Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ફતેપુરામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય…ગ્રામજનો ત્રાહિમામ…ગ્રામ પંચાયત તંત્ર નિદ્રાધીન

ફતેપુરામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય.. ગ્રામજનો ત્રાહિમામ.. ગ્રામ પંચાયત તંત્ર નિદ્રાધીન

દાહોદ જિલ્લાના ફતેપુરા ગામમાં કેટલાક સમયથી વિકાસના કામો ના અભાવે ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર ભરાયેલા ગંદા  પાણી ના દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે.
હાલમા સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યુ છે, અને સરકાર દ્વારા સતત સ્વચ્છતા જાળવવા લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવી સ્વચ્છતા માટે સતત અપીલ કરવામાં આવે છે અને બીજી બાજુ છેલ્લા કેટલાક સમયથી ફતેપુરા બજાર વચ્ચે પાણી ભરાયેલું નજરે પડે છે આવી ગંદકીના સામ્રાજ્યથી મેલેરિયા અને પાણીજન્ય રોગો ફેલાવવાની દહેશત સેવાઇ રહી છે અને ખરાબ દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે જ્યારે આ કાદવ કિચડ રૂપી ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા પંચાયતને પણ વારંવાર રજૂઆતો કરી છે, છતાં ગ્રામ પંચાયત તંત્રના પેટનુ પાણી પણ હલતું નથી,
ફતેપુરા ગામમાં ફેલાયેલી પારાવાર ગંદકી પર ધ્યાન ગયું નથી કે પછી આંખ આડા કાન કરી નજર અંદાજ કરવામાં આવે છે, ફતેપુરા ગામના બજારમાં જાહેર માર્ગો ઉપર જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે.
ફતેપુરા તાલુકા મથકનુ ગામ હોવાથી આજુ બાજુના ગામો માથી કામ અર્થે આવતા લોકોના મનમાં કાયમ માટે પ્રશ્ન ઉદ્દભવે છે, કે સ્થાનિક પંચાયતના સરપંચ કે તલાટીને ગામના જાહેર માર્ગો પર ફેલાયેલી ગંદકી નજરે ચઢતી નથી કે તેમના દ્વારા ગંદકી દૂર કરવા બાબતે કોઈ પગલાં લેવામાં આવતાં નથી.
ફતેપુરા ગામના જાહેર માર્ગો પર કાયમ માટે રહેતી ગંદકીના કારણે ગામના સ્થાનિકો તેમજ બહારથી કામ અર્થે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ ફતેપુરા ગામમા ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોય તેમ લાગી રહ્યુ છે, પંચાયત દ્વારા ગામ મા દવાનો છંટકાવ પણ કરવામા આવતો નથી ગામમાં મચ્છર જન્ય રોગચાળો ફેલાવાની દહેશત રહેલી છે.
હાલમાં ફતેપુરા નગરના પોલીસ સ્ટેશન રોડ, ઝાલોદ રોડ સરકારી દવાખાના ફળીયુ, તળાવ ની આજુ બાજુ સહિત નગરના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે
ગામમાં જાહેર માર્ગોપર રહેલી આટલી બધી ગંદકી હોવા છતાં સ્થાનિક પંચાયત દ્વારા સ્વચ્છતા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગામમાં સ્વચ્છતા બાબતે પંચાયતની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, ગ્રામ પંચાયત ને સરકાર દ્વારા સ્વચ્છતા માટે ફાળવેલ ક્યાં વાપરવામા આવે છે? તેવા અનેક પ્રશ્નો જાહેર ચર્ચાનો વિષય બન્યો છે.
વિશ્વ આખું જ્યારે કોરોના સંક્રમણનો સામનો કરી રહ્યું છે,ત્યારે સ્થાનિક પંચાયત દ્વારા સ્વચ્છતા બાબતે કરવામાં આવી રહેલી આવી ઘોર બેદરકારી ગ્રામજનોને અન્ય કોઈ બીમારીમાં ધકેલી દે તો નવાઈ નહી.. ત્યારે તંત્ર આ દિશામાં યોગ્ય પગલાં ભરે તેવી લોકોની ઉગ્ર માગણી છે.

સંબંધિત પોસ્ટ

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

Panchayat Samachar24

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ

Panchayat Samachar24

ફતેપુરા પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી ૬ હજારનો દંડ જ્યારે ૧૧ હજાર દંડ વસુલી ૩ વાહનો મુક્ત કર્યા

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24

મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત: રાજ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસે ઉચ્ચક દંડ વસુલાશે: ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. 500 અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. 1,000 નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે

Panchayat Samachar24