Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

  • જિલ્લા ફેર અરસપરસ અને આંતરિક બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા મહત્વપૂર્ણ હતા, તે મહત્વની જોગવાઈ હવેથી દૂર કરવામાં આવી છે. એટલે વતન શબ્દ દૂર કર્યો છે.
  • જે બોન્ડેડ શિક્ષકોને 10 વર્ષ 1 જગ્યાએ નોકરીની શરતે નિમણૂંક અપાઈ છે, તેવા શિક્ષકો 5 વર્ષ પછી બદલીની અરજી કરી શકશે.
  • Advertisement
  • સરકારી કર્મચારી એક જિલ્લાથી બીજા જિલ્લામાં બદલીને પાત્ર છે, તેવા કર્મચારીઓના પતિ-પત્ની સરકારી શાળામાં મુખ્યશિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મુકી શકાશે. જે શિક્ષકો વધ-ઘટની બદલીમાં અન્ય શાળામાં ગયા છે, તેવા શિક્ષકોને જો તેઓ મૂળ શાળામાં જગ્યા ખાલી પડે અને ઈચ્છે તો બદલીની માગણી કરી શકશે.
  • સરકારી કર્મી રાજ્યના એક જિલ્લાથી બીજા જિલ્લામાં પતિ-પત્નીના કિસ્સામાં ફેરબદલીનો લાભ હવેથી અનુદાનિત સંસ્થા (ગ્રાન્ટેડ) ગુજરાત સરકારના જાહેર સાહસો અને કેન્દ્ર સરકારના જાહેર સાહસો અને તેની કંપનીના કિસ્સામાં પણ અપાશે.
  • બદલીના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે એક સમિતિની રચના કરાઈ છે. અહીં શિક્ષકો તેમની સમસ્યા, બદલી અંગેની ફરિયાદ કરી શકશે. જેનાથી શિક્ષકોને બિનજરૂરી ખર્ચો, સમય બચશે અને શિક્ષણ વિભાગને ફાયદો થશે.
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.17

રાજ્યનાં લાખો શિક્ષકોને લઇને આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, આજે રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષકોની બદલીનાં નવા નિયમો અંગે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમા તેમણે ગુજરાતનાં લાખો શિક્ષકોનો લઇને એક મહત્વનો નિર્ણય કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

છેલ્લા ઘણા સમયથી શિક્ષકોને લઇને સરકાર દ્વારા કોઇ ખાસ નિર્ણય લેવામાં આવ્યા નથી, ત્યારે આજે તેમના હિત માટે શૈક્ષણિક વિભાગે એક મોટો નિર્ણય કર્યો છે. જણાવી દઇએ કે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષકોની બદલીનાં નવા નિયમો અંગે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતુ કે, ‘શિક્ષકોનાં બંને સંગઠનો સાથે બેઠક બાદ મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યાં છે. સર્વસંમિતિથી ચર્ચા કરીને આ મામલે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ રાજ્યનાં 2 લાખ શિક્ષકોને નવા નિયમોની સીધી અસર થશે. રાજ્યમાં 3થી 4 હજાર બદલી થયેલા શિક્ષકોને ઝડપી છૂટા કરાશે.’ વધુમાં તેમણે કહ્યુ કે, હવે 40 ટકાનાં બદલે 100 ટકા ખાલી જગ્યા પર બદલી થશે. શિક્ષકોની અરસ પરસ બદલીમાંથી વતન શબ્દ પણ દૂર કરાયો છે. વળી 10 વર્ષનાં બોન્ડેડ શિક્ષકો પાંચ વર્ષ પછી બદલી માટે અરજી કરી શકશે.

વળી વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, ‘શિક્ષણ વિભાગની નવી નીતિનાં કારણે 2 લાખ શિક્ષકોને તેનો સીધો ફાયદો થશે. બદલી બાબતે ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિમાં તેની રજૂઆત કરાશે. વળી દંપતીના કેસમાં મૂળ શાળામાં બદલી થઇ શકશે.’

સંબંધિત પોસ્ટ

મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત: રાજ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસે ઉચ્ચક દંડ વસુલાશે: ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. 500 અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. 1,000 નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે

Panchayat Samachar24

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24

લીમખેડામાં ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ: 24 કલાક ડિલિવરી સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ

Panchayat Samachar24

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24

દાહોદ સહિત અન્ય સાત જેટલા જીલ્લાની હોસ્પિટલોમાં કોરોના બેડની ખાલી જગ્યા ની સ્થિતિ જાણવા વેબસાઈટ લોન્ચ કરાઈ

Panchayat Samachar24