Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

  • દાહોદ શહેર ના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન
  • એક તરફ ખાડા રાજ બીજી તરફ ટ્રાફિક ની વિકરાળ સમસ્યા
  • Advertisement
  • શહેરમા રસ્તે રખડતા ઢોરોનો ત્રાસ વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.05
કેન્દ્ર સરકાર દ્વારા દાહોદ શહેર નો જ્યારથી સ્માર્ટસિટી માં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યાર થી શહેર ને સ્માર્ટ બનાવવા ના નામે અનેક યોજનાઓના કર્યો ની શુભ શરૂઆત કરવામાં આવી છે જોકે આ તમામ વિકાસ ના કર્યો મંથર ગતિએ ચાલતા હોવાથી શહેરીજનો ને અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડેછે તો બીજી તરફ શહેર માં દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા એ પણ માઝા મૂકી છે શહેર ના માર્ગો સાંકડા અને રોજ બરોજ દ્વિચક્રી વાહનો કાર તેમજ અન્ય મોટા વાહનો એજ જુના સાંકડા માર્ગો પર દોડે છે ત્યારે ટ્રાફિક સમસ્યા ને હળવી કરવા માટે સ્માર્ટસિટી અંતર્ગત ટ્રાફિક સિગ્નલો મુકવામાં આવ્યા છે જેથી મહદ અંશે ટ્રાફિક સમસ્યા નું નિરાકરણ આવે જોકે આ તમામ ટ્રાફિક સિગ્નલો લાગેલ હોવા છતાંય શોભા ના ગાંઠિયા બની ને રહ્યા છે થોડા સમય પહેલા સિગ્નલો કાર્યરત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ફરીથી એ તમામ સિગ્નલો માત્ર દેખાવ પૂરતા જ રહ્યા છે એક તરફ ખાડા રાજ બીજી તરફ ટ્રાફિક ની વિકરાળ સમસ્યા તો ત્રીજી તરફ રસ્તે રખડતા ઢોરો નો ત્રાસ હાલ દાહોદ સ્માર્ટસિટી બનશે ત્યારની વાત ત્યારે પરંતુ હાલ તો દાહોદ ના નાગરિકો એકજ વાત કહે છે કે જાયેં તો જાયેં કહાં.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

ફતેપુરા નગરના વિકાસ માટે આવેલ 96 લાખની ગ્રાન્ટ માંથી પંચાયત ભવન બનાવવાની હિલચાલ સામે સોશિયલ મીડિયામા સવાલોનો ધોધ: 42 લાખની આવક છતાં કર્મચારીઓનો પગાર ગ્રાન્ટમાંથી કેમ? સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા વહીવટી તંત્ર સામે પ્રશ્નાર્થ

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24