Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

  • કેલીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારે 3462 મતથી વિજય બન્યા
  • આગાવાડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર 599 મતથી વિજય મેળવ્યો
  • Advertisement
  • સીમલીયાબુઝર્ગ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારનો 859 મતથી વિજય
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.05
દાહોદ જિલ્લા ની ત્રણ તાલુકા પંચાયત બેઠક પર ૩જી ઓકટોબર ના રોજ મતદાન થયુ હતુ, જે મતદાન ની ગણતરી આજે ૫મી ઓક્ટોબરો હાથ ધરવામા આવી હતી, મતગણતરી બાદ આ ત્રણેય તાલુકા પંચાયત સીટનું પરિણામ જાહેર કરવામા આવ્યુ હતુ, જેમાં ત્રણ બેઠકો માથી બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો જ્યારે એક સીટ પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. દેવગઢ બારીઆ તાલુકાની કેલીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા. અને દાહોદ તાલુકાની આગાવાડા પંચાયત બેઠક પર પણ ભાજપના ઉમેદવાર જીત્યા હતા. જ્યારે ગરબાડા તાલુકાની સીમલીયાબુઝર્ગ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી.
દેવગઢ બારીઆ તાલુકાની કેલીયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર થઈ હતી. કેલીયા બેઠક માટે 4058 મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર ને ફક્ત 248 મતો મળ્યા હતા જયારે ભાજપના ઉમેદવાર ને 3710 મતો મળ્યા હતા અને નોટામાં 100 મતો પડ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર રમેશ સુમતભાઈ બીલવાળ 3462 મતની લીડથી વિજેતા બન્યા હતા. વિજેતા ઉમેદવાર ને દેવગઢ બારીઆ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડે ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યાં હતા. અને દાહોદ તાલુકાની આગાવાડા તાલુકા પંચાયત બેઠક પણ ભાજપના ઉમેદવાર સુરેશભાઈ મેઘાભાઇનો 599 મતોથી વિજય થયો હતો. જ્યારે ગરબાડા તાલુકા પંચાયતની સીમલીયાબુઝર્ગ બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી. અપક્ષના ઉમેદવાર ચુનાભાઈ વીરસિંગભાઈ વહોનીયાનો 859 મતોથી વિજય બન્યા હતા. દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોમા ભાજપ બે અને અપક્ષ ને ફાળે એક બેઠક આવી હતી, જ્યારે કોંગ્રેસ ને એક પણ બેઠક પર સફળતા મળી ન હતી.

સંબંધિત પોસ્ટ

ગુજરાત રાજ્ય મહિલા આયોગે લીમખેડાના Dy.SP ડો.કાનન દેસાઈને શક્તિ એવોર્ડથી કર્યા સન્માનિત

Panchayat Samachar24

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસરનું કોરોનાથી મૃત્યુ, માત્ર ત્રણ જ અઠવાડિયામાં SO, Dy.SO કક્ષાના પાંચમા અધિકારીનું દુઃખદ નિધન

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24