Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

  • સીંગવડના નાના આંબલીયા ગામ ખાતે ૫૪ મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો
  • દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
  • Advertisement
  • કાર્યક્રમમાં નવરાત્રી રાસ ગરબા સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.30
દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે આવેલ સરદાર પટેલ વિદ્યાલય ખાતે ૫૪ મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવરાત્રી રાસ ગરબા સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાત વિધાનસભાના દંડક કટારાએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓ-યુવાનો આવી સ્પર્ધાઓમાં ભાગ લઇને પોતાના રસના વિષયમાં નવી ક્ષિતિજોને સર કરી શકે છે. વિદ્યાર્થીઓ નાની વયથી જ પોતાના રસના વિષયમાં પારંગતતા હાંસલ કરવાનું લક્ષ રાખીને આગળ વધે. રાજ્ય સરકાર દ્વારા તેમના વિકાસ માટે જરૂરી તમામ સહાયતા અપાઇ રહી છે.

યુવા મહોત્સવમાં સંબોધન કરતાં સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ભારત, શ્રેષ્ઠ ભારત, નયા ભારતના લક્ષ સાથે યુવાનો-વિદ્યાર્થીઓના ઉન્નત ભવિષ્ય માટે પ્રયાસરત છે. આપણા આદિવાસી વિદ્યાર્થીઓ-યુવાનોમાં અનેક સુષુપ્ત શક્તિઓ પડેલી છે. જે આવા કાર્યક્રમો થકી દીપી ઉઠે છે. પ્રધાનમંત્રીએ યુવાનોના વિકાસ માટે અનેક યોજનાઓ અને મહત્વનાં પગલાઓ લીધા છે ત્યારે યુવાનોએ પણ દેશનાં વિકાસ માટે પોતાની તમામ શક્તિઓને લગાવી દેવી જોઇએ.
૫૪માં જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉમંગ સાથે ભાગ લીધો હતો.

આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા, ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, સરદાર પટેલ વિદ્યાલયના સંસ્થાપક કંચનબેન ભાભોર, શિક્ષણ સમિતિના ચેરમેન  પ્રફુલ્લભાઇ ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી વિરલ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

Panchayat Samachar24