Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસરનું કોરોનાથી મૃત્યુ, માત્ર ત્રણ જ અઠવાડિયામાં SO, Dy.SO કક્ષાના પાંચમા અધિકારીનું દુઃખદ નિધન

  • ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસર હિતેશ પંડ્યાનું કોરોનાથી નિધન
  • બે દિવસ અગાઉ જ સહકાર વિભાગના નાયબ સેક્શન ઓફિસરનું પણ કોરોનાથી અવસાન થયું હતું
  • Advertisement

ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી સ્થિતિ અતિગંભીર બની છે. કોરોનાકાળમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ તથા અન્ય સરકારી કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યાં છે. એવામાં સચિવાલય કેમ્પસમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમિત આવી રહ્યા છે. ત્યારે ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસર હિતેશ પંડ્યાનું કોરોનાને કારણે અવસાન થયું છે. સચિવાલય કેમ્પસમાં માત્ર ત્રણ જ સપ્તાહમાં SO, Dy.SO સ્તરના આ પાંચમા અધિકારીનુ અવસાન છે.

2 દિવસ પહેલાં જ નાયબ સેક્શન ઓફિસરનું કોરોનાથી મોત
હજુ બે દિવસ પહેલાં જ સહકાર વિભાગમાં નાયબ સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય ચિરાગ સોલંકીનું કોરોનાથી અવસાન થયું હતું, જ્યારે 6 દિવસ પહેલાં જ વડોદરા આર્મ્સ યુનિટમાં તહેનાત ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ નિધન થયું હતું. ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની આ પ્રથમ ઘટના છે. ઓગસ્ટ 2020માં સરકાર દ્વારા 58 IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી, જેમાં એમ. કે. નાયક (IPS)ને વડોદરાના આર્મ્સ યુનિટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. એમ. કે. નાયક કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદ ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ગત 31મી માર્ચથી દાખલ હતા અને સારવાર દરમિયાન 12મા દિવસે તેમનું મોત નીપજ્યું હતું.

સચિવાલયમાં પણ કોરોનાનો પગપેસારો
રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત આવી રહ્યા હતા. હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસતા નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. વીઆઈપીની સુરક્ષામાં તહેનાત 17 જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે, જ્યારે આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે, જ્યાં ત્રણ લોકો સંક્રમિત થયા છે.

સંબંધિત પોસ્ટ

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

Panchayat Samachar24

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસર ગામ માંથી પસાર થતી દારુ ભરેલી ટ્રકને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી રુપીયા 3.24 લાખની કિંમત ના દારુ સહિત કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

Panchayat Samachar24

લીમખેડાના ઉમેદપુરા થી મરતોલી જતા પગપાળા સંઘને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા

Panchayat Samachar24