Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા
  • અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર મચાવ્યો છે, કોરોના વાયરસના કેસો સતત ભારતમાં પણ વધી રહ્યા છે ત્યારે આ જીવલેણ વાયરસ કોરોના દેશની અંદર બેકાબૂ થઈ કહી છે. જ્યારે નવા વેરિયન્ટ ઓમિક્રોનના પણ કેસો પણ સતત વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર દેશમા છેલ્લા 24 કલાકમાં 2 લાખ 71 હજાર નવા દર્દીઓ સામે આવ્યા છે જ્યારે 314 લોકોના મૃત્યુ સંક્રમણને કારણે થયા છે. જ્યારેસ દેશમા નવા વેરિયન્ટ ઓમિક્રોનણા દર્દીઓ ની કુલ સંખ્યા 7743 થઈ ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 15 લાખ 50 હજાર 377 થઈ છે. આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 86 હજાર 66 થઈ ગઈ છે. ગઈકાલે એક લાખ 38 હજાર 331 લોકો સાજા થયા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 50 લાખ 85 હજાર 721 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 156 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 66 લાખ 21 હજાર 395 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 156 કરોડ 76 લાખ 15 હજાર 454 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં 7 હજાર 743 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં વધુ કેસ છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ સંક્રમિત રાજ્ય છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 42,462 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 સંક્રમિત લોકોના મોત થયા છે. વધુંમાં મહારાષ્ટ્રમાં સક્રિય કેસ વધીને 2.6 લાખ થઈ ગયા છે. એટલું જ નહીં મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 81 પોલીસકર્મીઓ સંક્રમિત જોવા મળ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 125 કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં અહીં 1730 કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં અહીં 1312 પોલીસકર્મીઓ પોઝિટિવ છે. આ સિવાય 126 જવાનોએ જીવ ગુમાવ્યા છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી: ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન: નરેન્દ્ર સોની

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકાના 14 નવિન ગ્રામીણ રસ્તાઓને રાજ્ય સરકારે આપી મંજુરી, નવિન રસ્તાઓ બનાવવા માર્ગ-મકાન વિભાગને રૂપીયા 8.47 કરોડ ફાળવ્યા: લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે નવિન રસ્તાઓ માટે કરી હતી રજુઆત

Panchayat Samachar24

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

Panchayat Samachar24

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24