Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા
  • અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર મચાવ્યો છે, કોરોના વાયરસના કેસો સતત ભારતમાં પણ વધી રહ્યા છે ત્યારે આ જીવલેણ વાયરસ કોરોના દેશની અંદર બેકાબૂ થઈ કહી છે. જ્યારે નવા વેરિયન્ટ ઓમિક્રોનના પણ કેસો પણ સતત વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર દેશમા છેલ્લા 24 કલાકમાં 2 લાખ 71 હજાર નવા દર્દીઓ સામે આવ્યા છે જ્યારે 314 લોકોના મૃત્યુ સંક્રમણને કારણે થયા છે. જ્યારેસ દેશમા નવા વેરિયન્ટ ઓમિક્રોનણા દર્દીઓ ની કુલ સંખ્યા 7743 થઈ ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 15 લાખ 50 હજાર 377 થઈ છે. આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 86 હજાર 66 થઈ ગઈ છે. ગઈકાલે એક લાખ 38 હજાર 331 લોકો સાજા થયા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 50 લાખ 85 હજાર 721 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 156 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 66 લાખ 21 હજાર 395 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 156 કરોડ 76 લાખ 15 હજાર 454 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં 7 હજાર 743 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં વધુ કેસ છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ સંક્રમિત રાજ્ય છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 42,462 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 સંક્રમિત લોકોના મોત થયા છે. વધુંમાં મહારાષ્ટ્રમાં સક્રિય કેસ વધીને 2.6 લાખ થઈ ગયા છે. એટલું જ નહીં મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 81 પોલીસકર્મીઓ સંક્રમિત જોવા મળ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 125 કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં અહીં 1730 કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં અહીં 1312 પોલીસકર્મીઓ પોઝિટિવ છે. આ સિવાય 126 જવાનોએ જીવ ગુમાવ્યા છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડ: વિકાસનો ડંકો, અડગ વિજય અને રાજકીય ષડયંત્રો સામે અડીખમ નેતૃત્વ

Panchayat Samachar24

ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા 26 મી જાન્યુઆરીનું આમંત્રણ કાર્ડ બિયારણ મિશ્રિત પેપરમાંથી બનાવ્યુ: કાર્ડને વાવવાથી ઊગશે આમળાનુ વૃક્ષ

Panchayat Samachar24

દેવગઢ બારીઆ નગરના ઐતિહાસિક ટાવરનું રિનોવેશન બાદ નગર પાલિકા પ્રમુખ ડો. ચાર્મી સોની દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ

Panchayat Samachar24