Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

  • કેલીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારે 3462 મતથી વિજય બન્યા
  • આગાવાડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર 599 મતથી વિજય મેળવ્યો
  • Advertisement
  • સીમલીયાબુઝર્ગ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારનો 859 મતથી વિજય
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.05
દાહોદ જિલ્લા ની ત્રણ તાલુકા પંચાયત બેઠક પર ૩જી ઓકટોબર ના રોજ મતદાન થયુ હતુ, જે મતદાન ની ગણતરી આજે ૫મી ઓક્ટોબરો હાથ ધરવામા આવી હતી, મતગણતરી બાદ આ ત્રણેય તાલુકા પંચાયત સીટનું પરિણામ જાહેર કરવામા આવ્યુ હતુ, જેમાં ત્રણ બેઠકો માથી બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો જ્યારે એક સીટ પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. દેવગઢ બારીઆ તાલુકાની કેલીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા. અને દાહોદ તાલુકાની આગાવાડા પંચાયત બેઠક પર પણ ભાજપના ઉમેદવાર જીત્યા હતા. જ્યારે ગરબાડા તાલુકાની સીમલીયાબુઝર્ગ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી.
દેવગઢ બારીઆ તાલુકાની કેલીયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર થઈ હતી. કેલીયા બેઠક માટે 4058 મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર ને ફક્ત 248 મતો મળ્યા હતા જયારે ભાજપના ઉમેદવાર ને 3710 મતો મળ્યા હતા અને નોટામાં 100 મતો પડ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર રમેશ સુમતભાઈ બીલવાળ 3462 મતની લીડથી વિજેતા બન્યા હતા. વિજેતા ઉમેદવાર ને દેવગઢ બારીઆ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડે ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યાં હતા. અને દાહોદ તાલુકાની આગાવાડા તાલુકા પંચાયત બેઠક પણ ભાજપના ઉમેદવાર સુરેશભાઈ મેઘાભાઇનો 599 મતોથી વિજય થયો હતો. જ્યારે ગરબાડા તાલુકા પંચાયતની સીમલીયાબુઝર્ગ બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી. અપક્ષના ઉમેદવાર ચુનાભાઈ વીરસિંગભાઈ વહોનીયાનો 859 મતોથી વિજય બન્યા હતા. દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોમા ભાજપ બે અને અપક્ષ ને ફાળે એક બેઠક આવી હતી, જ્યારે કોંગ્રેસ ને એક પણ બેઠક પર સફળતા મળી ન હતી.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

ફતેપુરાના મોટાનટવા ખાતે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

Panchayat Samachar24