Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણીયાઘાટી ગામે દિપડાએ વાછરડા પર હિસંક હુમલો કરી શિકાર કર્યો હતો, સાંજના સમયે આવીને વાછરડા ઉપર હુમલો કરી મારણ કરી ઉપાડીને લઈ જતાં આ અંગેની જાણ ગ્રામજનોમાં થતાં ગ્રામજનોમાં દીપડાના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ મામલાની જાણ સ્થાનિક વન વિભાગના કર્મચારીઓને થતાં વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને જરૂરી તપાસ હાથ ધરી હતી.
સંજેલી તાલુકાના વાણીયાઘાટી ગામે રહેતાં ભુરીબેન કડકીયાભાઈ ભમાતે તેમના ઘરની પાછળના ભાગે એક વાછરડું બાંધી રાખ્યું હતું. અંદાજે લગભગ સાંજના પાંચેક વાગ્યાના આસપાસ દીપડો ભુરીબેનના ઘરની આસપાસ આવ્યો હતો અને બાંધી રાખેલા વાછરડા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, તેમજ હુમલો કર્યાં બાદ વાછરડાનું મારણ કરી તેને ઉપાડી લઈ ગયો હતો. આ અંગેની જાણ ભુરીબેન તથા તેમના પરિવારજનોને થતાં તેમણે બુમાબુમ કરી મુકી હતી અને આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. મારણ કરેલા વાછરડાને થોડે દુર મુકી દીપડો નાસી ગયો હતો.
દીપડાના આતંકને પગલે ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિક વન વિભાગના કર્મચારીઓને થતાં વન વિભાગના કર્મચારીઓ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. મારણ થયેલ વાછરડાના માલિક દ્વારા વળતરની માંગ સાથે રજુઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

સંબંધિત પોસ્ટ

લીમખેડા અને સીંગવડ તાલુકાના 14 નવિન ગ્રામીણ રસ્તાઓને રાજ્ય સરકારે આપી મંજુરી, નવિન રસ્તાઓ બનાવવા માર્ગ-મકાન વિભાગને રૂપીયા 8.47 કરોડ ફાળવ્યા: લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે નવિન રસ્તાઓ માટે કરી હતી રજુઆત

Panchayat Samachar24

સુખસર તાલુકાના નવા TDO તરીકે કિરીટ રાઠવાએ ચાર્જ સંભાળ્યો: રાજ્ય મંત્રી રમેશ કટારાએ ફૂલહારથી કર્યું સ્વાગત

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

Panchayat Samachar24

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24

સીંગવડ ગ્રામ પંચાયત ના ઉપસરપંચ તરીકે પંકજભાઈ પ્રજાપતિની બીન હરીફ વરણી કરાઈ: ઉપસરપંચની ચુંટણીમા 10 માંથી 7 સભ્યો ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24