Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારભારતરાષ્ટ્રીય

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

  • મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરશે!
  • ભાજપના સ્ટ્રાઇક થી સપા મા હડકંપ મચ્યો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા માટે ચુંટણી જંગ જામ્યો છે ત્યારે તેમા પક્ષપલટાની પ્રક્રિયા હજુ ચાલુ જ છે. ભાજપમાંથી કેબિનટે મંત્રીઓના રાજીનામાં બાદ આજે સમાજવાદી પાર્ટીના સ્થાપક અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવ રવિવારે લખનૌમાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલુ થઈ છે. અપ્રાણ યાદવ સાથે આઈપીએસની નોકરી છોડી ચૂકેલા અસીમ અરુણ પણ ભાજપમાં જોડાશે. મળતી માહિતી મુજબ આ બંને લોકો લખનૌમાં બીજેપીના સ્ટેટ ઑફિસમાં પાર્ટીની સદસ્યતા લેશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશ ચૂંટણીના સહ-પ્રભારી અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ હાજર રહેશે.
જણાવી દઈએ કે અપર્ણા યાદવે લખનૌની કેન્ટ બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણી લડી હતી જ્યારે તે બીજા ક્રમે રહી હતી. તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટા બહુગુણા જોશીએ હરાવ્યા હતા. જોકે અપર્ણાને લગભગ 63 હજાર વોટ મળ્યા હતા. અપર્ણા મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. સમાજવાદી પાર્ટીમાં હોવા છતાં અપર્ણા યાદવે ઘણી વખત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રવિવારે 16 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને યુપી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની હાજરીમાં અનેક અગ્રણી હસ્તીઓ હાજરી આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન અપર્ણા પણ ભાજપમાં જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ ભાજપ તેમને લખનૌ કેન્ટ વિધાનસભા સીટ પરથી ઉમેદવાર બનાવી શકે છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

Panchayat Samachar24

બીમારીઓથી દુર રહેવા સવારે ખાલી પેટ મેથીના દાણાનું કરો સેવન: ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

Panchayat Samachar24