Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારફતેપુરા

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

  • ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના ઉડાવ્યા લીરેલીરા
  • જાહેર કાર્યક્રમ મા મામલતદાર માસ્ક વગર જોવા મળ્યા
  • Advertisement
  • શુ મામલતદારને કોઈ નિયમ કાનુન લાગુ નહિ પડે?
  • મામલતદાર પી.એન.પરમાર માસ્ક નહિ પહેરવા બદલ નિયમ મુજબ ભરશે રૂપીયા ૧૦૦૦/- નો દંડ?
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.13
ફતેપુરા તાલુકાના યોગ ટ્રેનર તાલીમ પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ફતેપુરા મામલતદાર દ્વારા જ સરકારની કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાવતા જોવા મળ્યા હતા, મામલતદારે માસ્ક નહિ પહેરી સરકારના નિયમો નુ પાલન નથી કર્યુ, હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, સાથે હાલ કોરોના ના કેસોમા પણ મહદઅંશે રાહત મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા કોરોના ગાઇડ લાઇન મુજબ માસ્ક એન સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે ની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ જો અધિકારી જ કોરોના નો ભંગ કરતા જોવા મળે તો ? ત્રીજી લહેર કંટ્રોલ કેમ કરી શકાશે તે એક મોટો સવાલ છે, કોરોના ગાઇડ લાઈનના ધજાગરા ઉડયા એ પણ અધિકારી કે, લોકો એ પણ માસ્ક પહેરેલા નથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. જો આમ વ્યક્તિ કોરોના નો ભંગ કરતા જોવા મળે તો તેને ભંગ બદલ રૂપીયા ૧૦૦૦/- નો દંડ ભરવો પડે છે ત્યારે જો અધિકારીઓ જ કોરોના ગાઇડ લાઇનનુ પાલન ન કરે તો? તેમણે દંડ ભરવો કે નહિ તેવો સવાલ આમ જનતા ના મનમા ઉઠી રહ્યા છે, ત્યારે હવે જોવા નું રહ્યું કે, ફતેપુરા મામલતદાર પી.એન.પરમાર પાસે પોલીસ નિયમ ભંગ કરવા બદલ દંડ ની વસુલાત કરે છે કે કેમ તે તો જોવાનુ રહેશે.

ફતેપુરા તાલુકામા હજી પણ દરરોજ કોરોના સંક્રમણ ના એક બે કેસો નોધાઈ રહ્યા છે ત્યારે જો આવી રીતે જ જો કોરોના ના નિયમો નું પાલન કરવા મા નહીં આવે તો કોરોના ના કેસોમા વધારો નોધાય તો નવાઈ નહી.

સંબંધિત પોસ્ટ

દાહોદ શહેર સહિત જીલ્લામા રોડ નજીક ગેરકાયદેસર રીતે ધમધમતી નોનવેજની હાટડીઓ : તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની ઉઠી લોકમાંગ

Panchayat Samachar24

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં લોકોને પીવાનું પાણી પુરુ પાડવાની યોજનાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો: અગાઉની યોજનાઓમાં બનાવેલ પાણીના ટાંકાઓ તથા સંપમાં વર્ષો બાદ પણ પાણી આવ્યુ નથી

દાહોદ જીલ્લાના ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ

Panchayat Samachar24

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24