુકવામાં આવ્યા છે જેથી મહદ અંશે ટ્રાફિક સમસ્યા નું નિરાકરણ આવે જોકે આ તમામ ટ્રાફિક સિગ્નલો લાગેલ હોવા છતાંય શોભા ના ગાંઠિયા બની ને રહ્યા છે થોડા સમય પહેલા સિગ્નલો કાર્યરત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ફરીથી એ તમામ સિગ્નલો માત્ર દેખાવ પૂરતા જ રહ્યા છે એક તરફ ખાડા રાજ બીજી તરફ ટ્રાફિક ની વિકરાળ સમસ્યા તો ત્રીજી તરફ રસ્તે રખડતા ઢોરો નો ત્રાસ હાલ દાહોદ સ્માર્ટસિટી બનશે ત્યારની વાત ત્યારે પરંતુ હાલ તો દાહોદ ના નાગરિકો એકજ વાત કહે છે કે જાયેં તો જાયેં કહાં.

સંબંધિત પોસ્ટ

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

Panchayat Samachar24

દિવાળી ટાંણે સરકારી બાબુઓ સાવધાન: એ.સી.બી. તમને મળતી ભેટ-સોગાદો પર રાખી રહયું છે બાજ નજર

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

Panchayat Samachar24

ગુજરાતમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન નક્કી: ૧લી મેના રોજ સુરતના કામરેજ ખાતે સંયુક્ત સંમેલનમા કરાશે વિધિવત જાહેરાત

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24