Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

  • એક વર્ષથી વિજળી વિના જીવન વિતાવતા 23 પરિવરો
  • વિજ કચેરીને અનેકવાર રજુઆત છતા પરિણામ શુન્ય
  • Advertisement

 

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.19
દાહોદ જીલ્લા એ અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તાર ધરાવતો આદિવાસી બાહુલ્ય જીલ્લો છે, ગામડાની ગરીબ અને અભણ પ્રજાને પડતી મુશ્કેલીઓના અનેક કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે, આજના આધુનિક અને ડીજીટલ જમાનામા વિજળી એ જીવન જરૂરિયાત નો અભિન્ન અંગ બની ગયુ છે, વિજળી વિના આજનો માનવી જીવન જીવી શકે તે પરિસ્થિતિ મા નથી તેવા સમયમા  દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકાનુ ગરાડુ ગામ કે, જેને તળાવ ફળિયા વિસ્તાર મા રહેતા આદિવાસી સમાજના 23 જેટલા પરિવારોના ઘરોમા છેલ્લા એકાદ વર્ષથી વીજળી કનેક્શન ન હોવાના કારણે અંધારપટમાં પોતાનુ જીવન પસાર કરવાનો વારો આવ્યો છે, આ આદિવાસી પરિવારો દ્વારા વિજ કચેરીને અનેકવાર લેખિત અરજીઓ કરવા છતાં વિજ કચેરીના જવાબદાર અધિકારીઓ દ્વારા આજ દિન સુધી વિજ કનેક્શન આપવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ નથી, ગરાડુ ગામના લોકોએ વિજ કચેરીના છેલ્લા એક વર્ષથી ધમધક્કા ખાઈ રહ્યા છે. તેમ છતા કોઈ પરિણામ નહિ આવતા લોકોએ આખરે ઝાલોદ ના ધારાસભ્ય ભાવેશ કટારાને લેખિત ફરિયાદ કરી હતી, ધારાસભ્ય ભાવેશ કટારા દ્વારા સમગ્ર મામલે સબંધિત વિજ કચેરીના અધિકારીઓને આ પરિવારોને  23 પરિવારોને તાત્કાલિક અસરથી કુટિર જ્યોત યોજના અન્વયે વીજ કનેક્શન આપવા ભલામણ કરી હતી. પરંતુ વિજ કચેરીના અધિકારી ધારાસભ્ય ની ભલામણને પણ ઘોળીને પી ગયા હતા અને આજ દિન સુધી ગરાડુના 23 પરિવરોના ઘરોમા વિજ કનેક્શન થી વંચિત રહેવા પામ્યા છે. જેના કારણે ગરાડુંના 23 જેટલા પરિવારોને છેલ્લા એક વર્ષથી વીજળી વિના જીવન વ્યતિત કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવે વિજ કચેરીના અધિકારીઓ ક્યારે આ પરિવારોના ઘરોમા વિજ કનેક્શન આપી તેમના જીવનમા અજવાળુ કરે છે તે જોવાનુ રહેશે.

સંબંધિત પોસ્ટ

15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી અપાશે કોરોના વેક્સિન: PM મોદી

Panchayat Samachar24

દાહોદ LCBએ રેલવે પાટા-સ્લીપાટ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: પોલીસે રેલ્વેના 3020 કિલો પાટા-સ્લીપાટ મળી કુલ 6.74 લાખનો મુદ્દામાલ જપ્ત: 4 યુવકોની ધરપકડ

Panchayat Samachar24

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24