Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

  • દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ
  • દાહોદ પોલીસ દ્વારા ચાર તાલીમ વર્ગો યોજી ચાર હજાર જેટલા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી
  • Advertisement
  • પોલીસ મુખ્ય મથક ખાતે એસી શ્રી હિતેશ જોયસર અને ડીવાયએસી શ્રી પરેશ સોલંકીએ તાલીમ વર્ગનો પ્રારંભ કરાવ્યો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.20
દાહોદ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે યુવાનો માટે યોજાયેલા સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગનો આજે પોલીસ અધીક્ષક હિતેશ જોયસરે પ્રારંભ કરાવ્યો હતો. બે માસ સુધી ચાલનારા આ તાલીમ વર્ગમાં ૭૦૦થી વધુ યુવાનો ભાગ લઇ રહ્યા છે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ચાર જેટલા વર્ગો યોજવામાં આવ્યા છે અને તેમાં ચાર હજાર જેટલા યુવાનોએ લાભ લીધો છે.

તાલીમના પ્રારંભે યુવાનોને સંબોધન કરતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું કે, કોઇ પણ લક્ષ્યને સખત મહેનતથી જ પ્રાપ્ત કરી શકાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાને લક્ષ્ય બનાવી તમામ યુવાનો તેને લગતી બાબતોમાં સખત મહેનત કરે તે જરૂરી છે. ખાનગી સંસ્થાઓની સાપેક્ષે સરકારી નોકરીનું યુવાનોમાં આકર્ષણ વધુ છે. એક વખતની સારી મહેનતથી વ્યક્તિગત વિકાસની સાથે પરિવારનું ભવિષ્ય પણ સુરક્ષિત બને છે.

તૈયારીની આડે આવનારા વિક્ષેપોને ઓળખી તેનાથી દૂર રહેવાની શીખ આપતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે કહ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોએ મોબાઇલના વળગણથી દૂર રહેવું જોઇએ. મોબાઇલની પાછળ બિનજરૂરી સમયનો વ્યય થાય છે અને પરીક્ષામાંથી ધ્યાન પણ ભટકી જાય છે. એટલે, તૈયારી દરમિયાન જો મોબાઇલથી દૂર રહીએ તો સફળ થવાની શક્યતા વધી જાય છે. અતઃ સ્વયંશિસ્ત ખૂબ જ જરૂરી બની જાય છે.

તેમણે એમ પણ કહ્યું કે, આ તાલીમ વર્ગ બે માસ સુધી ચાલશે અને જો આવશ્યક્તા જણાય તો એક માસ વધારવામાં આવશે. હાલના તબક્કે સવાર અને સાંજ એમ બે બેચને બેબે કલાક તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે. છાત્રોની ગ્રહણશક્તિની અનુકૂળતા જોઇને જરૂર પડે તો ત્રણ કલાકનો એક તાસ કરવામાં આવશે. બહારથી આવતા છાત્રોને સમયની અનુકૂળતા કરી આપવામાં આવશે.

આ તાલીમ વર્ગના છાત્રોને પરીક્ષામાં ઉપયોગી નિવડે એવું સામાન્યજ્ઞાનને લગતું સાહિત્ય દાહોદ જિલ્લા માહિતી કચેરી દ્વારા આપવામાં આવ્યું છે.
ઉદ્દઘાટન સત્રના અંતે આભાર વિધિ નાયબ પોલીસ અધીક્ષક પરેશ સોલંકીએ કરી હતી. આ વેળાએ સબ ઇન્સ્પેક્ટર જે. સી. જાદવ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મયુર રાઠોડ
મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

Panchayat Samachar24