Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારફતેપુરા

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

  • ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના ઉડાવ્યા લીરેલીરા
  • જાહેર કાર્યક્રમ મા મામલતદાર માસ્ક વગર જોવા મળ્યા
  • Advertisement
  • શુ મામલતદારને કોઈ નિયમ કાનુન લાગુ નહિ પડે?
  • મામલતદાર પી.એન.પરમાર માસ્ક નહિ પહેરવા બદલ નિયમ મુજબ ભરશે રૂપીયા ૧૦૦૦/- નો દંડ?
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.13
ફતેપુરા તાલુકાના યોગ ટ્રેનર તાલીમ પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ફતેપુરા મામલતદાર દ્વારા જ સરકારની કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાવતા જોવા મળ્યા હતા, મામલતદારે માસ્ક નહિ પહેરી સરકારના નિયમો નુ પાલન નથી કર્યુ, હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, સાથે હાલ કોરોના ના કેસોમા પણ મહદઅંશે રાહત મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા કોરોના ગાઇડ લાઇન મુજબ માસ્ક એન સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે ની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ જો અધિકારી જ કોરોના નો ભંગ કરતા જોવા મળે તો ? ત્રીજી લહેર કંટ્રોલ કેમ કરી શકાશે તે એક મોટો સવાલ છે, કોરોના ગાઇડ લાઈનના ધજાગરા ઉડયા એ પણ અધિકારી કે, લોકો એ પણ માસ્ક પહેરેલા નથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. જો આમ વ્યક્તિ કોરોના નો ભંગ કરતા જોવા મળે તો તેને ભંગ બદલ રૂપીયા ૧૦૦૦/- નો દંડ ભરવો પડે છે ત્યારે જો અધિકારીઓ જ કોરોના ગાઇડ લાઇનનુ પાલન ન કરે તો? તેમણે દંડ ભરવો કે નહિ તેવો સવાલ આમ જનતા ના મનમા ઉઠી રહ્યા છે, ત્યારે હવે જોવા નું રહ્યું કે, ફતેપુરા મામલતદાર પી.એન.પરમાર પાસે પોલીસ નિયમ ભંગ કરવા બદલ દંડ ની વસુલાત કરે છે કે કેમ તે તો જોવાનુ રહેશે.

ફતેપુરા તાલુકામા હજી પણ દરરોજ કોરોના સંક્રમણ ના એક બે કેસો નોધાઈ રહ્યા છે ત્યારે જો આવી રીતે જ જો કોરોના ના નિયમો નું પાલન કરવા મા નહીં આવે તો કોરોના ના કેસોમા વધારો નોધાય તો નવાઈ નહી.

સંબંધિત પોસ્ટ

ગાંધીનગરથી ઝડપાયો નકલી કલેક્ટર: પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપનારા આરોપીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરતા ખળભળાટ

Panchayat Samachar24

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત સરકારે 100 ટકા અનાજ અને 20 ટકા ખાંડ ફરજિયાતપણે શણના થેલામાં પેકિંગ કરવા કર્યો આદેશ

Panchayat Samachar24

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin