Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

  • એક વર્ષથી વિજળી વિના જીવન વિતાવતા 23 પરિવરો
  • વિજ કચેરીને અનેકવાર રજુઆત છતા પરિણામ શુન્ય
  • Advertisement

 

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.19
દાહોદ જીલ્લા એ અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તાર ધરાવતો આદિવાસી બાહુલ્ય જીલ્લો છે, ગામડાની ગરીબ અને અભણ પ્રજાને પડતી મુશ્કેલીઓના અનેક કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે, આજના આધુનિક અને ડીજીટલ જમાનામા વિજળી એ જીવન જરૂરિયાત નો અભિન્ન અંગ બની ગયુ છે, વિજળી વિના આજનો માનવી જીવન જીવી શકે તે પરિસ્થિતિ મા નથી તેવા સમયમા  દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકાનુ ગરાડુ ગામ કે, જેને તળાવ ફળિયા વિસ્તાર મા રહેતા આદિવાસી સમાજના 23 જેટલા પરિવારોના ઘરોમા છેલ્લા એકાદ વર્ષથી વીજળી કનેક્શન ન હોવાના કારણે અંધારપટમાં પોતાનુ જીવન પસાર કરવાનો વારો આવ્યો છે, આ આદિવાસી પરિવારો દ્વારા વિજ કચેરીને અનેકવાર લેખિત અરજીઓ કરવા છતાં વિજ કચેરીના જવાબદાર અધિકારીઓ દ્વારા આજ દિન સુધી વિજ કનેક્શન આપવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ નથી, ગરાડુ ગામના લોકોએ વિજ કચેરીના છેલ્લા એક વર્ષથી ધમધક્કા ખાઈ રહ્યા છે. તેમ છતા કોઈ પરિણામ નહિ આવતા લોકોએ આખરે ઝાલોદ ના ધારાસભ્ય ભાવેશ કટારાને લેખિત ફરિયાદ કરી હતી, ધારાસભ્ય ભાવેશ કટારા દ્વારા સમગ્ર મામલે સબંધિત વિજ કચેરીના અધિકારીઓને આ પરિવારોને  23 પરિવારોને તાત્કાલિક અસરથી કુટિર જ્યોત યોજના અન્વયે વીજ કનેક્શન આપવા ભલામણ કરી હતી. પરંતુ વિજ કચેરીના અધિકારી ધારાસભ્ય ની ભલામણને પણ ઘોળીને પી ગયા હતા અને આજ દિન સુધી ગરાડુના 23 પરિવરોના ઘરોમા વિજ કનેક્શન થી વંચિત રહેવા પામ્યા છે. જેના કારણે ગરાડુંના 23 જેટલા પરિવારોને છેલ્લા એક વર્ષથી વીજળી વિના જીવન વ્યતિત કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવે વિજ કચેરીના અધિકારીઓ ક્યારે આ પરિવારોના ઘરોમા વિજ કનેક્શન આપી તેમના જીવનમા અજવાળુ કરે છે તે જોવાનુ રહેશે.

સંબંધિત પોસ્ટ

લીમખેડા ગ્રામ પંચાયત ચૂંટણી: નિરસતા વચ્ચે રસપ્રદ બનશે ચૂંટણી, પ્રજાપતિ-ભરવાડ સમાજની ચાલ પર સૌની નજર: ગ્રામજનોમાં ઉત્સાહનો અભાવ, સરપંચના ઉમેદવારોને વોર્ડ સભ્યો શોધવામાં મુશ્કેલી, 22 જૂને મતદાન

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો ફતેપુરા પોલીસે રાજસ્થાન થી કબજો મેળવ્યો: પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના તાલુકાઓમા આવેલી મનરેગા શાખાઓમાં ફરજ બજાવતા 20 ટેકનિકલ આસિસ્ટન્ટની સામુહીક બદલી: લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા કર્મચારીઓ બદલાતા “ક્યાંક ખુશી તો ક્યાંક ગમ” નો માહોલ

Panchayat Samachar24

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ

Panchayat Samachar24

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

Panchayat Samachar24