Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.14
મધ્યપ્રદેશ ના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ગાય, તેનું છાણ અને મૂત્ર દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે, જો તેના માટે યોગ્ય સિસ્ટમ લાગુ કરવામાં આવે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકાય છે. ભોપાલમાં ઈન્ડિયન વેટરનરી એસોસિએશનની મહિલા પાંખના સંમેલનને સંબોધતા શિવરાજ સિંહે એ આ વાત કહી. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ગાય, તેનું છાણ અને મૂત્ર દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે, જો તેના માટે યોગ્ય સિસ્ટમ લાગુ કરવામાં આવે.
શિવરાજ સિંહ ચૌહાણે કાર્યક્રમમાં ઉપસ્થિત પશુ ચિકિત્સકોને સંબોધતા કહ્યું કે ‘ગાય/બળદ વગર કામ ચાલી શકે નહીં’. સરકારે ગૌશાળા બનાવી છે, પરંતુ જ્યાં સુધી સમાજ નહીં જોડાય ત્યાં સુધી સરકારી ગૌશાળાઓ ચાલશે નહીં. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌમૂત્ર સાથે ગાયના છાણમાંથી જોઈએ તો આપણે આપણી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી દેશને આર્થિક રીતે સક્ષમ બનાવી શકીએ છીએ.
તમને યાદ કરાવી દઈએ કે ગયા વર્ષે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગાયના દૂધ, ગોબર અને ગૌમૂત્રના ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું હતું કે તંદુરસ્ત સમાજ માટે તેનો ઉપયોગ જરૂરી છે.

 

મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 152મી ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

Panchayat Samachar24

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24

ફતેપુરાના મોટાનટવા ખાતે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25-મી જુન થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી: તબીબોએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો

Panchayat Samachar24

​​​​​​​દાહોદમાં કોરોનાથી સ્થિતિ વધુ ન વણસે તે માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરતા નગરપાલીકાના પ્રમુખ રીના પંચાલ

Panchayat Samachar24