Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

  • ગુજરાત સરકાર ટાસ્ક ફોર્સની રચના કરીને જનતા કામ ઝડપભેર થાય તે દિશામાં પ્રયત્નો કરાશે
  • રાજ્યના તમામ કલેકટરો અને પ્રાંત અધિકારીઓ સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજી
  • Advertisement
  • ટાસ્ક ફોર્સ જનતાના પ્રશ્નો અને ફરિયાદ સંદર્ભે કલેકટર કચેરીની ઓચિંતી ચકાસણી કરશે
  • જનતાની ફરિયાદોનો સ્થળ પર નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવશે
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.22
ગુજરાત રાજ્યમા ભ્રષ્ટાચાર મુકત શાસન કરવાની દિશામાં ગુજરાતની નવ નિયુક્ત સરકાર આગળ વધી રહી છે,  સરકાર દ્રારા પ્રજાલક્ષી અનેક નિર્ણયો કરવામા આવી રહ્યા છે ત્યારે રાજ્ય ના મહેસુલ વિભાગને ભ્રષ્ટાચાર મુકત બનાવવા સરકાર દ્વારા પ્રયાસો શરુ કરવામા આવ્યા છે, જેના ભાગરુપે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે  સરકાર આગામી દિવસોમા રાજ્ય કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરશે અને જનતાના કામ જલ્દી અને ઓછા સમય મા કેવી રીતે થાય તે દિશામાં પ્રયાસો શરુ કર્યા છે, જેને લઈને રાજ્યના તમામ જીલ્લા  કલેકટરો અને પ્રાંત અધિકારીઓ સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક મહત્વની બેઠક વિડીયો કોન્ફરન્સથી ગાંધીનગર ખાતે યોજી હતી. જેમા ટાસ્ક ફોર્સ વિશે તમામ અધિકારીઓને માહિતગાર કર્યા હતા  ટાસ્ક ફોર્સ જનતાના પ્રશ્નો તેમજ કરિયાદો અંગે જીલ્લા કલેકટર કચેરીની આકસ્મિક મુલાકાત કરી તપાસ કરશે અને જનતાની કરિયાદો અને પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય તે દિશામા કાર્યવાહી કરશે. આ ટાસ્ક ફોર્સની ટીમ મા ડેપ્યુટી કલેકટર થી નીચેની કક્ષાના અધિકારીની નિયુકિત નહિ કરવામા આવે અને આ ટાસ્ક ફોર્સ આકસ્મિક રાજ્ય ના કોઈપણ જિલ્લા કલેકટર કચેરીએ જઇને તપાસણી કરશે. અને પડતર પ્રશ્નો સહિતના જનતાના મુદ્દા પર ચર્ચા કરશે.
રાજ્યના મહેસુલ મંત્રી એ એમ પણ જણાવ્યુ હતુ કે, મહેસુલ વિભાગ ના કોઈ પણ અધિકારી કે કર્મચારી પૈસા માંગતા હોય તો વિડીયો રેકોર્ડ કરી અમને મોકલો, સાથે મહેસુલી એન્ટ્રીઓ કેટલાક અધિકારીઓ જનતાને હેરાન કરવા માટે “ના મંજુર” કરવા ખાતર “ના મંજુર” કરવાના મુદ્દાઓમાં પણ દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી થઇ શકે છે, મહેસુલ વિભાગ મા ક્યાંંય પણ ખોટું થતું હોય તો રાજ્ય ની નવ નિયુક્ત સરકાર ચલાવી લેવા માંગતી નથી તેવું તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતુ.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

Panchayat Samachar24

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ મૂવમેન્ટને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

Panchayat Samachar24

ગુજરાત સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડે દાહોદ જિલ્લામાં કોરોના વેક્સીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

Admin

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદની રાજનીતિના ચાણક્ય, ખેડૂત પુત્રથી ગુજરાતના રાજકીય શિખર સુધીની અજેય યાત્રા!, સમર્પણ, સંઘર્ષ અને સેવાનો સમન્વય, દાહોદ જીલ્લાના વિકાસની નવી ગાથા રચી!

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24