Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

  • કેલીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારે 3462 મતથી વિજય બન્યા
  • આગાવાડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર 599 મતથી વિજય મેળવ્યો
  • Advertisement
  • સીમલીયાબુઝર્ગ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારનો 859 મતથી વિજય
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.05
દાહોદ જિલ્લા ની ત્રણ તાલુકા પંચાયત બેઠક પર ૩જી ઓકટોબર ના રોજ મતદાન થયુ હતુ, જે મતદાન ની ગણતરી આજે ૫મી ઓક્ટોબરો હાથ ધરવામા આવી હતી, મતગણતરી બાદ આ ત્રણેય તાલુકા પંચાયત સીટનું પરિણામ જાહેર કરવામા આવ્યુ હતુ, જેમાં ત્રણ બેઠકો માથી બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો જ્યારે એક સીટ પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. દેવગઢ બારીઆ તાલુકાની કેલીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા. અને દાહોદ તાલુકાની આગાવાડા પંચાયત બેઠક પર પણ ભાજપના ઉમેદવાર જીત્યા હતા. જ્યારે ગરબાડા તાલુકાની સીમલીયાબુઝર્ગ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી.
દેવગઢ બારીઆ તાલુકાની કેલીયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર થઈ હતી. કેલીયા બેઠક માટે 4058 મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર ને ફક્ત 248 મતો મળ્યા હતા જયારે ભાજપના ઉમેદવાર ને 3710 મતો મળ્યા હતા અને નોટામાં 100 મતો પડ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર રમેશ સુમતભાઈ બીલવાળ 3462 મતની લીડથી વિજેતા બન્યા હતા. વિજેતા ઉમેદવાર ને દેવગઢ બારીઆ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડે ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યાં હતા. અને દાહોદ તાલુકાની આગાવાડા તાલુકા પંચાયત બેઠક પણ ભાજપના ઉમેદવાર સુરેશભાઈ મેઘાભાઇનો 599 મતોથી વિજય થયો હતો. જ્યારે ગરબાડા તાલુકા પંચાયતની સીમલીયાબુઝર્ગ બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી. અપક્ષના ઉમેદવાર ચુનાભાઈ વીરસિંગભાઈ વહોનીયાનો 859 મતોથી વિજય બન્યા હતા. દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોમા ભાજપ બે અને અપક્ષ ને ફાળે એક બેઠક આવી હતી, જ્યારે કોંગ્રેસ ને એક પણ બેઠક પર સફળતા મળી ન હતી.

સંબંધિત પોસ્ટ

લીમખેડા અને સીંગવડ તાલુકાના 14 નવિન ગ્રામીણ રસ્તાઓને રાજ્ય સરકારે આપી મંજુરી, નવિન રસ્તાઓ બનાવવા માર્ગ-મકાન વિભાગને રૂપીયા 8.47 કરોડ ફાળવ્યા: લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે નવિન રસ્તાઓ માટે કરી હતી રજુઆત

Panchayat Samachar24

લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

Panchayat Samachar24

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયત ના સરપંચે રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા ખળભળાટ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24